Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક
मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या।
થી જૈનધર્મ પ્રકાશ
to of F T f
fક છે 4િ
of the Of . છM
नोक्रया
L kui
, , , , BE for fb, , ,
થSSIS
, ,
Ke Of & DE @TE @ Of
૨૨/G ઇરલ
मनिधान
श्री जैनधर्म प्रसारक सभा.
, ,
,
પુસ્તક ૬૮ મું ]
[ અંક ૮ મા
ઇ. સ. ૧૯૫૨
૨૫ મી મે
વીર સ’, ૨૪૭૮
વિ. સં. ૨૦૦૮
પ્રગટકર્તા— શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
બહારગામ માટે બાર અ ક ને પાસ્ટ જ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮
વીર સં’. ૨૪૭૮ અ કે ૮
જેઠું.
વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી સુપાર્શ્વજિન સ્તવન ... ... ( મુનિશ્રી રુચકવિજયજી મહારાજ ) ૧૫૫ ૨ ઉદયાસ્ત-બાધ
| ...( શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર ” ) ૧૫૬ ૩ સહજ સમાધી ... ( શ્રી મગનલાલ મોતીચંદ ‘ સાહિત્ય પ્રેમી” ) ૧૫૭ ૪ વૃદ્ધત્વમીમાંસા ... ... (શ્રી જીવરાજ ભ ઈ ઓધવજી દેશી ) ૧૫૮ ૫ મનોભૂમિકાનાં આંદોલન ... ( શ્રી બાલચંદ હીરાચંદ ‘‘સાહિત્યચંદ્ર”) ૧૬૩ ૬ શું એ હાર ટોડલે ગળી ગયે ? સતી દમયંતીના સત્યની
અગ્નિ-પરીક્ષા હપ્તો : : ૮ ...(શ્રી મગનલાલ મેતીયદ “સાહિત્ય પ્રેમી’’ ) ૧૬૬ ૭ વ્યવહાર-વૈશય : ૨ ( ૩૦૪-૩૦ ૫ ) ... ( ૨૦ માર્તિક ) ૧૭૧ ૮ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ( શ્રી ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા ) ૧૭૩ ૯ શેઠશ્રી કસ્તુરભાઈના મનનીય વિચારો (શ્રી ૧૦વરાજભાઈ ઓધવજી દેશી ) ૧૭૮
પૂજા ભણાવવામાં આવી પરમ પૂજ્ય પ્રાત:મરણીય મુનિ રાજ શ્રી વૃદ્ધિ ચંદ્રજી મહારાજની સ્વર્ગવાસ તિથિ નિમિત્તે વૈશાખ શુદિ આઠમ ને શુક્રવારના રોજ આ પણી સ માં તરફથી સવારના નવ કલાકે શ્રો સામાયિક શાળા માં તેઓશ્રીની મૂર્તિ સમક્ષ નવપદજીની પૂજા ભણાવવામાં આવી હતી, જે સમયે સભાસદ બધુ એાએ સારા પ્રમાણમાં હાજરી આપી લાભ લીધે હતે.
તે પ્રગટ થયો છે.
અપ્રાપ્ય ગ્રંથ આ શ્રીત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર-ભાષાંતર આ આવૃત્તિ છટ્રી [ પર્વ. ૧-૨ ] મૂલ્ય રૂપિયા છે તે છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમે એ આ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે
વિશેષ શું લખવાનું હોય ? કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ 3 સર્વોત્તમ છે. આપણા જૈન-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ
આજે જ મંગાવી લેશે જ પાકું વ્હાલકäથે બાઇડીંગ, ક્રાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હેમલંડના કાગળો
| મૂલ્ય રૂપિયા છે
લખે-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yel
GE
* જૈન ધર્મ પ્રકાશ
20000000000000
આ પુસ્તક ૬૮ સું
| વીર સં ૨૪૭૮ અંક ૮ મો / -: જેઠ :
| વિ. સં. ૨૦૦૮ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન.
