Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 239
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२६ બાળકના બુદ્ધિસાગરસૂરિજી જયારે જ્યારે એમની સામે પડકાર ખડો થતો, ત્યારે તેઓ એને હિંમતભેર સામનો કરતા રહ્યા. એકવાર સુરતમાં એમનું ચાતુર્માસ હતું. આ સમયે તેઓ અને મુનિશ્રી વિનયવિજયજી સ્થડિલ (શૌચ) જવા નદીને પેલે પાર જતા હતા. શ્રી વિનયવિજયજી આગળ હતા. તેમની પાસે પુલને નાકે બેઠેલા સિપાઈએ નાકાવેરો મા. મુનિ પાસે હોય શું ? મુનિશ્રી વિનયવિજયજીએ પોતાની સ્થિતિ સમજાવી, પણ જડ સિપાઈએ તે એમની કશી વાત સાંભળી નહિ. એણે મુનિરાજને ત્યાં જ બેસાડયા. એવામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી આવી પહોંચ્યા. એમણે સિપાઈની બેઅદબી જોઈ એણે આપેલો તુમાખીભર્યો જવાબ સાંભળે. તરત જ બુદ્ધિસાગરજીએ પ્રચંડ અવાજે કહ્યું : “શું સાધુ-સંન્યાસી પાસેથી તારે વેરો લેવો છે? જરા સમજ તો ખરો, સાધુ પાસે હોય શું ? તને વેરો આપે કઈ રીતે? સિપાઈથયો એટલે માણસમાંથીયે ગયો?? Sછે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258