Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે
ઈંચ ઊંચા, પીતવર્ણ, ધાતુનાં છે. આગળના ભાગ ઉપર બે ઇંચ પહોળો લગેટ છે. માંડવન વિધ્વંસ બાદ સં. ૧૮૫ર સુધી આ પ્રતિમાજીને પત્તો ન હતો. ૧૮૫રમાં પ્રથમ અને પ્રતિમાજી ભિલેને પ્રાપ્ત થયાં. અન્ન અને ભૂખ લેકેએ સુવર્ણનું બિમ્બ માની તેના ભા પાડવા વિચાર કર્યો. પણ માંડવમાં રહેતા રામજી મંદિરના મહંત રામસનાને આ વાતનું ખબર પડતાં તેમણે તે મૂર્તિ કજે કરીને પછી ખુશાલચંદજી, અમરચંદજી, ધનજીભા વગેરે શ્રાવકેને મૂર્તિ પ્રાપ્ત થયાની ખબર આપી. ધારથી મહારાજા યશવંતરાવ પવાર તળે ઉપરોક્ત શ્રાવકે પ્રતિમાજી લેવા માટે માંડવ ગયા. પ્રતિમાજી મહારાજને હાથી ઉપર આરૂઢ કરે ધાર લાવતા હતા, પણ માંડવગઢના દિલ્હી દરવાજાની બહાર ઘણું પ્રયત્નો કરતાં છતાં પણ હાથ નીકળે નહિ. છેવટે શ્રાવકેએ રાજા સાહેબને કહ્યું કે પ્રભુજીની માંડવગઢની બહાર જવાને ઈચ્છા નથી. રાજાસાહેબ માંડવગઢમાં જ પ્રતિમાજી પધરાવવાની આજ્ઞા આપી-તે સમયે ત્ય એક સંપ્રતિ મહારાજાનું બંધાવેલ શ્રીમલ્લિનાથ પ્રભુજીનું મન્દિર ખોલી પડયું હતું તેમાં ૨ પ્રતિમા સ્થાપન કરવામાં આવ્યાં. આ મન્દિરની આજુબાજુ તે સમયે પુષ્કળ ઝાડ હતી. સાયંકાળ પછી ત્યાં કોઈ જઈ શકતું પણ નહિ. હિંસક પ્રાણીઓને ત્યાં આવાસ કરત હતા. ફક્ત પૂજારી દિવસ છતાં સાંજે આરતિ ઉતારીને મદિર અટકાવીને વસ્તિમાં ચાલે આવતો હતો. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચાલ્યું. અને સં. ૧૮૯૯માં તે શાતિના પ્રભુની એ મન્દિરમાં ઠીક રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સમયમાં જેને ઉપર રાજ્યની મહેરબાની સારી હતી એટલે આ મન્દિરની આજુબાજુની અમુક જગા જેનેને સુપ્રતો કરવામાં આવી. રાજાએ ૧૬૨) રૂા. અગરચંદજીએ પ૦) રૂા. અને ધારના પોરવાડ પંચે ૧૦૦) રૂા. મન્દિરના નિભાવ અર્થે અર્પણ કર્યા. મન્દિરના ચાલુ ખર્ચ માટે રાજાએ રૂ. ૧૦૦) જેટલી તે સમયની માંડવની જકાત (કસ્ટમ) જેને એ ઉઘરાવવી એવું લખાણ કરી આપ્યું. સં. ૧૯૫૮માં દિગમ્બરોએ આ પ્રતિમાજી દિગમ્બરીય છે. ને તે અમને સુપ્રત કરવાં જોઈએ એવી જાતને દાવો કચેરીમાં કર્યો હતો પણ તેને ફેંસલો તેમની વિરુદ્ધ મળે હતો. યાત્રાળુની અવરજવર જીર્ણોદ્ધાર-પુનઃ પ્રતિષ્ઠા અને વહીવટી તંત્રઃ
ઉપર બતાવેલ પરિસ્થિતિ વખતે આ તીર્થને ખ્યાલ જૈન જનતમાં ઘણો જ અ૯પ હતો, યાત્રાર્થે કાઈક સમય જ લેકે જતા. ત્યાં જવાને માટે વ્યવસ્થિત સગવડ પણ ન હતી. તે પણ ત્યાં દૈવી પ્રભાવ ઘણો હતો. માંડવમાં વસતી ભિલ વગેરે પ્રજા ઘણી વખત વાત કરતી કે રાત્રિએ જૈન મન્દિરમાં નાટારંભ થાય છે, સારાં સારાં ગાયને ગવાય છે પરંતુ જેમ જેમ ત્યાં જનતાનો સંચાર વધતો ગયો તેમ તેમ પ્રભાવની અ૯પત થતી ગઈ. દૈવી વાતાવર
ને માટે જોઈતી શુદ્ધિ સાચવવાનું શિક્ષણ જનતામાં હજુ ઘણું અ૯પ છે. માટે જ પ્રસારની સાથે ઘણે સ્થળે દિવ્યતા કમી થતી જોવામાં આવે છે. તીર્થરયામાં યાત્રા માટે જતા દરેક યાત્રાળુએ તીર્થની અસ તન ન થાય તે માટે સાવચેતી રાખવી જોઈએ. ૧ આ પ્રતિમાજીના પાછળના ભાગમાં નીચે મુજબ લેખ છે
संवत् १५४७ वर्षे माहसुदि १३ रखौ श्री मंडण सोनी ज्ञातीय श्रेष्ठी अर्जुन सुत श्रे गोवल भार्या हर्ष - सुत पारिष मांडण भार्या श्राविका तीली सो......मांदराजभार्या दत्वा विवादे द्वि० भाललतादे पुत्र २ सो० टोडरमल्ल सोनी कृष्णदास पुत्री बाइ हर्षाई परिवारस ॥
For Private And Personal Use Only