Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4 ו શ્રીહર્ષમ પ્રકાશ. સ્ત્રીવર્ગે ઊત્તર દિશા તરફ એટલે ડાબી બાજુએ ઊભા રહીને દર્શન કરવા એ પ્રમાણે શ્રી પ્રવચનસારાહાર તથા શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથો માં પૂર્વાચાર્યેા કથન કરી ગયેલા છે. વિનયચંદ્ર-છનીંભથી કેટલે દૂર રહીને દર્શન કરવા ? જ્ઞાનચંદ્ર--.દર્શન કરવાના ક્ષેત્રની મર્યાદા નિમિત્તે જઘન્ય, મ ધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ અવગ્રહ હરાવેલા છે. જઘન્ય અવગ્રહ નવ હાથના કહેલા છે, ઊત્કૃષ્ટ અવગ્રહ સાડ હાથના કહેલા છે, અને નવથી આગણસાઠ હાથ સુધીનાં અવગ્રહને મધ્યમ અવગ્રહની સંજ્ઞા આપેલી છે. આ પ્રમાણે અવગ્રહ હરાવવાની મહલમ એમ છે કે દર્શનાર્થે આાવનાર સ્ત્રી પુરૂષોએ ભગવંતથી એછામાં ઓછા નવ હાથ દૂર રહી દર્શન કરવા પરંતુ હાલમાં ઘણા જીનમંદીરો નાના હોવાથી જઘન્ય અવગ્રહે જે નવહાથના કહેલા છે તે મર્યાદા વિશેષ રીતે દ્રષ્ટીગત થતી નથી. ફકત એટલીજ મર્યાદા જણાયછે કે ગભારાથી બહાર રહીને દર્શન કરવા. વિનયચંદ્રજીનમંદીરમાં દર્શન કરવા જનારને સર્વ વસ્તુએ અંદર લઇ જવાની છુટછે કે કેમ? જ્ઞાનચંદ્ર-દેહેરાસરના આઘદ્વારમાં પ્રવેશ કરતાં પાંચ ઞભીગમન સાચવવા કહ્યાછે તેમાંના પહેલા તથા બીન અભીગમનમાં કહ્યુંછે કે સચીત દ્રવ્ય બહાર મુકવું અને અચીત બહાર ન મુકવું. વિનયચંદ્રજ્યા૨ે સચીત દ્રવ્ય બહાર મુકવાનું કહ્યુંછે ત્યારે ભગવંતની પૂજનનિમિત્તની પુષ્પ, ફળ તથા નૈવેદ્ય વગેરે સચીત ૧ ૧. અન્ય દર્શનએમાં સ્ત્રી પુરૂષના એકરામુહે દર્શન કરવાના કારણ થી કેટલીએક જાતના યાંગ્ય વ્યાયરણા થાય છે; અને તે બાબત હાલના ધણા સુધરેલા ભાગમાં નિંદા પણ થઈ રહેલી છે, પરંતુ જેની રીતી અને સ્થિતિ અત્યંત પ્રશસ્ય છે એવા ભાપણા સર્વોત્કૃષ્ટ નમતના અંદર પ્રાચિનકાળથી સ્ત્રી પુરૂષોને દર્શન કરવા માટે હી હૃદી દિશા જ મુકરર કરી રાખેલી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20