Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 10
________________ પર્યુષણનું ન જી - " કહી ખાસ કૃત્ય લેખકઃ–શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી ૧) યુષણ અહનિકા વ્યાખ્યાનમાં પર્યુષણ પર્વમાં કરવાનાં ૧૧ કૃત્ય બતાવ્યાં છે, તે બધાં યથાશક્તિ અવશ્ય કરવા યોગ્ય છે, પરંતુ તે સર્વ કૃત્યોમાં પરસ્પર ખમાવવારૂપ કૃત્યે મારા હૃદયનું વિશેષ આકર્ષણ કર્યું છે. જેનધમ સિવાય આ પ્રવૃત્તિ અન્ય ધર્મોમાં દૃષ્ટિગત થતી નથી. આ પ્રવૃત્તિ-પરસ્પર ખમાવવાની–એટલી બધી લાભદાયક છે કે જ પ્રત્યેક જૈનબંધુ તેને અમલમાં મૂકે અને સંવછરીને દિવસે પરસ્પર ખમીખમાવીને જે ત્યાં સુધીનાં સર્વ જીવોની સાથેના ખાતાં ચકતાં-ભર પાયા કરી દે-બાકી લેણું દેવું કાંઈ પણ ન કાઢે-કોઈ પ્રકારને કલેશ-દ્વેષ કુસંપ બાકીમાં ન રાખે તો કેટલા બધા ઝગડા પતી જાય, કેટલાં આત્તધ્યાનનાં નિમિત્ત ઘટી જાય અને કોર્ટે ચડીને કરાતાં કેટલાં ખર્ચે આળસી જાય? પરંતુ આ બામણુ ઉપરથી નહીં–માત્ર વચનદ્વારા નહીં, પરંતુ શુદ્ધ અંતઃકરણથી કરવા જોઈએ, કઈ જાતનું મલિનપણું રાખવું ન જોઈએ, તેમ પર્યુષણ પછી ત્યારે અગાઉનું કલેશનું નિમિત્ત સંભારવું કે યાદ આપવું પણ ન જોઈએ. આ ક્રિયાના લાભની હદ નથી, કારણકે આધ્યાન વડે આ જીવ જેટલાં કર્મ બાંધે છે તેટલાં બીજા કશાથી બાંધતા નથી, તે સર્વ કર્મબંધનાં કારણે આ ક્રિયાથી બંધ થઈ જાય છે–અટકી જાય છે. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ પુચ પ્રકાશના સ્તવનમાં મોક્ષમાર્ગ આરાધનના દશ પ્રકારો પૈકી ત્રીજે પ્રકાર પરસ્પર ખમતબામણુ કરવાને નીચે જણાવેલા શબ્દોમાં કહે છે : જીવ સેવે ખમાવીએ સા. નિ ચોરાશી લાખ તો; મન શુધ્ધ કરે ખામણું સા. કેઈશું રોષ ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંતા સા. કેઈ ન જાણે શત્રુ તે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 646