Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 8
________________ અંક ૧-૨ ]. તંત્રીરથાનેથી થયું હોવાથી, દરેક વિષયના પ્રખર વિદ્વાને આપણે ત્યાં હોવા છતાં, લેખે મેળવવામાં મુશ્કેલી નડે છે. પણ અમારી તે એ ઉમેદ છે કે ધીમે ધીમે આ માસિક દ્વારા એ પૂજ્યની વિજ્ઞાન વિશેષ લાભ સમાજને આપ. અમારી આ ઉમેદ કેટલેક અંશે સફળ પણ છે. વળી આ માસિક તે એ પૂજ્યાનું જ છે એટલે જરા પણ સંકોચ રાખવાની જરૂર જ કયાં રહી? - ૨ માસિકને પ્રચાર કરીને સારા સાહિત્યનું વાચન એ ધર્મ-સંસ્કારનું આવશ્યકીય અંગ છે. પિતાના વિહાર દરમ્યાન ગામે ગામ ફરતા પૂજ્ય મુનિરાજે ત્યાં ત્યાંની જન જનતાને આ માસિકથી પરિચિત કરીને તે માટે પ્રેરણા કરી શકે. કોઇ પણ પત્રનું મુખ્ય જીવન એના ગ્રાહકે છે. ગ્રાહકોની સંખ્યા જેમ વધુ તેમ એ પત્ર વધુ સદ્ધર. ગ્રાહકો વધવાથી પત્રને બે રીતે લાભ થઇ શકે : એક તે નિયમિત આર્થિક આવક થતી રહે અને બીજું એ પત્રના વાચનને ફેલ થાય. આપણું પૂજ્ય મુનિરાજે “શ્રી જૈન સત્ય પ્રકાશ” માટે આ તરફ લક્ષ્ય આપે તે માસિકને પુષ્કળ લાભ થઈ શકે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં માસિકને આર્થિક મ દ કરવાને પણ ઉપદેશ આપી શકે. ૩ એગ્ય સૂચનાઓ મોકલીને. સમયે સમયે, માસિક કઈ રીતે વધુ આકર્ષક અને સારૂં બને તે માટે જરૂરી સૂચનાઓ અમને મળતી રહે તે અમને અમારા કાર્યમાં વિશેષ સરળતા રહે. વળી પ્રતીકારને વેગ્ય જે જે સાહિત્ય તેઓના જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરીને પણ તેઓ અમને સહકાર આપી શકે. આ માટે તે અમે પૂજ્ય મુનિરાજોની જેમ સી જૈન ભાઈઓને પણ સહકાર માગીએ છીએ માસિકના ગત ત્રણ વર્ષ દરમ્યાન જે જે પૂજ્ય મુનિરાજે તથા અન્ય વિદ્વાનો તરફથી અમને સહકાર મળે છે તેમને તથા જે જે સદગૃહસ્થો તરફથી આર્થિક મદદ મળી છે તેમને અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેમને એ સહકાર ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. પ્રસ્તુત વિશેષાંકની યોજના લગભગ છએક મહિના પહેલાં તૈયાર કરવામાં આવી હતી. આ યોજના પ્રમાણે આ વિશેષાંક “ શ્રી જન સત્ય પ્રકાશ ના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના પ્રથમ વિશેષાંક- અનુસંધાનરૂપે પ્રગટ કરવાનું હોઈ આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષને લગતા જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા લેખો આપવામાં આવ્યા છે. આ રીતે અમારા આ બે વિશેષાંકથી ભગવાન મહાવીર સ્વામી અને તેમની પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતું કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયું છે. હવે પછીનો ત્રીજો વિશેષાંક અમે ત્યાર પછીના બીજા હજાર-બાર વર્ષના જન ઈતિહાસને લગતા પ્રસિદ્ધ કરવાની ઉમેદ રાખીએ છીએ, કે જેથી એક સળંગ જન ઈતિહાસને લગતી સામગ્રી એક જ ઠેકાણેથી મળી શકે. આ વિશેષાંકમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણના સમય સુધીના ઇતિહાસની સામગ્રી આપવાની હોવાથી અને કલ્પસૂત્રના જાહેર વાચનને પ્રારંભ તેઓના સમયમાં થવાથી તેમજ આ અંક પર્યુષણ પની લગભગ પ્રકાશિત થવાનું હોવાથી આનું નામ “ પર્યુષણ પર્વ વિશેષાંક' રાખ્યું છે. અમારી ઇચ્છા તે પર્યુષણ પર્વ દરમિયાન જ આ અંક અમારા વાચકો પાસે પહોંચી જાય એવી હતી, પણ લેખે મોડા મળવા વગેરે અનિવાર્ય સંગને લઈને અમે તેમ કરી શક્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 646