________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwww
૨૩૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી આવ્યા અને એમણે પૂછયું : “મહારાજજી, કાલે તમે સમર્થરામના મુકામે ગયા હતા?”
“હા, ગયો હતો.”
વૃદ્ધ શ્રાવકે કહ્યું : “તમારાથી ત્યાં જવાય નહિ. ત્યાં જવાથી ગામમાં અમારી ઘણી નિંદા થાય છે.” ' સૂરિજીએ ટૂંકો જવાબ વાળ્યો: “આ બાબતમાં તમે ન પડે તો સારું.”
વૃદ્ધ શ્રાવક અકળાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઠપકાના ઘણા શબ્દો બોલી ગયા. સુરિજીએ તેમને શાંત પાડી વિદાય કર્યા.
એ જ દિવસે બપોરે સમર્થરામજી પોતાના શિષ્ય સમુદાય સાથે સંબૂરાના સાજ સહિત સરિજીના નામને જયઘોષ કરતા ઉપાશ્રયમાં આવ્યા. સરિજીએ તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું. પણ સમર્થન રામજી નીચે બેઠા અને બોલ્યા : “આપ તો બડે યોગી હો. મેં તો આપકે આગે કુછ નહિ હું.'
For Private And Personal Use Only