Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 8
________________ પારમાર્થિક લેખસંહ [ ૧૨૩ ૨૩. લોકસંજ્ઞાત્યાગ-ભવરૂપી દુર્ગમ પર્વતનું ઉલ્લંઘન કરી શકે એવા છ ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને લેકોત્તર જેની સ્થિતિ છે, એવા મુનિ સંજ્ઞાને વિષે રક્ત થાય નહિ. ઘણું માણસે લકસંજ્ઞાને અનુસરનારા છે, પણ તેથી પ્રતિકૂળ જનાર એક મુનિરાજ છે, તેમ શુદ્ધ માગને અનુસરનાર બહુ જ વિરલ હોય છે. લોકસંજ્ઞાને ત્યાગી અને મત્સર-મમતા વિગેરે જેના નાશ થઈ ગયા છે તે સાધુ સુખમાં રહે છે. લોકનું અવલંબન કરીને બહુ જણાએ કરેલું કર્તવ્ય હોય તો મિથ્યાષ્ટિને ધર્મ કદી તજવા ગ્ય થાય નહિ. લોકસંજ્ઞાએ કરીને હણાએલા એવા પિતાના સત્ય વ્રતરૂપ અંગમાં થયેલી મર્મપ્રહારની મહા વ્યથાને નીચું ગમન કરવું, ઈત્યાદિ કરીને દર્શાવે છે. આત્મસાક્ષિક ધર્મમાં લોક્યાત્રાએ કરીને શું કામ છે? લેકમાં શ્રેયની ઈચ્છાવાળા બહુ છે, પણ કેત્તરમાં બહુ નથી. જેમ રત્નનાં વ્યાપારીઓ હંમેશાં શેડા છે, તેમ સ્વાત્મસાધક પણ બહુ થડા છે. ૨૪. શાસ્રરૂપી દષ્ટિ-જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપી નેત્રથી સર્વભાવને જૂએ છે. જેઓ શાસ્ત્રજ્ઞામાં સ્વેચ્છાચારી છે, તેઓની શુદ્ધ બેંતાલીશ દેષરહિત ભિક્ષા આદિ પણ તેને હિતકારી થતાં નથી, જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનાર નથી, કારણ કે-મિથ્યાત્વ તથા અજ્ઞાનાદિ દેથી તેનું હૃદય દૂષિત છે. શાસ્ત્રમાં કહેલા આચારને જે મુનિ પાળે છે અને શાસ્ત્ર એ જ જેના ચક્ષુ છે, એવા જ મુનિ પરમપદને પામે છે. ૨૫. પરિગ્રહત્યાગ-પરિગ્રહનું જોર એટલું બધું છે કે-તેને વશ થયેલા મુનિવરેની પણ સંગદેષથી મતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13