Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ પ્રાપ્ત સ્થિતિને પ્રફુલ્લિત કેમ બનાવવી. ! ૨૭૫ કે આવા મહાન તપસ્વીની મેં પૂર્વે ઘણું હીલના કરી છે તે જોકે તે તે ગુણી હેવાથી મારા દુને તથા અપકારને વિસારી ઉપકાર માની ગુણજ ગાય છે પણ મેં તેનું કરેલું અપમાન તથા તેનાથી મને લાગેલું પાપ એ બે મારે માથે કલંક સમાન છે તે કદાપિ પણ ભેંશાવામાં નથી માટે હવે તે મહાત્માની ક્ષમા ચાહી ભક્તિ કરી ખરૂં સ્વરૂપ પ્રકટ કરી તે કલકથી મુક્ત થાઉં એમ કહી સત્ય હકીકત કહી પોતાની આત્મનિંદા કરતો. અપરાધને ખમાવતા તે રાજા વારંવાર તેના ચરણમાં શીર્શ નમાવવા લાગ્યો જેથી યોગીન્દ્ર પણ તેને શાંત કરી દિલાસો આપી ઉપદેશ દેવા માંડે તેપણ રાજાનું ચિત્ત હજુ સંતોષ પામેલું નહતું તેથી કહેવા લાગ્યો કે હે પ્રભે! જ્યારે હું આપની સેવા કરીશ ત્યારે જ મને તે ખરેખર છે માટે પારણાને દિવસ કયારે આવે છે તે કહે કે હું આપની તપ કર્યાના વારણાને લાભ લઉં કારણ કે જેથી તમારી ઘોર તપશ્ચર્યા છે તેવાંજ મારા ઘેર પાપ છે અને જ્યારથી મેં આપની ગુરૂ પાસે પ્રશંસા સાંભળી છે ત્યારે તથા હમણાં સુધી તમારી જે વાત કરવામાં તથા ઉપદેશમાં પણ સ્થિરતા તથા સમભાવ જે છે તેથી મારું મન આપની ભક્તિ કરવા માટે જ ઉશ્કેરાઈ રહ્યું છે માટે પારણાને દિવસ પ્રગટ કરે તથા દિવસનું આમંત્રણ સ્વીકારતપસ્વીએ કહ્યું હે ભૂપાલ ! એક ક્ષણમાં પણું શું થશે તેની ખબર પડતી નથી તથા શુભ કાર્યમાં ઘડીવારમાં પણ અનેક વિદ્મ આવે છે તે હજુ પાંચ દિવસ બાકી છે તે વાત કેમ સ્વીકારાય છે માટે તે દિવસે જોઈ લેવાશે છતાં રાજાના અત્યંત આગ્રહથી તથા કમળ મધુર અને ભક્તિકાર વચનેથી ઉલ્લસિત થઇ તપસ્વીએ આમંત્રણ સ્વીકાર્યું અને રાજા પણ આનંદ પામી બીજા તપસ્વીઓને નમી તાપસ કુલનાયકની આશા લઈ પરિવાર સાથે ઘેરે આવ્યો (અપૂર્ણ) प्राप्त स्थितिने प्रफुल्लित केम बनाववी? (લખનાર. મી. માવજી વમળ શાહ ધમ શિક્ષક. પી. પી. જૈન હાઈસ્કુલ) આ સૃષ્ટિમાં મહાન પુણ્યના બળે કે પ્રબળ પુરૂષાર્થના પ્રયોગે માનવદેહની પ્રાપ્તિ થઈ શકે છે. જે જે વ્યક્તિએ આ અમૂલ્ય માનવ દેહને ધારણ કરે છે અને કર્યા બાદ તે તે વ્યક્તિઓ પિતાને શિક્ષણ રૂપે મળી આવતું ઉત્તરોત્તર જ્ઞાન, જ્ઞાનરૂપે તદવસ્થ રાખે છે પરંતુ પ્રાપ્ત થયેલ જ્ઞાનને કેમ ક્રમે ક્રમે ક્રિયા માર્ગે મૂકી પ્રાપ્ત સ્થિતિને અભ્યદયશાલિની બનાવવી તે તદન ભૂલી જતા જોવામાં આવે છે. છેવટે નવી ટુંક રકમમાં કે નોકરીમાં કે હલકા હેદાવાળા કાર્યમાં પણ પિતાનું કિંમતી માનવ જીવન પસાર કરી પવત . ગી ગાળીને અમૂક માણસ હો ન હતો થઈ ગયો એવું પછવાડે કહેવરાવે છે, એ એક મહાન આમ શહેનશાહને નાનું સરખું ગામ સોંપ્યું અને તેના પર પોતાની શહેનશાહત બજાવ્યા બરાબર લેખાય જેવું થાય છે. વાચકેર! સ્વયં વિચાર કરશે કે એક મહાન શહેનશાહ તરીકે તેને નાનું સરખું ગામડાનું રાજ્ય મળ્યું અને તેના પર પિતાને અમલ ચલાવે એ ઉચ્ચ વૃત્તિની શહેનશાહતને કેટલી શરમ લગાડે તેવું છે? ખરી રીતે શહેનશાહની શહેનશાહત મેટા દેશો પર થવી જોઈએ તેની એક નાના સરખા ગામ પર શહેન શાહિતર રાજ્ય વ્યવસ્થા) થવા પામે તે કેટલે દરજજે શરમભરેલું લેખી શકાશે ! ચાલુ જમાનામાં સેંકડે હજા

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32