Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૨૦ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા ૧૫. વિવેકવાનુ-આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આત્માથી આત્માને વિષે જાણે, તે છે કારક છે. એ છ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી જ્વરની સાથે આસક્ત થવાનું કયાંથી હોય? સંસારમાં શરીર, આત્મા અને આદિ શબ્દથી વચન, ચિત્ત, ચેતન્યાદિને અવિવેકઅભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માદિનું ભેદ પરિજ્ઞાનઆત્માની એકતાને નિશ્ચય કટિ જન્માવડે દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવે શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. એવા ભેદજ્ઞાની તે જ વિવેકવાન કહેવાય છે. ૧૬. માધ્યસ્થ–સ્વપક્ષમાં સત્ય અને પરપક્ષમાં નિષ્ફળ એવા નમાં જેનું મન તુલ્ય સ્વભાવવાળું છે, તે મહામુનિને માધ્યસ્થ જાણવા. તે અપક્ષપાતપણાએ કરીને તત્ત્વની પરીક્ષા કરનાર છે એમ સમજવું, પરંતુ એક નયપક્ષી મધ્યસ્થ થઈ શકે નહિ. સર્વ પ્રાણુઓ પોતાના કર્મકૃત આવેશવાળા છે અને પિતાના કર્મ ભેગવે છે. તેમની પ્રત્યે મધ્યસ્થ પુરુષ રાગદ્વેષ નહિ ધરતાં સમવૃત્તિથી રહે છે. પરચિંતા રાગાદિને હેતુ છે અને આત્મચિંતા પરમ સુખ આપનાર છે. મધ્યસ્થ પુરુષને મનરૂપી વાછડે યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે, જ્યારે કદાગ્રહીને મનરૂપી મર્કટ તેને પૂછડે કરીને ખેંચે છે. ૧૭. નિર્ભથવાનુ-આત્માથી ભિન્ન પદાર્થો, કે જે દેહ વિષયાદિમાં સુખ આદિની આકાંક્ષા, આલંકાદિ સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13