________________
૬૨
મહારાજે શ્રી હી પ્રશ્નમાં ફરમાવેલ છે, અને આ. શ્રી દાનજીિમાં પણ પિતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૧૦૬ ઉપ “આ પાઠમાં શ્રી જગદગુરુ (હીરસૂરિજી મહારાજ પંચમીનું જેમ આરાધના થાય તેમજ ફરમાન કરે છે.' એ પ્રમાણે તદ્દન સ્પષ્ટપણે જણાવે છે, એ જોતાં એ જેડીયા પરની મહત્તા આપણને ઘણી સમજાય છે. આથી આપણે આ ભા. શુ ૪-૫ના જેડીયા પર્વને સદા કાળથી જોડે જ ઊભું રાખીને આરાધતા આવ્યા છીએ, અને તેમાં જ અવિચ્છિન્ન પરંપરાનુસારીપણાનું ગૌરવ લઈએ છીએ. તદનુસાર આ સંવત્સરી પણ તે ભા. શ. ૪-પનું જેડીયું પર્વ આપણે જોડે જ ઊભું રાખી શકીએ તે જ સાચી સંવત્સરીની આરાધના પામી શક્યા, એમ સંતેષ અનુભવી શકીએ તેમ છીએ સં. ૧૯૯૨ સુધી ન વર્ગ પણ આપણું માફક તે ૪ અને પાંચમનું જેડીયું પર્વ જોડે જ ઊભું રાખીને ભા. શુ. ૪ના દિવસે સંવત્સરી અને તેની પછીના ભા. શુ. પાંચમના દિવસે અક્રમને છેલ્લે ઉપવાસ કરી કરાવીને જ સંવત્સરી પર્વનું આરાધન કરતો હતો.
આમ છતાં ખેદની વાત છે કે-“સં. ૧૯૯૨ના શ્રાવણ માસે નવો તિથિમત કાઢયા પછીથી આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી અને તેમના દેરાઈ જવા પામેલા નવાવર્ગે સં. ૨૦૦૪માં ચંડાંથચંડમાં ભા શુ. ૫ને ક્ષય આવ્યો હતો તે પ્રસંગે ઉદયાત ચોથને બહાને પાંચમને ઊભી રાખવાની વાત છેડીને “૪૫ ભેળાં એક દિવસે આરાધાઈ જાય છે એમ કોઈપણ શાસ્ત્રના આધાર વિના જ કહેવા અને પ્રચારવા લાગી ગયા! પરિણામે તેઓને તે ૪-૫નું બે દિવસ સંલગ્નપણે આરાધવાનું જેડીયું પર્વ ઉડાવી દેવાના ભયંકર દેશના ભાગી બનવું પડ્યું, અને સમાજને આ પર્યુષણા જેવા મહાન પર્વને આરાધવાની સુવર્ણપણેજ કલેશમાં સબડવાનું બન્યું !!"
સં. ૨૦૦૪માં ભા. શુ. અને ક્ષય આવેલ, એ પ્રમાણે સં. ૧૯૫-૬૧ અને ૮૯માં ભા. શુ. પને ય તે આવેલ જ હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com