(ચોવીસ દંડક વારવા, હું વારીલાલ.) શ્રી સુપાર્શ્વજિન સેવીએ, હું વારીલાલ, સેવીએ ત્રિભુવન નાથ રે, હું વારીલાલ; જ ચાગ શ્રેમકર રે હવે, હર વારીલાલ, નાથતા તેહમાં સિદ્ધ રે. હ’ વારીલાલ. ૧
જે જનતાને ઉપદિશે, હું વારીલાલ, મારગ મુક્તિનો શુદ્ધ રે, હું વારીલાલ જોઈ જનતા ચિત્તને, હું વારીલાલ, ઉપદેશક તે વિશુદ્ધ રે. હું વારીલાલ. ૨ કૃત, ચિતા ને ભાવના, હું વારીલાલ, જ્ઞાનના ત્રણ પ્રકાર રે; હું વારીલાલ; શ્રવણ-મનન-પરિશીલતા,હું વારીલાલ, તેમાં ભાવના સાર રે. હું વારીલાલ ૩ પરિણતિ તેહથી નિપજે, હું વારીલાલ, બેધ તે શુદ્ધ પ્રકાર રે; હું વારીલાલ; ભાવના જ્ઞાને જે હું, વારીલાલ, છૂટે અનર્થ પ્રસાર રે. હું વારીલાલ. ૪ ભાવના જ્ઞાને જ્ઞાન છે, હું વારીલાલ, કરીએ તેહમાં યન રે. હું વારીલાલ જિનવર વચન વિવેકીએ, હું વારીલાલ, નય-નિક્ષેપ નિગૂઢ રે. હું વારીલાલ, ૫ નય સુનય કરી ચાલીએ, હું વારીલાલ, ત્યજીએ કુનયની બુદ્ધિ રે; હું વારીલાલ; ચકવિજય તો પામીએ, હું વારીલાલ, પરમ પદારથ શુદ્ધિ રે. વારીલાલ. ૬
મુનિરાજશ્રી ચકવિજયજી. )
©©©©©©©©©©©©©©
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયાસ્ત બોધ. સાહિત્યચંદ્ર” શ્રીયુત બાલચંદ હીરાચંદ.
( ભુજગપ્રયાત ) શશી સૌમ્ય આનંદકારી પ્રદોષ, ધરી સૈન્ય નક્ષત્રમાલા વિરાજે; જુઓ નીકળે જીતવા વિશ્વરાજ્ય, ધરી ગર્વને ચિતમાં ધીર પ્રાજ્ય. ભૂલ્યા એહ દીસે સ્વદેહે કલંક, સહુને ગણે છે જુએ તુચ્છ રંક; ધરામાં બિછાવી ભલી ચંદ્રિકાને, જુઓ પાશ એ મેહને છતવાને. જિતે કામને મેહિની-મંત્ર નાખી, ભૂલે માનવ ચંદ્રિકા-સેમ ચાખી; થઈ વિઠ્ઠલાત્મા બને કામ-ધામ,૩ બને અંધ સેવે બધા પાપકામ. ૩ અહે ચોર ને જારને એ ઉઠાડે, અતિ દૂર પાપ ધરામાં જગાડે; કરે અંધ જેવા જુવો દેખતાને, ફસાવે મહાપાપને સેવવાને. ૪ ધરી સૌમ્ય ને શ્વેત તે રૂ૫ દાખી, ઘણું લાલચે સર્વ મૂકે અને ખી; નરો તેમ નારી ફસાએ ત્વરાથી. પછી કર્મમાં હાથ ધારી જ રેતી. ૫ હવે મધ્ય આકાશમાં ચંદ્ર આવે, હસે સર્વ નારી નરોને સ્વભાવે, થયા મેહના દસ જાણે સહર્ષે, ગણે તુચ્છ તે સર્વને શાપ વ. ૬ અહે મૂર્ખ કેવા સ્વતઃને ન જાણે, રવશક્તિ અજાણે સ્વયં દાસ માને, અહો ચંદ્રમાં વાગરા કામની છે, હસાવે ફસાવે રડાવે ખરી તે. ૭ હવે ચંદ્રને માર્ગ નીચે જવાને, અધેમાર્ગમાંહે પડી ભૂલવાને; અહે પશ્ચિમે અસ્તને શોધવાને, જુવો પાપના એ ફળ ચાખવાને. ૮ ઉષા પૂર્વ ભાગે કરે છે પ્રકાશ, ભરે સર્વ આકાશ થાએ ઉજાસ; અહે ચંદ્રનું સૈન્ય તારા બધાએ, ગુમાવે સ્વયં તેજ નિસ્તેજ થાએ. જુઓ ચંદ્ર એ ખાખરા તુય થાય, ગયું તેજ નિસ્તેજ થઈ સત્વ જાય; જુઓ ગર્વ ખેટો હરે સર્વ માન, દિસે એહ પ્રત્યક્ષ એનું પ્રમાણ ૧૦ કુમાર્ગે ચઢાવ્યા બગાડ્યા ઘણને, મહાપાપ આરંભ કીધા સહૂને; ફળો ક્રૂર પ્રત્યક્ષ ચાખ્યા જુવોને, અહે ચેતજો સે ભલા સાંભળીને. ૧૧ ઊગ્યો તેજ અંબાર તે પૂર્વમહિ, થયે એકને અસ્ત બીજો પ્રભાવે; જગચક્ર એવું ફરે છે સદાનું, નહીં તેહથી હર્ષ દુખી થવાનું. ૧૨ ચઢે તેહ વેગે પડે છે ધરામાં, નહીં સાર આનંદ વ દૂભવામાં; ધરી વૈર્ય સામ્યત્વને રાખવાનું, સદા હર્ષ વા શોકને ટાળવાનું. ૧૩ ખરી સામ્યવૃત્તિ થશે જે કદાપિ, ખરે માર્ગ નિષ્કર્મનો ચિત થાપી; શશી આથો વા ઊગ્યો સૂર્ય દેખી, હરે ચિત્તથી ભેદ વૈષમ્ય નાખી. ૧૪ અહંભાવ છોડે સમાવૃત્તિ ધારે, વિકારે તછ ઘો સહુ દુઃખ હારો; ખરા ધર્મ પાળી તો સંસ્કૃતીને, વિનંતી ધરી ચિત્ત બાલન્દુની તે. ૧૫ ૧ સાંજે. ૨ ચાંદનારૂપી દારૂ. ૩ કામ-વિકારનું સ્થાન. ૪ જાળ. ૫ પલાશનું પાંદડું. તે
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજ સમાધિ. (અનુવાદક-મગનલાલ મેતીચંદ શાહ, વઢવાણ કેમ્પ.).
