Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. - ww- તેમને પાણીમાંથી ઉચકવા દેતાં. તેણે પિતાનું ઘર એક જંગલી ઉંદરના માળા પર બાંધ્યું હતું. આખરે તે ઉંદર પ્રથમ બોતે હતા તે આવતા અને તેના પગ આગળથી રોટલી કકડા ઉપાડી લે, પછી તે તેનાં પગરખાં અને તેનાં લુગડાં પર દેતો, અને તે ઉંદર એટલો બધો હળી ગયો કે તે પાટલી પર બેસો ત્યારે તે તેનાં લુગડાં પર તેની બાંહેમાં અને જે કાગળમાં તેનું ભોજન પીરસ્યું હોય તે કાગળની આસપાસ ફુદતે; તે પનીરનો કકડે લેતા ત્યારે તે ઉંદર આવો અને તેના હાથમાં તે કરડને અને ખાઈ રહે ત્યારે માખી પેઠે પોતાનું મોં અને પંજા સાફ કરતે અને ચાલ્યો જતો (કર્તવ્ય પુસ્તક ) સ્વામી રામતીર્થ હિમાલય પર્વતની ગુફાઓમાં રહેતા હતા. વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણુઓ પણ તેને ઈજા કરતાં નહોતાં ( રામતીર્થ ચરિત્ર ) પશુઓ અને પંખીઓ ઉપર સમાનભાવની અસર થાય છે તે મનુષ્ય પર સમાન ભાવની ઘણી અસર થાય તેમાં શું આશ્ચર્ય ? પરસ્પર ઉંચ નીચ નો ભેદ કલ્પીને મનુષ્ય બ્રહ્મભાવની દશાને પ્રાપ્ત કરી શકતાં નથી. સમાનભાવથી આખી દુનિયાના મનુષ્યો પ્રતિ એકસરખી આમભાવના જાગ્રત થાય છે અને તેથી આ ભા, સ્થૂલ ભૂમિકામાં પણ આખી દુનિયાનો સ્વામી બનવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે. આપણું અધ્યાત્મ વિદ્યાદેવીને સાકાર કરીને મન મંદિરમાં તેને પધરાવો અને તેની આજ્ઞા પ્રમાણે આખી દુનિયામાં સમાનભાવ રાખે, પશ્ચાત્ જુઓ કે પૂર્વની તમારી જીંદગી કરતાં હાલની અંદગી કેટલી બધી ઉત્તમ બની છે. એટલું તો કહ્યાવિના ચાલતું નથી કે આર્યોની અને આર્યાવર્તની ઉન્નતિ અર્થે વામજ્ઞાનની ઘણી જરૂર છે. અધ્યાત્મજ્ઞાન વિના સમાનભાવની ભૂમિકા દઢ થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી ઘણું કૃત્રિમ ભેદના કદાચ શમી જાય છે અને પોતાની જીંદગી અમૃત સમાન લાગે છે. અનેક ભવના સંસ્કારથી અયામણાનપ્રતિ વૃત્તિની રૂચિ થાય છે અને તેની પ્રાપ્તિ થાય છે. એક વાર તમારા હૃદયમાં અધ્યાત્મજ્ઞાનનું તેજ પાડી, પશ્ચાત તમારા હૃદય સામું જુઓ-એ પહેલાં કરતાં ઉત્તમ બનેલું તમને જણાશે. દુનિયાના મનુષ્યો જે પોતાના આત્માને ઓળખે તે પાપ પ્રવૃત્તિના ચક્રમાં ચડાવેલા પિતાના આત્માને શાંતિ આપવા સંતોષનું આવાહન કરી શકે. મનુષ્ય પોતાની જીંદગી પર ધારે તે પ્રકાશ પાડી શકે અને પ્રમાદથી પ્રયત્ન ના કરે તે પિતાને અંધકારમાં રાખી શકે. દુનિયા પ્રભુને પૂજવા પ્રયત્ન કરે છે પણ હદયનાં બારણાં ઉઘડયા વિના પ્રભુનાં દર્શન કરવા પણ સમર્થ થતી નથી તે પૂજાની શી વાત કરવી. સમજયા વિના મનુષ્યો લવલવ અને લપલપમાં પિતાની જીંદગીને ઘણે ભાગ થર્થ ગાળે છે. જેણે પોતાની જીંદગી માટે એકાન્ત પથારીમાં બે અણુ ટાળ્યાં નથી અને જેણે પિતાના આત્માને ઓળખવા માટે અત્તરમાં કાંઈપણ વિચાર કર્યો નથી તેવા મનુષ્યો કિરાત કન્યાની પેઠે ચણોઠીના હાર સમાન બાહ્ય સુવણદિ ભૂઘણોથી પોતાને ઉતમ કલ્પી લે છે અને પશ્ચાત તેઓ ઉત્તમ જિંદગીને હારી ચાલ્યા જાય છે. દયાભાવને દર્શાવવામાં અને કૃત્યો કરવામાં મનુષ્યો પાછળ પડે છે તેનું કારણ એ છે કે તેઓ અધાભજ્ઞાનના પ્રકાશથી દયાની વેલડી ી દ્ધિ કરવામાં લક્ષ આપતા નથી. મનુષ્યના દો કાઢવા મનુષ્ય રાત્રીદિવસ જીભને હલાવ્યા કરે છે પણ તેઓને આત્મજ્ઞાનને બેધ દેવા વા લેવા તે જડ જેવા બનીને કોઈપણ સત્ય પ્રયન કરી શકતા નથી. દુનિયાના મનુષ્યોને ઉત્તમ બના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32