________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ શું એ હાર ટોડલા ગળી ગયો ? |
સતી દમયંતીના સત્યની અગ્નિ પરીક્ષા લેખક-બી મગનલાલ મેતીચંદ શાહ, સાહિત્યપ્રેમી-સુરેન્દ્રનગર
(હપ્ત ૮ :: પૃ. ૭૦થી શરૂ) રાજમાતાની આજ્ઞા મુજબને આજનો દિવસ મહત્સવમાં પસાર થયા પછી દમયંતીએ માસીબાને કહ્યું કે-હવે મારા પિતાને ત્યાં જલદી મોકલી આપો. ઈદુમતી, સુનંદા વગેરે સાએ બહેનને હવે જલદી વિદાય આપવાની વિનંતિ કરી. રાજા સુબાહુએ તમામ પ્રકારની તૈયારી તેને માટે કરી રાખી છે, ગાડી ઘોડા રથ મેના પાલખી વસ્ત્ર ખોરાક અને બીજી તમામ પ્રકારની સગવડ કરવામાં આવી છે. મુસાફરી લાંબી હોવાથી દમયંતીને કઈ જાતની તકલીફ ન પડે એ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, દમયંતી પિતાના પિતાને ત્યાં જવાને ભારે ઉત્સુક છે, અને વિઝ સુદેવ પણ ઘણી જ ઉતાવળ કરે છે : આવતી કાલે પ્રભાતમાં દમયંતીને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી સને પ્રભાતમાં તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. નગરીમાં પણ તેને ખબર પડી જવાથી, આજે આખું ગામ મહાસતીનાં દર્શનાર્થે આવી રહ્યું છે. રાજમાતા, ઈદુમતી અને સુનંદા દમયંતીથી પળવાર પણ જૂ પડતાં નથી. આવતી કાલે જુદા પડવાનાં એ વિચારે તેમને સેને ઘેરી લીધા છે.
રાજમાતાનુ હદય મૂળથી જ અત્યંત સંસ્કારી છે, તેમને અનુભવ બળે છે, સુખ દુઃખના પડછાયા તેમણે જોયા છે, એટલે દમયંતીના સસંગ તેમને અતિપ્રિય લાગતો. તે સત્સંગ આવતી કાલથી બંધ થશે, એ વિચારમાં રાજમાતાનું મન કાંઈક ઉઠેગ અનુભવે છે, ઈદુમતી અને સુનંદા પણ અતિ ચિંતાતુર જણાય છે. રાજમાતાને જાણે કઇ પૂર્વભવને સંબંધ યાદ આવતો હોય એવા ભાવ પ્રગટી નીકળ્યા છે. દમયંતીની ચંચળતા, વાણીની મીઠાશ, સત્યથી એપી રહેલું શરીર, અસાધારણ ધૈર્ય તથા બુદ્ધિ આ બધું
જમાતાને વારંવાર યાદ આવે છે. વિશેષ હદયસ્પર્શી બનાવે છે એ છે કે- અસાધારણ યોગે તેનું અહીં આવી પહોંચવું. દાસી તરીકે રહેવું, ચેરીનું આળ ચડાવવું અને તેનું સતીત્વ પ્રગટ થવું-આ બધું કઈ ઈશ્વરી મહાન ઘટનાનું કારણ છે. માવજી વન કોઈથી ભૂલાય તેમ નથી. આમ વિચારમાં ને વિચારમાં રાજમાતાએ આખી રાત્રિ પસાર કરી. પ્રભાત થતાં સર્વ સામગ્રી તૈયાર થઈને આવી ગઈ. વિપ્ર સુદેવ પણ તૈયાર થઇ ગયો હતો. રાજ સુબાહ પણ પોતાની ભગિનીને વળાવવા માટે સજજ થઈ ગયેલ છે, વાજીંત્ર વાગી રહ્યા છે, પુરજન પણ સો છેલા દર્શનાર્થે આવી રહ્યા છે. રાજમાતા. ઈંદુમતી, સુનંદા અને રાજદરબારની રાણીઓ તથા દમયંતી સૌ પોતપોતાની બેઠક લેવાની તેયારી કરે છે, એવામાં મંત્રીશ્વર આવીને રાજમાતાને તથા રાજ સુબાહને ખબર આપે છે.
For Private And Personal Use Only