અનુટુપ. ન જ્ઞાન સ્વસ્વરૂપનું, તે ન જાણે પરાત્મને; જાણવા પરમાત્મને, કરો નિશ્ચય આત્મમાં. ન જાણે આત્મ તરવને, ત્યાં નથી આત્મ સ્થિરતા; મૂંઝાય જૂદ માનતાં, દેહ વ્યાપી સ્વ આત્મને. નથી આ ભેદ જ્ઞાન જ્યાં, આત્મ લાભ અલભ્ય ત્યાં; જેથી સ્વજ્ઞાનની કૃતિ, સ્વપ્નમાં પણ દુર્લભ. મેક્ષાર્થી નિશ્ચય કરે, સમ્યમ્ આમરવરૂપના; પરપર્યાયની સજ, કપના જાળ છેદીને. ત્રિપ્રકારે રહ્યો આત્મા, સવ ભૂતે વ્યવસ્થિત; ત્રિ વિકલ્પ કહેવાય, આતબા અને પર. ૫ આત્મબુદ્ધિ તનાદિમાં, આત્મવિશ્વમથી થતી; ઘેરાય મેહ નિદ્રામાં, તે બહિરામ જાણુ. બાહ્ય ભાવો તછ . જેને, નિશ્ચય સ્વાત્મમાં થયો; ત્યાં માને અંતરાત્મતા, જાંતિ-નાશક ઝાનિયે. નિલેપ શુદ્ધ ચૈતન્ય, અસંગી અતિ મુક્ત જે; નિવિકલ્પ સદા સિદ્ધ, સ્વરૂપે પરમાત્મા છે.. નિર્વિકલ્પ અતીન્દ્રિય, જૂદો રહ્યો સ્વભાવથી; દેહાદિ વિષમાંથી, ગિ આમ ચિત્ત. ૯ બહિરાત્મપણું ત્યાગી, અંતરમાં બની સ્થિર; અવ્યય શુદ્ધ અત્યન્ત, જાણે એ પરમાત્માને. ૧૦ માને છે મતિમૂઢ જે, દેહ સ્વરૂપ આત્મને; જ્ઞાની માને તને યાતદેહાતીત નિરામય. ૧૧ ઘેરાયો ઈન્દ્રિયોથી છે, જેનાર તત્વવિકૃતિ; સ્વરૂપે બહિરાત્માઓ, આત્માને દેહ માનતા. ૧૨ દેવતા દેવ પર્યાએ, પર્યાયે મનુષ્ય હું; પશુ પક્ષીરૂપે તેવો, માને નજ નારકી. ૧૩ મૂઢ અજ્ઞાનથી આમ, માની ભવાબ્ધિ ભાટકે; આત્મા અમત તપ, સ્વ સંવેદ્ય મનાય છે. ૧૪ સ્વપર દેહવ્યાપી આ, આત્મા જ અવિકારી છે; નાની જેથી જ આમમાં, આત્મબુદ્ધિ કરી રહ્યા. ૧૫
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
UGURUG EFFEBRUF BURERSFEREE
કે વૃદ્ધત્વમીમાંસા
SHRETURNSFEBRUFFEBRUBE
શ્રીયુત જીવરાજભાઈ ઓધવજી દેશી પાંચેક વર્ષ ઉપર શ્રી જૈનધર્મ પ્રકાશમાં મેં વૃદ્ધત્વમીમાંસા ઉપર ત્રણેક લેખે લખ્યા હતા. હવે તે જ વિષય ઉપર કાંઈ વિશેષ અજવાળું પાડવા માટે આ લેખ લખવામાં આવે છે. પાંચેક વર્ષ ઉપર મેં લેખ લખ્યા ત્યારે મારી ઉંમર આશરે સીતેર વર્ષની હતી. હવે પંચોતેર વર્ષ પૂરાં કર્યા છે. પહેલાના લે સીત્તેર વર્ષ પછી અને હવે લેખ પંચોતેર વર્ષ પછી વૃદ્ધ માણસોએ કેમ રહેવું? જીવનદષ્ટિ કેવી રાખવી? જીવનને એક ભારરૂપ કરવા કરતાં કેવી રીતે ઉપયોગી સુખી-સંતોષી જીવન બનાવવું, તે હકીકત કેટલાક સ્વાનુભવ ઉપરથી અને કેટલાક વાંચન પછી દર્શાવવાનો આ મારો પ્રયાસ છે.
