Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 9
________________ ૨૪ } શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નષ્ટ થાય છે. પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી દૂષિત વચનેરૂપી ખુલીને વેરનાર લિગિઆના-મુનિવેષ ધારણ કરનારાઆના વિકૃત પ્રલાપે। શું સંભળાતા નથી ? અર્થાત્ ઘેલછાના પ્રલાપા સંભળાય છે. પુત્રકલત્રને જેણે ત્યાગ કર્યાં છે, મૂર્છાથી જે રહિત છે તથા જ્ઞાન માત્રમાં જે પ્રતિબદ્ધ છે એવા ચેાગીને પુદ્ગલનિત અંધનથી શું ? બાહ્ય તથા અન્યતર પરિગ્રહને તૃણવત્ તજી દઈ ને જે ઉદાસીનભાવને ભજે છે, તે જ સાચા મુનિ જાણવા. મૂર્છાએ કરીને જેની બુદ્ધિ આચ્છાદિત છે તેને સર્વ જગત્ પરિગ્રહ છે અને મૂર્છાથી જે રહિત છે તેને સર્વ જગત્ અપરિગ્રહ છે. ૨૬. અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રના વ્યાપાર માત્ર દિગ્દર્શન-દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રના પાર પમાડે છે. વિશુદ્ધ અનુભવ વિના સેકડા શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પરિતા કહે છે. ક્ષુધા અને તૃષા, શેક અને માહ, કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિઃકલેશ છે, એવા શુદ્ધ એપ વિના લીપીમય, અક્ષરમય, વાણીમય અથવા હૃદયને વિષે જાકારરૂપ ચિંતન-એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઈ શકે નહિ, પણ ાનિષ્ઠ વિકલ્પને વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને માહના અભાવથી) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સ્વસવેઘ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. ૨૭. ચાગવાનું-આત્માને મેાક્ષની સાથે જેડવાથી સર્વ આચાર પણ ચાગ કહેવાય છે. તેના ભેઢ કરીને સ્થાન, વર્ણ, અર્થ, આલેખન અને નિરાલંબન તે જેતે ગાચર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13