________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
જ્ઞાનસાર સૂત્ર વિવરણ. ઇદ્રિને અશુભ વિષે માંથી નિવારી શુભ વિષમાં જોડી દે છે. તે એવી બુદ્ધિથી કે, રાગદ્વેષાદિક વિભાવ પરિણતિ મંદ થાય અને આત્માની સહજ નિષ્કપાય વૃત્તિ પ્રગટ થાય. સતત અભ્યાસથી મન અને ઈદ્રિય ઉપર કાબુ રાખી તેમને સ્વવશ કરી લે તે જિતેન્દ્રિય સમજવા. ઉપર જણાવેલા વિશેષણે યુકત મુમુક્ષુ જેને જો ક્ષના ખરા અધિકારી છે, અથવા તેલના અધ મુમુક્ષુ જનોએ પૂર્વોક્ત વિશેષણને સંપૂર્ણ લક્ષમાં લઈ સ્વધર્મ પરાયણ રહેવું જોઈએ. તે વિના મોક્ષ સુખ દુર્લભ છે. - સંક્ષેપમાં પ્રથમ તે સાધુજનોને ઉચિત છે કે, તેમણે સદગુરૂ સમીપ વિનય બહુમાનપૂર્વક અધ્યાત્મ લક્ષ જાગે એટલે સ્વરૂપના બેધ સાથે સ્વસ્વરૂપ સામીજ દષ્ટિ બની રહે તેવું તત્વજ્ઞાન અભ્યાસ વડે સંપાદન કરી લેવું.
બીજું–-તેવું તત્વજ્ઞાન મેળવી સ્વરૂપ સાક્ષાતકાર કરવા એટલે કષાયાદિક પ્રમાદ દૂર કરી આત્મા નિર્મળ થાય તેવા અનુકુળ સાધન સેવવારૂપ સંયમક્રિયામાં સદાય સાવધાન રહેવું. તેમાં લગારે શિથિલતા કરવી નહીં. શક્તિ વગર અશકા અનુષ્ઠાન કરવા પ્રવૃતિ કરવી નહીં તેમજ મિથ્યાડંબર પણ કરે નહી. સ્વશક્તિ અનુસાર તેમજ રવ અધિકાર અનુસાર ધર્મકરણી સ્વ કર્તવ્ય સમજીને કરવા ખપ કયાં કરવો. કરવામાં આવતી કે પ્રથમ કરેલી કરણને મદ કરે નહિ, તેમજ બળ જે શુભ કિયા અભ્યાસરૂપ કરતા હોય તેમને કુયુક્તિથી અટકાવવા નહિ. અને પોતે જાતે કંઈ કપટકિયા કરી ભેળા લોકોને ઠગવા નહિ. તેમજ તેવી વંચક કરણથી કઈ પણ મનમાં રાચવું નહિ. યતઃ—“ બાઝનુસાર ત્રિજ્યા, છે સો મતિઢીને; પશિયાવલે जग उगे, सो नी भवजलमीन."
ત્રીજું–નિષ્કપટપણે જે કંઈ સંત્સર્ગ કે અપવાદરૂપ (વિધિ–નિરૂપ) સંયમ કરણી કરવી પ્રાપ્ત થાય તે પૂર્વે જણાવ્યું તેમ ચપળતા, અરૂચિ અને ખેદ પ્રમુખ દે ટાળી જેમ સ્થિરતા ( ચિત્તની સ્થિતિ સ્થાપના) જળવાઈ રહે તેમ કાળજીથી સાધ્ય લક્ષમાં રાખી પ્રસન્નતાથી કરી, ખરી શાંતિ-સમાધિ સુખને અનુભવ કરે.
એ શું-મુમુક્ષ જનોએ સદાય ઉદાર-ઉદાત્ત ભાવનાઓને આશ્રય કરે. ઉદાર ભાલના ગે મન વિશુદ્ધ બને છે. અને તેથી રાગ દ્વેષાદિક દે દૂર થઈ સમતા-શાંતિ-સમાધિ સુખ પ્રભવે છે. તેથીજ શાસ્ત્રકારોએ સદ્દભાવનાને અપૂર્વ અમૃત યા રસાયણ સદશ સુખદાઈ બતાવી છે.
પાંચમું–વિષમ એવા દુર્ગતિના માર્ગમાં ખેંચી જનારા મન અને ઇદ્રિ
For Private And Personal Use Only