માણસ ઉમર લાયક થાય છે, વૃદ્ધ થાય છે, જીવનના પંચોતેર જેટલા વર્ષો પસાર કરે છે, ત્યારે શરીર ક્ષીણ થાય છે, ઈદ્રિય કામ કરતી નથી, આંખે ઓછું ભળાય છે, કાને ઓછું સંભળાય છે, ચાલતાં પગ લથડાય છે, હાથ પૂરા કામ આપતા નથી, આવી રીતે શરીર ક્ષીણ થયા પછી, ઘણું વૃદ્ધ માણસો ઇચ્છે છે કે-આ શરીર છૂટી જાય તે દુઃખને પાર આવે. આવી ઈચ્છા વ્યાજબી નથી, રાખવા જેવી નથી. આપણે તો કર્મના અચલ નિયમમાં માનનાર છીએ, - આપણને જે સુખ દુઃખ મળે તે આપણું પૂર્વકનું ફળ છે, જે કર્મ જોગવ્યા વિના છૂટકે નથી. વળી આપણે તે આયુષ્ય કર્મને પણ માનનાર છીએ. માણસનું આયુષ્ય નક્કી થયેલ છે, તેમાં જરા પણ વધારો થતો નથી અને સામાન્ય રીતે ઘટાડે પણ થઈ શકતો નથી. બીજું આ દેહ છોડ્યા પછી આથી સારો દેહ મળશે એની આપણને ખાત્રી નથી. બીજા દેહ વખતે બંગલા, મેટર વિગેરે બધી અનુકૂળ સામગ્રીઓ મળવાની કોઈને ખાત્રી નથી. ટૂંકામાં દેહ ક્ષીણ થાય અને પૂરું કામ ન આપી શકે તે વખતે દેહને છોડવાની અને અન્ય દેહ મેળવી સુખી થવાની અભિલાષા રાખવી અસ્થાને છે. * આવી વિષમતા શરીર અને મન વચ્ચે થવાનું કારણ એ છે કે શરીરને જે પરિપાક ઉમરને લીધે થાય છે તે પરિપાક મનને થતો નથી. જીવન દરમ્યાન આપણે ઇંદ્રિયોના વિષયોને વશ રહ્યા હોઈએ છીએ. ઇન્દ્રિયોને વશ ' કરવાને બદલે આપણે ઇંદ્રિયોના દાસ બન્યા હોઈએ છીએ. એટલે શરીર જ્યારે
આરામ માગે છે ત્યારે મન તો પરિપકવ ન થયેલ હોવાથી, વિશેષ સુખના નવા નવા તરગે અને મનેર કરતું હોય છે, આવી રીતે શરીર અને મનના પરિપાકમાં વિષમતા હોવાથી જીવનના બંને ચક્રો સરખા ચાલતા નથી,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વૃદ્ધત્વમીમાંસા,
અ' ૮ મા ]
૧૫૯
અને જીવન સરખું વહેતુ નહાવાથી પ્રતિકૂળતાવાળુ દુ:ખમય જણાય છે. સમજુ માણસે ઉમર થતાં મનને વશ કરતા શીખવુ જોઇએ. જેને આપણા શાસ્રકારે સયમ કહે છે, તેવેા સયમ પ્રાપ્ત કરવા જોઇએ. અને આવેા સંયમ– સમભાવ મેળવવાને ઉચિત ધ`ક્રિયાઓ–સામાયિક, દેવપૂજા, ધર્મ શ્રવણ, વાંચન રાખવુ જોઈએ ઘણીવાર એવા અનુભવ થાય છે કે શરીર અસ્વસ્થ હાય, એસવા ઉઠવાની પણ શક્તિ ન હેાય ત્યારે મનને આવા વાંચન, લેખન આદિ વ્યાપારમાં રાકવામાં આવે ત્યારે શરીરના બધા દર્દો ભૂલી જવાય છે અને એક જાતને આનંદ અને સંતાષ અનુભવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ માણુસે જીવનની પ્રવૃત્તિના જૂદા મૂલ્યાંકના કરવા જાણવુ જોઇએ. પાછલા જીવન ઉ૫૨ દ્રષ્ટિપાત કરવેા જોઇએ. ખાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પુખ્ત અવસ્થા ઉપર નજર નાંખતા તેને જણાશે કે માલ્યાવસ્થાના