Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૩ | ઘોડા, રથ સામે રથ અને પ્યાદાની સામે પ્યાદા જોડાવા લાગ્યા, વીરોમાં જોશ વધતું ગયું અને કાયરોના હૃદય કાંપવા લાગ્યા. આમ નીતિપૂર્વક યુદ્ધ થવા લાગ્યું. સ્વામી પણ રત્નચૂલની સામે યુદ્ધ કરવા લાગ્યો. સ્વામીએ થોડીવારમાં જ રત્નચૂલનોરથ તોડીને જમીન પર પછાડયો, જેવો રત્નસૂલ ઊભો થઈને બીજા રથે બેસવા ગયો કે સ્વામીએ આવીને જોરથી મૂષ્ટિપ્રહાર કર્યો આથી તે ચિત્કાર કરતો જમીન પર પડી ગયો. કુમારે તેની છાતીમાં લાત મારી, તેના બન્ને હાથ બાંધીને રત્નચૂલને ઊભો કર્યો. બસ, હવે શું કહેવાનું? રત્નચૂલને બંધાયેલો જોઈને તેની બધી સેના આમતેમ ભાગવા લાગી. સ્વામીએ બધાને આશ્વાસન આપી શાંત કર્યા અને અભયવચન આપ્યું. જયારે રાજા મૃગાંકે જીતના આ સમાચાર સાંભળ્યા ત્યારે તેણે તરત જ આવીને સ્વામીને નમસ્કાર કરી વિનયપૂર્વક કહ્યું- “હે નાથ ! આપની કૃપાથી આજે મારી આ વિપત્તિ દૂર થઈ છે. આપના જ પ્રતાપે મારા શુભનો ઉદય થયો છે. આપના સાહસ અને પરાક્રમને ધન્ય છે.” આમ રાજા સ્તુતિ કરવા લાગ્યો અને ચારે તરફ જયજયકાર થવા લાગ્યો. દુંદુભી વાજા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થવા લાગી. અહીં આ પ્રમાણે આનંદોત્સવ થઈ રહ્યો હતો ત્યારે સ્વામી કાંઈક બીજા જ વિચાર કરી રહ્યા હતા કે હાય ! હાય! એક જ જીવને મારવામાંય ઘણું પાપ છે તો મેં તો આજે અગણિત જીવોની હિંસા કરી છે. ત્યાં વિદ્યાધરો તેની પ્રશંસા કરતા હતા ત્યારે ગગનગતિએ રત્નસૂલ તરફ ઇશારો કરીને કહ્યું “જુઓ આજે મૃગાંકે તમને જીતી લીધા કે નહિ!” આ સાંભળતાં જ રત્નચૂલને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો રાવ મૃગાંક સ્ટાલ સમ, મેં ગજ સમ તસ અગ્ર; સિંહરૂપ સ્વામી ભયે, જીતે સુભટ સમગ્ર.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57