Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૯] સંઘપતિ-વિસલની વિશેષ શિલ્પકૃતિઓ [ ૧૪૯ બે હાથ જોડી સ્તુતિ કરતા બે શ્રેષ્ઠીઓનાં રૂપે આલેખ્યાં છે. તેના આસનની પટ્ટીમાં વર્ષ અને તેમનાં નામ તયી છે, પરંતુ એકને સ્પષ્ટ ઉકેલ થઈ શકે છે જ્યારે બીજાને ઉકેલ થયો નથી. શ્રેષ્ઠીવર્યોની મુખાકૃતિમાં દાઢીને દેખાવ પણ સ્પષ્ટ નજરે ચડે છે. જે શ્રેષ્ઠીનું નામ સ્પષ્ટ વંચાય છે તેનું નામ અને વર્ણન આગળ આપ્યું છે. તેની પાસે તેનાથી વધારે જગ્યા રોકીને હાથી ઉપર બેઠેલી એક સ્ત્રી, જેને એક હાથ છાતી ઉપર અને બીજો ઢીંચણ ઉપર મૂકેલે છે. તેની પાસે જ એક ચામરધારિકા, એક પરિચારિક અને એક નતિકા છે. જ્યારે સામે છેડે એક નર્તિકા પિતાના હાથની કોણી જમણા પગને તળીએ અડાડીને ઊભી છે. તેની પાસે ઊભેલી સ્ત્રીના હાથમાં તંબુરો એને બીજીના હાથમાં વાંસળી છે. ઉપલી બાજુના ખાલી પડતા ખૂણાઓમાં–વસ્તુળની ખાલી જગ્યામાં શિલ્પીએ વૃક્ષવલીઓ કોતરીને તેને સુશોભિત બનાવ્યા છે, જેમાં શરણાઈઓ વગાડતી અસરાઓ બતાવેલી છે. એ અપ્સરાઓને પખ કે ચતુર્ભુજા બતાવેલી નથી. આ પદુની છેક નીચેની પટ્ટી ઉપર એક લાઈનમાં લાંબો લેખ છે. નં. ૨ સપ્તતિશત-૧૦૦ જિનપદ આ પટ્ટ ૬ ફૂટ ઊંચે એને ૫ ફૂટ પહોળો છે. આ પદ્દમાં ખાસ મનોહર કોતરકામ નથી. પટ્ટમાં પાંચ હારમાં ૧૭-૧૭ મૂર્તિઓ છે તેમાં ત્રણ ત્રણ હારોના પથ્થરોના બે ભાગ પડે છે. મધ્યભાગની લાઈને સાત સાતની છે, જેમાં મધ્યભાગે એક મોટી મતિ અરિહંતની છે, જેની બે બાજુએ બે ધ્યાનસ્થ ઊભી જિનમૂતિઓ છે. મૂર્તિના આસનમાં ત્રણ-એક મળીને ચાર દેવીઓ નામે જયા, વિજયા, અજિતા અને અપરાજિતા છે. મૂર્તિ ઉપર છત્ર છે. તેની બે બાજુએ કલશાભિષેક કરતા બે હાથીઓ, બે-માલાધારક અને અશોકવૃક્ષ છે. તેની ઉપલી બાજુએ સરણાઈવાદક દેવ છે. ઉપરની મૂર્તિની ઉપરની લાઈનમાં ૧૬ અને તેના ઉપરની લાઈનમાં ૧૫ મૂર્તિઓ છે, જેના બે છેડા ઉપર બે માલાધારક દે છે. તેના ઉપર લાઈનમાં ૧૩ મૂર્તિઓના છેડા ઉપર બે શિખરાકાર બતાવેલા છે. તેની ઉપરની લાઈનમાં મૂર્તિઓ નવ, તે ઉપર ત્રણ અને તેને ઉપર મધ્યભાગે એક; જેની બે બાજુ શિખરાકારો આવેલા છે. આ પદની સૌથી ઉપલી ત્રણ લાઈનમાં પથ્થરના ટુકડા છે, એકંદર નવથી દશ ખંડની શિલાથી પૂરો કરે છેઆ એક સિત્તેર તીર્થ કોને પદ છે; જે મનુષ્યજાતિના ઉN કાળમાં કર્મભૂમિજન્ય વસવાટવાળા ક્ષેત્રમાં મનુષ્યો એક જ વખતે હયાતી ભોગવતા હતા. ઉપર વર્ણવેલા એક સિત્તેર તીર્થ કરના પટ્ટની નીચલી પટ્ટી ઉપર સવા પાંચ ફૂટ લાંબે આશરે બે લાઈનને લેખ છે. તે ઉપરાંત દરેક મૂર્તિની લાઈને નીચે પણ લખાણ છે, જે કદાચ મૂર્તિનાં નામરૂપ હોય અથવા કરાવનારની વિગત લખી હોય. પર નં. ૩ ચતુર્વિશતિજિનપદ આ સાદો પટ્ટ ૨ ફૂટે ૧૧ ઇંચ લાંબો અને ૧ ફૂટ નો ઈંચ પહોળા છે. આ પદમાં ચોવીસ તીર્થકર મુર્તિઓ છે. પદની જમણી બાજુએ ચારથી છ અગિળ પહેળા પથ્થરમાં કુલ અઠયાસી અક્ષરને લેખ છે. ૫૦ નં. ૪ વિંશતિવિહરમાન જિનપટ્ટક. આ પદની લંબાઈ ૨ ટ ૧૧ ઇંચ અને પહેળાઈ ૧ ફૂટ છે. ઘણું કરીને દશ-દશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28