ઘણા વ તા સમજ વિનાની મૂર્ખાઇભરેલી લાગે તેવી પ્રવૃતિમાં ગયા છે. યુવાવસ્થા પેસે મેળવવા આદિના ધમપછાડવાળા કામેામાં ગયેલ છે. ત્યારપછીની પુખ્ત અવસ્થા, કુટુ ખજ જાલ આદિ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પસાર થયેલ છે. માલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા પસાર કર્યાં પછી વૃદ્ધાવસ્થા આવે છે, તે અવસ્થામાં ઉપાધિ નથી, શાંતિ છે, રળવા ખપવાની જ જાલ ચાલી ગઈ છે. આ અવસ્થામાં ફુરસદ છે, સ્વતંત્રતા છે, ઘડીયાલને ટકોરે જાળવાનુ, ઉઠવાનું કે કામ કરવાનું નથી. આવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે માણસે શા માટે ભાવના ન કરવી કે હાથ હવે હું સંસારરૂપી સમુદ્રના તાફાનમાંથી બહાર આવ્યા છું. સમુદ્રના તાકાનમાંથી કિનારા પર આવતાં જેવા માણસને આન ંદ થાય તેવા આનંદ વૃદ્ધ માણસને થવા જોઇએ, અને વૃદ્ધાવસ્થા સંતાપ અને દુઃખના કારણને બદલે આનંદ અને સ ંતાષનું કારણ બનવુ જોઇએ.
વૃદ્ધ માણસે પાતે જીવનદૃષ્ટિ બદલવી જોઇએ, પેાતાના શરીર અને પેાતાના કુટુંબને સર્વસ્વ માનવાને બદલે, સમાજ અને દેશને પેાતાના માનતા શીખવું જોઈએ. ખીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે સુખી થવાની ભાવના રાખવી જોઇએ. આપણા શાસ્રકારા મૈત્રી ભાવના, પ્રમાદ ભાવના, કરુણાભાવના અને માધ્યસ્થ ભાવના ભાવવાના જે ઉપદેશ આપે છે તે જીવનમાં ઉતારતા શિખવું જોઇએ. આવી રીતે ખીજા પ્રાણીએ અને મનુષ્ય તરફ દૃષ્ટિ રાખતાં તેને પ્રત્યાઘાત આપણા ઉપર પડે છે અને તેઓના અંતઃકરણની શુભ ભાવનાઓ આપણને સુખ અને સતેષ આપનાર બને છે, માટે વૃદ્ધ માણસેાએ જીવનષ્ટિ ઉદાર કરવી, અને સર્વ પ્રાણીઓનું હિત ઈચ્છવા સતત પ્રયત્ન કરવા જોઇએ.
બીજી એક હકીકત-આખું જીવન માણુસ રળે છે, પૈસા એકઠા કરે છે, એકામાં ખાતા રખાવે છે. હવે વૃદ્ધાવસ્થામાં તે ક્રમ બદલાવા જોઇએ. રળવાને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી જૈન ધમ પ્રકાશ
[જેઠ
બદલે ખવાના, નાણાંના ખાતા પડાવવાને બદલે ખાતાં બંધ કરાવવાના, પૈસાના સરવાળા અને ગુણાકાર કરવાને બદલે બાદબાકી અને ભાંગાકાર કરવાના પ્રયાસ કરવા જોઈએ. આવી રીતે જીવનવ્યવહાર બદલવાથી તેના ભાર આછે. થઇ જશે અને એક ભારરહિત જીવન સુખ અને સંતેાષમાં ગાળી શકાશે.
વૃદ્ધાવસ્થામાં માણસે કેવી દિનચર્યાં પાળવી ? શું ખાવુંપીવું ? કેવા ઉપચાર કરવા ? કેવુ' વાંચન-શિક્ષણુ રાખવુ વગેરે હકીકતા સ્વાનુભવથી સક્ષિપ્તમાં હું ટાંકું છે. પેાતાના સ ંજોગેા પ્રમાણે મા સૂચનાઓને અમલ કરવાથી હું માનું છું કે વૃદ્ધ માણુસ આનંદથી જીવન ગુજારી શકશે.
