________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અવિદ્યાની ઉપાસના કરે છે, તથા જે એકાતનિરપેક્ષ શુષ્ક જ્ઞાનવાદી છે તે પણ અવિદ્યારૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. જે ગ્ય ધમ્ય ક્રિયાને નિષેધ કરે છે તે મિથ્યાજ્ઞાની છે, તથા જે શુદ્દનિશ્ચયજ્યકથિતજ્ઞાનને નિષેધ કરે છે અને સદા સર્વદા સ્વર્ગકામની ઇચ્છાવાળ જૈ યજ્ઞકર્માદિનાં કર્મોનુંજ મંડન કરે છે તે પણ અજ્ઞાની ક્રિયાવાદી છે. જે સર્વથા એગ્ય દિયા કમપ્રવૃત્તિ કરવાને નિષેધ કરે છે અને સર્વથા આત્માને અબંધ અક્રિય માને છે, આત્માની સાથે કર્મને બંધ છે જ નહીં એમ એકાંત માને છે તે એકાંત અક્રિયાવાદી તથા શુષ્કજ્ઞાની છે. હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર વગેરે પાપકર્મોથી આત્માને કમને બંધ થાય છે એમ માનતું નથી, તથા રવ નરકને કલ્પના માત્ર ગણે છે તથા રાગદ્વેષથી સંચિતાદિકર્મબંધ છે એમ જે માનતે નથી તે એકાંતમિથ્યાજ્ઞાનવાદી છે, તથા તે અદિયાવાદી છે તે પરાવિદ્યાથી કરેડે ગાઉ દૂર છે તે જડવાદી સમાન છે. કર્મવાદી કર્મક્રિયાકાંડ કરવાને એકાંત નિશ્ચય ધારે છે, તે કર્મથી રહિત આત્મા શુદ્ધ થાય છે એમ માનતા નથી. હિંસાદિકથી તે નિવૃત્ત થતું નથી. સૂત્રકૃતાંગ વગેરે સૂત્રોમાં જ્ઞાનવાદી, ક્રિયાવાદીના ભેદે ગણાવ્યા છે. અજ્ઞાનવાદી છે તે અજ્ઞાનમાં સુખ માને છે અને જ્ઞાનથી રાગદ્વેષાદિ ભેદ પ્રગટે છે એમ માને છે તે પણ અજ્ઞાની છે અને તે અવિદ્યાની ઉપાસના કરી ઘેર અંધકારમાં પ્રવેશે છે. એકાંતશાનવાદી પણ વિદ્યાના એકાંત કદાગૃહપક્ષથી ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અક્રિયાવાદી આત્માને એકાંત અક્રિય અબંધ માને છે, આ
ત્યા કેઈ પણ ક્રિયા કરતું નથી, મનની તનુની ક્રિયાથી આત્માને બંધ પણ નથી તેમજ મેક્ષ નથી.આત્માને સાંસારિક હિંસાદિ ક્રિયાઓ કરતાં પુણ્ય અને પાપને બંધ થતું નથી એમ જે એકાંત નિરપેક્ષ માને છે અને મહાપાપ અનીતિ કરતાં જે ખચકાતે નથી તથા આકાશની પેઠે આત્માને એકાંત અક્રિય અકર્મો માનીને પશ્ચાતાધિકાર
For Private And Personal Use Only