Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશે. નિજ નિજ મવડે મુક્તશુક્તિ મુદ્રાથી વાયુકુમાર પ્રમુખ દેવેનું આહ્વાન કરી પછી તગ્ય કિયા કરવી. ૧૨. વાયુકુમારનું આહ્વાન કર્યા પછી સમવસરણ ભૂમિમાં સારી રીતે પ્રમાર્જન કરવું અને મેઘકુમાર દેવાનું આહ્વાન કરીને ત્યાં સુધી જળની વૃષ્ટિ કરવી. ૧૩. રૂતુદેવીઓનું આહ્વાન કરી સુગધી ,પાની વૃદ્ધિ કરવી અને અગ્નિકુમાર દેવેનું આહ્વાન કરી ત્યાં કલાગુરૂ પ્રમુખ ધૂપ ઉખે એમ કેટલાક આચાર્યો પછી વૈમાનિક, તિ અને ભવનપતિ દેવના આદાન પૂર્વક રત્ન, સુવર્ણ અને રૂપાને વર્ણ જેવા ત્રણ ગઢની રચના ત્યાં કરવી. ૧૫. અંતર દેવેનું આહ્વાન કરીને તેરણ પ્રમુખની રચના કરવી તથા અશોક વૃક્ષ, સિંહાસન, છત્ર, ધર્મચક અને મહેન્દ્રધ્વજાદિકની પણ રચના કરી. ( આદિ શબ્દથી સુવર્ણ કમળ અને ઉજવળ ચામર પ્રમુખની રચના પણ સમજી લેવી. ) ૧૬. ત્યારબાદ ત્યાં ઉત્કૃષ્ટ (પ્રધાન) ચન્દનની ઉપર સકળ જગના પરમ પૂજ્ય ત્રિભુવનગુરૂ શ્રી જિનેશ્વરના ચઉમુખ બિંબની સ્થાપના કરવી. ૧૭. ભુવનગુરૂની અગ્નિકેણે એક બીજાની પાછળ ગણધર મહારાજ, સાતિશ યાદિ મુનિરાજે, વૈમાનિક દેવીઓ તથા સાધ્વીઓની સ્થાપના કરવી. ૧૮. નરૂત્યકોણે ભુવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ સંબંધી દેવીઓની સ્થા'પના જાણવી. ૧૯. વાયુકોણે ભુવનપતિ, વાણવ્યંતર અને તિષ દેવેની સ્થાપના કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવેલું છે. ૨૦. ઇશાન કોણે વૈમાનિક દે, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીના સમુદાયની મંગળકારી સ્થાપના પિતાપિતાના દેહ સંબંધી વર્ણસહિત કરવી. ૨૧. " એવી રીતે પહેલા પ્રાકાર (ગઢ) માં બાર પર્વદાની સ્થાપના કરી બીજા પ્રાકારમાં દેવતાની પેરે પિતતાના શરીરના વર્ણસહિત સાપ, નેળીયા, મૃગ અને કેશરી સિંહ પ્રમુખ તિર્યંચ ની સ્થાપના અને ત્રીજા પ્રકારમાં હાથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36