માણસે ખની શકે તેટલે દરજ્જે શહેરના ઘાંઘાટવાળા ભાગથી શહેર બહારના પ્લાટ જેવા શાંત હવાવાળા ભાગમાં રહેવાના પ્રમ ધ કરવા, તેથી મગજને શાંતિ મળે અને સહેલાઇથી બહાર હરવા ફરવાને અવકાશ મળે.
હંમેશાં વેલાસર સૂવાનેા નિયમ રાખવા. ઊંઘ ન આવે તે પણ આરામ માટે સુવુ. સવારના વેલાસર ઉઠવાના અભ્યાસ પાડવેા. ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું. સારા સ્તવને Ôાત્રા વિગેરે શાંતિથી ખેલવા, તેના અર્થનુ ં મનન કરવું. જ્ઞાનસાર, વૈરાગ્યશતક જેવા અધ્યાત્મના પુસ્તકામાંથી અમુક શ્લોકા પસંદ કરી તેનું મનન અને નિદિધ્યાસન કરવું. એક મુનિમહારાજે મારા મ`દવાડમાં મને સૂચના આપી હતી કે–તમે ઘણું વાંચ્યુ, લખ્યુ' છે, માટે હવે શરીર અસ્વસ્થ હાય તા બધું છેડી દ્યો અને વાંચેલા વિષયાનુ' ચિંત્વન કરા
સવારે રાજ બહાર ફરવાના નિયમ રાખવા. જેટલું બની શકે અને શરીરને થાક ન લાગે તેટલું ખુલ્લી હવામાં ચાલવું. ટટ્ટાર રહીને ચાલવું. ઘરડાની જેમ વાંકા વળીને ન ચાલવું. ટટ્ટાર રહીને ચાલવાથી ફેફસાંને કામ મળે છે. ફેફસાંના જે ભાગ ખીજા સમય દરમ્યાન ઉપયોગ વિનાના રહ્યો હાય છે, તે સારી રીતે કામ કરતાં થાય છે. ખુલ્લી હવામાં ફરવા જતાં દરમ્યાન કોઇ સાથે ખેલવાનુ ખની શકે તેટલું ખંધ રાખવુ. ખેાલવાથી ફેફસાંને થાક લાગે છે, જેની અસર હૃદય ઉપર પણ થાય છે.
અપેારે જમ્યા પછી, સૂવાના નિયમ રાખવા જેથી ખાધેલે ખારાક સહેલાઈથી પચી જાય. સાંજના ઇચ્છા થાય તા થૈડું ઘણું ફૅરવું. સમાન વય અને સ્વભાવવાળા મિત્રા સાથે બેસવું ઉડવુ, કલબમાં આનંદ આવે તેા તેમાં થાડાક સમય પસાર કરવા. સાંજના જમવાનુ આછું રાખવુ. જમ્યા પછી ઘરના નાના મેાટા માણસે સાથે એસી વાર્તાલાપ કરવા, અનુભવની વાતા કરવી, બની શકે તેા સારા રાગમાં નાના ભાઈઓ અને હેંના પાસે પદે, માંગલિક સ્નાત્રા વિગેરે ગાવા ગવરાવવા. સૂતા પહેલાં આવું શ્રવણ એક ટૅાનિક ( પુષ્ટિકારક દવા ) તરીકે કામ કરે છે, અને રાત્રિ શાંતિ અને આનદમાં પસાર થાય છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' અંક ૮ મે ] વૃદ્ધત્વમીમાંસા.
૧૬૧ આપણે ગૃહજીવન(Home life)ની કિંમત ઓછી રાખીએ છીએ. આપણા પત્ની, દીકરીએ, વહુઆરો અને બાળક સાથે બેસી અનુભવની સ્વાર્થ અને પરમાર્થની વાત કરતાં જે આનંદ મળે અને જીવનમાં જે સંસ્કાર આવે તેની કિંમત કરતાં આપણે શીખવું જોઈએ.
