________________
ઇષ્ટોપદેશ
આત્મતત્ત્વમાં સ્થિર થયેલા યોગીનું સ્વરૂપ
શ્લોક-૪૧
ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥ બોલે તોયે ન બોલે તે, ચાલે તોયે ન ચાલતા; સ્થિરતા આત્મતત્ત્વે જો, દેખે તોયે ન દેખતા.
અન્વયાર્થ [સ્થિરીકૃતાત્મ તત્ત્વ:] જેમણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તેઓ [તુ ધ્રુવન્ અપિ ન ધૂતે] બોલતા હોવા છતાં બોલતા નથી, [ઘ્ધર્મપિ ન "ઘ્ધતિ] ચાલતા હોવા છતાં ચાલતા નથી અને [પશ્યન્ સપિ ન પતિ] દેખતા હોવા છતાં દેખતા નથી.
૪૧
-
—
અર્થ
જેમણે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા યોગી બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી અને દેખતા હોવા છતાં દેખતા નથી.”