Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
૧૭૬
જૈનધર્માં વિકાસ.
શ્રી નાગમ પ્રશ્નમાળા યાને પ્રશ્નાત્તર કલ્પલતા
લેખક:-આચાર્યશ્રી વિજયપદ્મસૂરિજી (ગતાંક પૃષ્ઠ ૧૩૦ થી અનુસંધાન. )
૬૦-પ્રશ્ન—શ્રીવિજયદેવસૂરિજીના જન્મ વગેરે કયા સ્થલે કઇ સાલમાં થયા? ઉત્તર—(૧) જન્મ-ઇડરમાં વિ॰ સ’૦ ૧૬૩૪ પોષ સુદ તેરશ રવિવારે. (૨) દીક્ષા-અમદાવાદમાં શ્રી હીરસૂરિ મહારાજે વિસ૦ ૧૬૪૩ માહ સુદ્ધિ દશમે. તે જ દિવસે એકજ ટાઈમે તેમની (વિજયદેવસૂરિજીની પૂર્વાવસ્થાના ) માતુશ્રીને પણ શ્રીવિજયહીરસૂરિજીએ દીક્ષા આપી. એટલે મા-દીકરાની દીક્ષા સાથે થઈ. (૩) પંન્યાસપટ્ઠ-સીકંદરપુરમાં વિ॰ સ૦ ૧૯૫૫ માં. (૪) વાચકપદ અને સૂરિ પદવી—મભાતમાં વિ॰ સ૦ ૧૬૫૬ ના વૈશાખ સુદ ચેાથ. (૫) સ્વર્ગવાસ–ઉનામાં વિ૰ સ’૦ ૧૭૧૩ અષાડ સુદિ અગીઆરસે ૭૯ વર્ષ ની ઉંમરે, ૬૧–પ્રશ્ન—શ્રી વિજયસિંહસૂરિજીના જન્મ વગેરે કઈ સાલમાં કયે સ્થલે
થયા?
ઉત્તર(૧) જન્મ—મેદનીપુરમાં વિ. સ. ૧૬૪૪ માં (૨) દીક્ષા-વિ. સં. ૧૬૫૪ માં દશ વર્ષની ઉંમરે. (૩) વાચકપદ વિ. સ. ૧૬૭૩ માં એગણત્રીશ વર્ષોંની ઉંમરે. (૪) આચાર્ય પદ્મ-વિ. સં. ૧૬૮૨ માહ સુદ ૧૦ સામવારે અડત્રીશ વર્ષની ઉંમરે. (૫) સ્વર્ગવાસ-વિ. સ. ૧૭૦૯ માં પાંસઠ વર્ષની ઉંમરે. ૬૨-પ્રશ્ન—પન્યાસ સત્યવિજયજીના જન્મ વિગેરે કઈ સાલમાં કચે સ્થલે થયા?
ઉત્તર—(૧) જન્મ-વિ. સ. ૧૬૮૦ માં, દીક્ષા-વિ. સં. ૧૬૯૪ માં ચોદ વર્ષોંની ઉંમરે, (૩) પન્યાસપદ્મ-મારવાડના સેાજત ગામમાં વિ. સં. ૧૭૨૯ માં ઓગણપચાશ વર્ષની ઉંમરે, (૪) સ્વર્ગવાસ-પાટણમાં વિ. સં. ૧૭૫૬ માં ૭૬ વર્ષની ઉંમરે.
૬૩–પ્રશ્ન—પન્યાસ કપ્રવિજયજી મહારાજના જન્મ વગેરે કઈ સાલમાં કયા સ્થલે થયા ?
ઉત્તર—(૧) જન્મ વિ. સં. ૧૭૦૬ માં, (૨) જ્ઞાતિ-ચેારવાડ જ્ઞાતિના તે હતા. (૩) દીક્ષા-વિ. સં. ૧૭૨૦ માં ચૌદ વર્ષની ઉંમરે, (૪) શ્રી વિજયપ્રભસૂરિજીએ પન્યાસપદ આપ્યું. (૫) સ્વર્ગવાસ—વિ. સં. ૧૭૭૫ શ્રાવણુ વદિ ચૌદશે થયા. વિશેષ મીના તેમના જીવન ચરિત્રમાં જણાવી છે.
૬૪-પ્રશ્ન—પંન્યાસ . ક્ષમાવિજયજીના જન્મ વગેરે કઇ સાલમાં કયે ચલે થયા ?

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28