________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથનાં નામ લેખક –શ્રીયુત - હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.
(ગતાંકથી પૂર્ણ )
નામોના પ્રકારો
ગ્રંથનાં પહેલેથી કે પાછળથી પડેલાં નામે તરફ નજર કરીશું તો જણાશે કે એમાંનાં કેટલાંક તે ગુણનિષ્પન્ન અને ગૌણ હોઈ તે તે ગ્રંથના વિષયને વ્યકત કરે છે. દાખલા તરીકે અજિતશતિસ્તવ, તત્વાર્થાધિગમશાસ્ત્ર, અનેકાંત જયપતાકા પ્રકરણ, અયોગવ્યવચ્છેદકાત્રિશિકા, અન્યવેગવ્યવચ્છેદવાવિંશિકા, ચતુર્વિશતિજિનસ્તુતિ વગેરે.
કેટલાક ગ્રંથનાં નામે તેના પ્રારંભિક પદાદિનું સૂચન કરે છે. ૧૫ જેમકે કલ્યાણમંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રતિક્રમણનાં અન્યાન્ય સૂત્રો વગેરે. કેટલાક ગ્રંથોનાં નામે તેના પદ્યની સંખ્યા કે પરિમાણ સચવે છે. જેમકે (૧) અષ્ટક, (૨) ડિશ, (૩) ચોવીસી, (૪) રત્નાકરપંચવિંશતિકા, (૫) દ્વાર્નાિશિકા, (૬) પંચાશક, (૭) પુદ્ગલષત્રિશિક, ઉપદેશસપ્તાંત્રશિકા (૮) સપ્રતિકા, (૯) આનંદઘનતેરી, (૧૦) ષડશીતિપ્રકરણ, (૧૧) શતક, (૧૨) સપ્તશતી, (૧૩) અબ્દશતી અને (૧૪) અષ્ટસહસી,
કેટલાક ગ્રંથોનાં નામો તેના કર્તાના નામનું સૂચન કરે છે તો કેટલાંક ગ્રંથકારને આશ્રય કે ઉત્તેજન આપનારના નામનું સૂચન કરે છે. જેમકે સિદ્ધહેમ, રત્નાકરપંચવિંશતિકા અને આહત જીવન જ્યોતિ પ્રથનનાં બે નામો પ્રથમ વિકલ્પનાં ઘાતક છે, જ્યારે પહેલું અને છેલ્લું નામ દ્વિતીય વિકલ્પના દ્યોતક છે.
કેટલાક ગ્રંથોનાં નામ પિતાના સંપ્રદાયનું સૂચન કરે છે. જેમકે જૈનકુમારસંભવે, જેનતકભાષા, આહંત દર્શન દીપિકા વગેરે.
કેટલાક ગ્રંથનાં નામને અંતિમ વિભાગ તે ગ્રંથ કયા વિશિષ્ટ વર્ગને છે તેને ખ્યાલ આપે છે. એટલે કે કેટલાક ગ્રંથનાં નામોની ઉત્તર ભાગમાં અંગ, ઉપાંગ, કુલક પ્રકરણ, સંગ્રહણ કે એનાં પ્રાકૃત રૂપે જોવાય છે. આ ઉપરાંત કેટલાકના અંતમાં તદ્દગત વિષયસૂચક શબ્દ પણ જોવાય છે. આવા શબ્દો તરીકે સ્ત્રોત, નાટક ઇત્યાદિને નિર્દેશ કરી શકાય,
કેટલાક પ્રથનાં નામો તેના વિભાગાદિ ઉપર પ્રકાશ પાડે છે. જેમકે દશાધ્યાયી, વગેરે.
૧૫ અનુગાર (સ. ૧૩૦) માં જે દસ પ્રકારનાં નામે ગણવેલાં છે તેમાં “આદાનપદ” પતૃસ્ત છે.
૧૬ જુઓ G. B, R A. s. vols III-Iv, P. 470.
For Private And Personal Use Only