Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૭] વિવિધ પ્રકારના પટસ ભોજન તૈયાર કર્યા. સ્વામી ભોજન કરીને શયનગૃહમાં સૂવા ચાલ્યા ગયા. આ પ્રમાણે તે રાજા મૃગાંકને ત્યાં એક દિવસ રહ્યા પછી બીજા દિવસે કહેવા લાગ્યા “મારી ઈચ્છા છે કે હવે હું રાજગૃહી જાઉં.” સ્વામીના આવા વચન કોને સારા લાગે ? તે બધા હાથ જોડીને બોલ્યા, “હે નાથ ! આપ થોડાક દિવસ તો અમ ગરીબને ત્યાં રહો. આપના રહેવાથી અમને પરમ શાંતિ મળે છે. પછી આપની ઈચ્છાનુસાર જે આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશું. હા, આજે એક દૂત મારફત બધા કુશળ સમાચાર રાજગૃહી મોકલી આપીએ છીએ, જેથી આપના માતા-પિતાને તેમજ રાજા પ્રજાને સૌને શાંતિ થાય.” સ્વામીએ આ વાત સ્વીકારી. રાજા મૃગાંકે તરત સુબુધ નામના દૂતને બોલાવીને કહ્યું, “દૂત! તમે રાજગૃહી જાવ અને ત્યાંના રાજા શ્રેણિક તથા સ્વામીના પિતા અર્હદાસ શેઠ અને માતા જિનમતીને અહીંના બધા કુશળ સમાચાર કહો અને કહેજો કે દસ દિવસ પછી સ્વામી પણ પધારશે.” આમ કહીને તેમને યોગ્ય સ્વશક્તિ પ્રમાણે ભેટસોગાદ-વસ્ત્રાભૂષણ વગેરે પણ મોકલ્યા. રાજા રત્નચૂલ આ સાંભળીને બોલ્યો-“હે રાજન! જેવી એ આપની દિકરી છે તેવી જ હવે મારી પુત્રી પણ છે તેથી મારે ત્યાં અને આપને ત્યાં જે જે સારી વસ્તુઓ છે તે બધી તેની જ છે. આમ બન્ને રાજાઓએ વિચારીને ઘણા વિદ્યાધર સેવકોને બોલાવ્યા અને તેમને ઘણી સંપત્તિ આપીને વિદાય કર્યા. તે વિદ્યાધર સ્વામીની આજ્ઞા લઈને તરત જ હવાની જેમ આકાશ માર્ગે એક ક્ષણમાત્રમાં રાજગૃહી આવી પહોંચ્યા અને રાજા શ્રેણીકને નમસ્કાર કરીને, તેઓ જે ભેટ લાવ્યા હતા તે શ્રેણિકને અર્પણ કરી તથા કેવલપુરની જીત અને સ્વામીના આગમનના સમાચાર કહી સંભળાવ્યા. આ સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયા, અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57