વૃદ્ધ માણસે જેમ બને તેમ ઓછી જઠરની મહેનતે પચે તે પિષ્ટિક આહાર લે. ચા લેવી હોય તો ઉકાળ્યા વિનાની અધઅર્ધ દૂધવાળી લેવી. દૂધ ગાયનું વાપરવું. ફળને ઉપયોગ વધારે કરવો. લીલોતરી પણ સારા પ્રમાણમાં ખાવી જેથી ક્ષારો અને પ્રાણપૂરક તત્વ ( vitamins ) પૂરતાં મળી શકે. હાલમાં ચોખાં દૂધ ઘી મળતા નથી, તે બની શકે તો એકાદ સારી ગાય ઘર આંગણે રાખવી. તેમ ન બની શકે તો સારું ચોકખું દૂધ વેચાતું લઈ, તેમાંથી ઘરે માખણ અને છાશ આપણે જરૂર હોય તેટલા બનાવવા. તાજું માખણ એક ઘણી ઉપયોગી વસ્તુ છે, સહેલાઈથી પચે છે, ઘરની છાશ પણ ઘણી ગુણકારી અને સ્વાદિષ્ટ બને છે. ખર્ચમાં વાંધો હોય તે બીજા બહારની મીઠાઈ વિગેરે લાવવાના ખર્ચ ઓછા કરવા, પણ દૂધ દહીં માખણ છાશ જેવી ઉપયોગી ચીજોમાં બચાવ ન કરવો. ધર્મ પાળવા માટે પણ તંદુરસ્ત શરીરની જરૂર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તમાશં ઘર્મરાધનં ધર્મ કરવા માટે શરીર મુખ્ય સાધન છે. એટલે શરીરના સ્વાચ્ય તરફ દુર્લક્ષ્ય આપવું ન જોઈએ. - દાંત, ગળું, જીભને સ્વચ્છ કરવાને અને નિરોગી રાખવાને ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ ઘણે આવશ્યક છે. ઘણા વર્ષોથી ત્રિફળાનો ઉપયોગ હું કરું છું, તેથી ઘણું લાભ થયો છે.
હાલના કાળમાં દવાઓ, ઇંજેકશન લેવાને એક મેનીયા(ઘેલછા ) થયેલ જેવામાં આવે છે. દરદીના આખા શરીરના બંધારણનો અભ્યાસ કર્યા વિના, તેની ભૂતકાળની રહેણીકરણી જાણ્યા વિના રોગ મટાડવા અનેક પ્રકારની દવાઓ અને ઈજેકશન આપવામાં આવે છે. અલબત તેવા એકદમ ઊભા થયેલા રોગજેવા કે ટાઈ ફડમાં આવી દવાઓની જરૂર છે. પણ તે વિચારીને આપવી જોઈએ. એક રોગ જબરાઈથી મટાડતા શરીરને કાયમ માટે નબળું ન બનાવે તેવી આકરી દવાઓ લેતાં વિચાર કરવો જોઈએ. વૃદ્ધ માણસે તે વૃદ્ધ અનુભવી દાકટરની દવા લેવાનો વિચાર રાખવો જોઈએ. માણસના શરીર ઉપર નવા નવા પ્રોગ, નવી નવી પેટટ દવાઓ વાપરવા પહેલાં વિચાર કરે તેવા અનુભવી દાકટરની સલાહ લેવી જોઈએ. મારો અનુભવ તે એ છે કે-જેમ બને તેમ ઓછી. દવાઓ લેવી, આકરી દવાઓ ન લેવી. આ દવા એક રોગ મટાડે છે, બીજા રોગને સ્થાન આપે છે. આપણી દેશી દવાઓ અબ્રક ભસ્મ જેવી ઘણી ઉપયોગી મને જણાય છે. આવી દવાનું સેવન લાંબા વખત કરવાથી શરીરને તાઝગી આવે છે,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રી
ને ધમાં પ્રકાશ
[ જેઠ 7
વૃદ્ધ માણસે સમાજ કે વ્યવહારમાંથી અલગ ન પડવું જોઈએ. શરીર ઓછું કામ આપે તે બુદ્ધિ અને મનથી કામ કરવું. શરીર કરતાં બુદ્ધિ અને મન ઓછાં કિંમતી નથી. કેઈ સમાજનું કામ કરી શક્તા હાઈએ તો કર્યા કરવું. તેની ઉપાધિ ઓછી કરી નાંખવી. અને આવા લોકોપયોગી કામ માટે બીજાઓને ટ્રેઈન્ડ કરી-શિક્ષણ આપી તૈયાર કરવા જોઈએ, જેથી આપણી ગેરહાજરીમાં આવાં કામ અટકી ન પડે.
અવારનવાર બની શકે તો સારાં સ્થળામાં-હવા ખાવાના કે તીર્થના સ્થળોમાં સ્થળાંતર કરવાનો નિયમ રાખવો. આમ કરવાથી શરીરને આરામ મળે છે, મનને વિષયાંતર થવાથી નવી સંસ્કૃતિ મળે છે. જૂદા જૂદા માણસોના પરિચયમાં અવાય છે, નવા નવા વિચારોની આપલે થાય છે. સંસાર છોડી જેણે સંન્યાસ લીધા નથી, શ્રમણમાર્ગ ભાવથી સ્વીકાર્યું નથી, તેને જગતના અને સમાજના પ્રવાહથી અલગ-અપરિચિત રહેવાથી લાભ નથી, નુકશાન છે. સમાજનું કાંઈ ઉપયેગી કામ તેનાથી થઈ શકતું નથી અને તેને પોતાને અર્થહીન જીવન લાગે છે.
