Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય શતક. श्री वैराग्य शतक. આ રેગ અને દુઃખથી ભરપૂર એવા અસાર સંસારમાં સુખ નથી, આ બાબત જાણવા છતાં જીવ જિનેશ્વરે કહેલે ધર્મ આચરતા નથી. ૧ આજ, કાલ, પિર, પરાર ધન મળશે એમ મનુ ચિંતવે છે, પણ છેબામાં રહેલા જળની માફક આયુષ્ય ગળે છે તે જોતા નથી ! ૨. હે મનુઓ ! જે કાલે કરવાનું હોય તે ત્વરાથી આજે કરે. કાળ બહુ વિઘવાળે છે; માટે બીજા પહેરની પણ રાહ જોતા નહિ. ૩. સંસારના સ્વરૂપનું ચિત્ર તે જુઓ ! રાગ અને સ્નેહમાં લાગેલા પુરૂષ જે સવારમાં જોવામાં આવ્યા હતા તે સાંજે જણાતા નથી. ૪. | હે લેકે ! જાગવાને ઠેકાણે સૂઈ ને રહો ! નાસવાની જગ્યાએ વિશ્રામ ન કરે! રેગ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ આ ત્રણ તમારી પેઠે લાગેલા છે. પ. ચંદ્ર અને સૂર્યરૂપ બળદ રાત્રિદિવસરૂપ ઘડાની હારવડે જીવનું આ યુષ્યરૂપ જળ ગ્રહણ કરીને કાળરૂપ અરહદને ફેરવે છે. ૬. કાળરૂપ સર્પથી ખવાતી કાયા જેથી ધારી રખાય તેવી કોઈ કળા નથી, તેવું કઈ ઔષધ નથી, તેમજ તેવી કઈ હકમત નથી. ૭. મોટા શેષનાગરૂપી જેનું નાળવું છે, પર્વતે જેવી જેની કેસરા છે, દિશારૂપી જેનાં પાંદડાં છે, એવા પૃથ્વીરૂપ કમળમાંથી મનુષ્યરૂપી રસને કાળરૂપી ભ્રમર પી જાય છે એ ખેદની વાત છે. ૮. - શરીરની છાયાના બહાનાવડે સર્વ જીવોના છિદ્રને શેધત કાળ કઈ પણ વખતે મનુષ્યની બાજુને છોડતું નથી (સાથે જ રહે છે), તેટલા માટે ધર્મમાં ઉદ્યમ કરે. ૯. આ અનાદિ કાળમાં જુદી જુદી જાતના કર્મને વશ થયેલા છેને એવી એક પણ સ્થિતિ નથી કે જે ન સંભવે, ( અર્થાત્ સઘળી સ્થિતિઓમાં આ જીવ જઈ આવેલા છે. ) ૧૦. સર્વ બાંધો, મિત્રે, પિતા, માતા, પુત્ર, સ્ત્રી વિગેરે મનુષ્ય મરેલા સ્વજનને જળની અંજળી આપી સ્મશાનમાંથી પાછા વળે છે. ૧૧. રે! જીવ ! પુત્ર તથા પુત્રીઓનો વિયોગ થાય છે, બાંધવાનો વિચાર થાય છે, સ્ત્રીઓને વિયેગ થાય છે, ફક્ત એક જ વિયેગ થતું નથી અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36