Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 3
________________ જનધર્મવિકાસ. પુસ્તક ૩ જુ. કારતક, સં. ૧૯, અંક ૧ લો. સ્વાથી–સંસાર. રચયિતાઃ પૂઆ. શ્રી વિજયનેમિસૂરિશ્વર પ્રશિષ્ય મુનિ શ્રી રામવિજયજી મ. (ગતાંક પૃષ્ઠ ૩૭૩ થી અનુસંધાન). પુત્ર વધુ બેલે મઢેથી, સસરાજી મારે છે કાજ, છેયાના બાલોતીયા ધોવા, તળાવ પર જાવું છે આજ; ટપટપ તમે કરે છે શાનાં, મનમાં નથી ગમતું લગાર, એમ કહીને જલદી ચાલી, સસરાજી તે કરે ઉચ્ચાર. (૧૩) સાંભળો પુત્ર વધુજી તુમે, મારા મુખથી એકજ વાત, ગુપ્ત વાત કહેવા મન મારૂં, ઉલસે છે તે સાતે ધાત; ઘર આપણું નામાંક્તિ, વજન પરિજને યશ ગવાય, જુની પુજી તિજોરીમાં, કેડે કુંચી ભરી રખાય. સાચા મેતી માળા સારી, આપવા ઈચ્છે મારું મન, કાળે આવી પકડયું મારું, દેખ વહુજી મારૂં વદન સાંભળી કંચન ગૌરી હરખી, સસરાજીના મધુર વચન, આશા પુરે વહુજી તણુયા, હવે કેણ કરે જતન્ન. સાંભળો સસરાજી હું તમને, પાય પડી કરૂં વિનતિ એક, શીરો પાપડ તાજાં ખાજા, બનાવી આપુ ધર ટેક; કહે તે તાજી શું લાવું, કેશર ભરીયાં સકકર દૂધ, ધીરજ ધારે જલદી આવું, રાખું મનડે સારી શુદ્ધ. બુદ્ધિ ધનની યુક્તિ કરતાં, પંદર દિવસ સુખે જાય, બીજા વારે રૂપવતીના, વારાના દિન શરૂ થાય; ટાઢી ખીચડી ઘી વિનાની, ખરે બપોરે દર્શન થાય, ચંદનહારની લાલચ આપી, પંદર દિવસે સુખે પમાય. (૧૭) ત્રીજે વારે મનેહરા નામે, પુત્રવધુ ત્રીજીના ઢંગ ત્રીસરા પંચસરા હારાની, લાલચ આપે માયા સંગ; પંદર દિવસે સુખે જાતાં, સરસ્વતી વધુ ચોથી ચંગ, હીરે જડીયા ને જડીયા, કંકણ આશે બેલે ચંગ. . (૧૮)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28