Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૫૯
કરી છે, તે ઉપર નજર રાખી સંસાઈટીએ મેહેરબાની કરી ઠરાવ કર્યો કે,
સાઈટીની નોકરી જે તારીખથી તમે કરવા અશક્ત થશે તથા તમારી જગેનું રાજીનામું આપશે, તે તારીખથી તમારી હયાતી સુધી દર મહીને રૂ. ૨૦) વીશનું પેન્શન* સોસાઇટી તરફથી આપવામાં આવશે અને તમારી હયાતી પછી તમારી સ્ત્રીઓને દર મહીને રૂ. ૮) આઠ દરેકને સરખે હીસે આપવામાં આવશે, તે એવી સરતથી કે તે પ્રત્યેક હિસ્સો તેમની હયાતી પછી બંધ થશે. તમારી હયાતી પછી પેન્શનને મોટે ભાગ સંસાઈટીમાં દાખલ થશે ત્યાર બાદ તમારી નોકરીની યાદદાસ્ત દાખલ શું કરવું તે બાબતના સવાલનો નિર્ણય હવે પછી વિચાર ઉપર રાખેલ છે, એ પ્રમાણે સરવે એકમત થયા.”+
પ્રસ્તુત ઠરાવ રજુ કરનાર ઓનરરી સેક્રેટરી પોતે હતા અને એમણે સન ૧૮૭૭ માં અમદાવાદથી દૂટા પડતી વખતે એમના સન્માનાર્થ જે જાહેર સભા ભરાઈ હતી, તેમાં સોસાઈટી વિષે ઉલ્લેખ કરતાં, નીચે પ્રમાણે ઉ૬ચારે કવિ દલપતરામ સંબંધમાં ઉચ્ચાર્યા હતા
ગુ. વ. સંસાઈટી જે ગૃહસ્થાએ સ્થાપી છે તે આખા દેશને ઘણી ઉપયોગી છે. મેં પાંચ વરશ તે સોસાઈટીના સેક્રેટરીનું કામ ચલાવ્યું, તેથી હું મારા અનુભવથી કહું છું કે એ સોસાઇટીની મજબુતી કવીશ્વર દલપતરામની મહેનતથી થઈ છે. અમે તો તેઓ જે કામ અમારી આગળ રજી કરે તે ઉપર ઉપરથી તપાસીએ પણ ખરી મહેનત તો તેમાં દલપતરામની છે.”
. એવી રીતે નિરરી સેક્રેટરી મહીપતરામભાઈએ, કવિ આંખના અને અવસ્થાના કારણે સાવ અટકી પડયા અને સોસાઈટીની નેકરીમાંથી સન ૧૮૭૯ માં નિવૃત્ત થયા તે વખતે બુદ્ધિપ્રકાશમાં એમની સેવા વિષે નીચે મુજબ નોંધ કરી હતી:
આ કવિરાજે આપણા દેશની સેવા અનેક પ્રકારે બજાવી છે. એમના સિક અને સુબેધકારી ગ્રંથે એમનું નામ ગુજરાતમાં ચિરકાળ રાખશે,
* પાન બાબતમાં નગરશેઠ પ્રેમાભાઇ હીમાભાઈ ડાકટર બુલર સાહેબ, રેવડ ટેલર સાહેબ, રા. બા. બહેચરદાસ અંબાઈદાસ વગેરે મેંબરેના અભિપ્રાય લખાઈ આવેલા અને સભામાં રજૂ કરેલા તે સાઈટીના દફતરમાં આવક નં. ૫૧૫ મે દાખલ છે.
+ ગુ. વ. સે. ને સન ૧૮૭૪ ને રિપેટ, પૃ. ૧-૨. * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૮૪