Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૯ ] સંઘપતિ-વિસલની વિશેષ શિલ્પકૃતિઓ [૧૫૧ અને નંદીશ્વર દીપને સં. ૧૪૯૪માં કરાવી તપાગચ્છાચાર્ય સોમસુંદરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. (તેના લેખે માટે જુઓઃ “દેવકુલપાટક' પૃ. ૧૪-૧૫) દેલવાડામાં તપાગચ્છને નષભદેવપ્રાસાદ બંધાવવામાં પણ વિસલ સંઘવીને ભાગ હ. (જુઓઃ “ ગુર્નાવલી” . ૩૫૩-૩૫૪) સં. ૧૪૬૧માં ઈડરમાં ચોમાસુ રહેલા તપાગચ્છાચાર્ય ગુણરત્નસૂરિએ વ્યાકરણના અભ્યાસીઓને ઉપયોગી “ક્રિયારનસમુચ્ચય' નામે પુસ્તક લખ્યું ત્યારે વિસલ સંધવીએ તેના પ્રચાર માટે લહિયાઓ પાસે દશ પ્રતે લખાવી હતી. (જુઓઃ “ક્રિયારત્નસમુચ્ચયપ્રશસ્તિ .') આ ઉપરથી કલેલથી મળી આવેલા આ મૂર્તિપદકે સંઘપતિ-વિસલે કરાવેલા હતા, જે વેતાંબરીય હોવાની ખાતરી આપે છે. પકો દિગંબર નહિ હોવાનાં કારણે - ઈતિહાસ તે સાક્ષી છે જ કે આ મૂર્તિપદક દિગંબર નથી, તે દિગંબર નહિ હોવાના કારણે આ છે – ૧. દરેક દિગંબર દેવાલયના ગૂઢમંડપની બહાર નૃત્યમંડેપમાં વેદિકા બનાવવાનો રિવાજ છે, તે દૃષ્ટિએ તપાસતાં જે ભેચરામાંથી આ પદ લેવામાં આવ્યાં છે તે દેવળમાં વૈદિક બાધેલી નથી. ૨. પટ્ટકમાં આલેખેલી નાની નાની જિનમૂર્તિએ સવસ્ત્ર હવાની નિશાનીરૂપ દરેક મૂર્તિને કંદોરે છે. ૩. દિગંબર આમ્નાય મુજબ પણ આ મૂર્તિએ વિધિસર નથી. તેમ હાલ તેઓ તેની પૂજા પણ કરતા નથી. - આ બધી બાબતે ધ્યાનમાં લઈ દિગંબર બંધુઓએ આ પદ મૈત્રીભાવે વેતાંબર સંધને સેપિી દેવાથી વીતરાગ ભાવનાની વૃદ્ધિ થશે અને બીજાઓ પણ એને ધડ લેશે. સદરહુ પકે દિગબર-પ તરીકેની જાહેરાત આ પદકે દિગંબર હોવાની જાહેરાત સુરતથી નીકળતા “દિગબર જૈન' માસિક પત્રના વર્ષ–અંક ૧૨ પૃ. ૩૦માં કલેલ (ઈડર)માંથી મળી આવેલા “પ્રાચીન દિગંબર જૈન પટ્ટો એ નામે ટૂંકી વિગતવાળો લેખ તા. ૨૦-૧૦-પરના અંકમાં પુનમચંદ આર. જૈનનો પ્રસિદ્ધ થયો છે. પરંતુ તે ચારે પટ્ટકના શિલાલેખોમાંને એક અક્ષર પણ પ્રસિદ્ધ કર્યો નથી અને તેના દિગંબરવની સાબિતીને એક પણ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી, આવી જાહેરાત ધર્મોપાસનાથી પવિત્ર થવાની ચાહના રાખનારને શોભાસ્પદ ન ગણાય. લેખ અને ફોટા માટે નિષેધ– અહીં વર્ણવેલા પટ્ટાનું ખાસ મહત્વે પંદરમી સદીના ઈડરના ઈતિહાસમાં પંકાતા ઓસવાલ જ્ઞાતિના શ્રેષ્ઠી વિસલ અને શ્રેષ્ઠી ગોવિંદ તથા વિલ સંધપતિની ધર્મપત્નિ ખીમાઈ તથા મેવાડપતિ કે ઈડરપતિની સમ્રાજ્ઞીની આમાં મૂર્તિઓ અંકિત છે. અનેક દિગંબરમૂર્તિઓના ફટાઓ પ્રસિદ્ધ થઈ જવા છતાં આ પદકેને ફેટ લેવામાં અને અન્ય ઉપાથી તેના ઉપરના તમામ લેખે લેવામાં દિગંબર બંધુઓ વિધિ બતાવે છે, એ ઘણું જ શોચનીય છે. આશા રાખીએ કે તેઓ આવી સંકુલ વૃત્તિ તજી દઈ લેખોની નકલે તથા ફોટાઓ લેવા વિદ્વાનોને આમંત્રણ આપશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28