ઉપર કેટલાક સ્વાનુભવથી બાંધેલા વિચાર અને બહારના વાંચનથી મેળવેલ વૃદ્ધપણુને ઉપયોગી માહિતી અહીં આપવામાં આવેલ છે. સુજ્ઞ વાચકોએ પોતાના સંજોગો, પોતાના અનુભવો પ્રમાણે જીવનદષ્ટિ કેળવવાની રહે છે.
oooooooooooooooooooooooooooo
બે પ્રકારનાં રંજન એક લેકરંજન અને બીજું લોકોત્તર રંજન. આ બેમાં શું કરવા યોગ્ય 8 છે? ભરત ચક્રવતીંના મનમાં પણ આ જ સવાલ ઉદ્ભવ્યો હતો. ચક્રરતનની
પ્રથમ પૂજા કરવી કે પિતાશ્રી આદિનાથને કેવળજ્ઞાન મહોત્સવ પ્રથમ કે કરે ? આવા પરસ્પર ગુંચવણવાળા સવાલો (2િuestions of Relative
Duties) આપણને ઘણી વાર મૂંઝવે છે. શ્રીમાન ઉપાધ્યાયજી શ્રી યશે* વિજયજી મહારાજ શ્રી મલ્લિનાથજીના સ્તવનમાં કહે છે કે
“રીઝવવો એક સાંઇ, લેક તે વાત કરી.” લોકો ગમે તે વાત કરે પણ આપણે તે સાંઇને-પ્રભુને જ રીઝવવા.
મ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેમનોભૂમિકાનાં દેલન.
(લેખક–સાહિત્યચંદ્ર શ્રીયુત બાલચંદ હીરાચંદ-માલેગામ.)
આપણી ઈદ્રિયો કે જે આપણું શરીરને મુખ્ય ભાગ છે, તેના ઉપર થતા આદેલને કે પ્રત્યાઘાત આપણે સમજીએ છીએ. સુંદર સંગીત આપણા કાન ઉપર અથડાય છે ને આપણે સુસંવેદના અનુભવીએ છીએ, તેમ ભયંકર અવાજ થતા આપણે ધ્રુજી ઉઠીએ છીએ. મધર સુગંધ આપણી નાસિકામાં પ્રવેશે છે ને આપણે સંતોષ માનીએ છીએ તેમ નર્કાગાર જેવી દુર્ગધ નાસિકામાં પ્રવેશતા આપણે ગભરાઈએ છીએ. સુંદર કલામય ઉત્તેજક દશ્ય જોઈ આ પણે મન શાંતિ અનુભવીએ છીએ તેમ ધૃણાસ્પદ અભદ્ર દેખાવ જોતાં આપણું આંખ તરતજ મિંચાઈ જાય છે. અનુકૂલ શીતલ અને સુંવાળો સ્પર્શ થતા હૃદય આનંદ અનુભવે છે, તેમ કઠોર, ઉષ્ણુ અને કાંટાળા સ્પર્શ આપણું સ્વાસ્થય ભંગ કરી મૂકે છે. મતલબ કે શરીર ઉપર જે આંદલને થાય છે તેને સારો કે ખોટો અનુભવ આપણને મળે છે. પણ એ અનુભવ મુખ્યત્વે કરી મનની સ્વસ્થતા ઉપર આધાર રાખે છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ઘણી અગત્ય છે. શરીર રોગથી ગ્રસ્ત થએલ હેય, કોઈ સાંસારિક મહાન આપત્તિમાં આવી પડેલું હોય ત્યારે ઉપરોક્ત બધા અનુભવે ભૂલા પડી જાય છે. ચિત્ત ચિંતામગ્ન હોય છે ત્યારે મધુર ગાયન પણ પ્રતિકૂલ લાગે છે રોગીની આગળ સ્વાદિષ્ટ અને રસપૂણ મિઠાઈ લાવી મકવા છતાં તેને તે કડવી ઝેર જેવી લાગે છે. વ્યમ ચિત્તવાળા જમી જાય તે પણ તેને રસાસ્વાદનું સ્મરણ સરખું ૫ણ રહેતું નથી. આપણે કઈ રસકથામાં વ્યગ્ર હેઈએ તેવે વખતે કઈ ત્યાં આવી અમુક વસ્તુ ઉપાડી જાય છતાં આપણને તેનું સ્મરણ પણું રહેતું નથી. મતલબ કે મન ