Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 54
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ૪૭ સંબંધો થયા છે, જેનો કોઈ અંત નથી. મેં મોહવશ બનીને આ સંસારમાં અનાદિકાળથી અનેકવાર જન્મ-મરણ કર્યો પરંતુ કોઈનામાં બચાવવાની શક્તિ આવી નથી. હવે આ સુયોગ્ય સમય આવ્યો છે કે જેમાં આ ચાર ગતિની બેડી છુટી શકે છે. હવે મને વિઘ્ન ન કરો. મોહવશ તમારો અને મારો સમય ન બગાડો. ચાલો, તમે પણ ગુરુ પાસે આવીને આ પરાધીન પર્યાયથી છૂટીને સ્વાધીન સુખ મેળવવાનો ઉપાય પૂછો. ,, આ સાંભળીને માતા અને ચારે સ્ત્રીઓનું મન બદલાઈ ગયું. તેમણે પાલખી છોડી દીધી. તે બધાં ચાલતાં ચાલતાં જે વનમાં સુધર્માસ્વામી તપ કરતા હતા ત્યાં પહોંચ્યા, તેઓ વિનય સહિત સાષ્ટાંગ નમસ્કાર કરીને બેઠા. મુનિનાથે ‘ધર્મવૃદ્ધિ ના આશીર્વાદ આપ્યા. ત્યારે સ્વામીએ હાથ જોડીને પ્રાર્થના કરી- “હે નાથ ! આ અગમ, અથાહ, અતટ સંસારથી પાર ઉતારો. ,, ,, ત્યારે ગુરુએ કહ્યું- “હું કુમાર ! હવે તમે વેષ છોડી ધો. આ સાંભળી સ્વામીએ પ્રમુદિત બનીને તરત જ વસ્ત્રાદિ આભૂષણો ઉતારી નાખ્યાં અને પોતાના કોમળ કરોથી પોતના વાળ ઘાસની પેઠે ઉખાડી નાખ્યા તથા ગુરુની સન્મુખ નમ્ર બનીને વ્રતોની યાચના કરી. પરમ દયાળુ, કર્મ-શત્રુઓથી છોડાવનાર ગુરુજી કુમારને દીક્ષા આપીને મુનિઓના આચારનું વર્ણન કહેવા લાગ્યા. તે સાંભળીને સ્વામીની માતા જિનમતી અને ચારે સ્ત્રીઓ પણ ભવભોગથી વિરક્ત થઈ અને પાંચેયે ગુરુની પાસે આર્થિકાના વ્રત લીધા. વિદ્યુતચરે પણ તે જ સમયે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી મુનિવ્રત ધારણ કર્યું. બીજા નગરના સ્ત્રીપુરુષોએ શક્તિ અનુસા૨ મુનિવ્રત કે શ્રાવકવ્રત લીધા. પછી રાજા અને અન્ય ગૃહસ્થો પોતપોતાને સ્થાનકે ગયા. જંબુસ્વામી તપશ્ચરણ કરવા લાગ્યાં. જ્યારે ઉપવાસ પૂરા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57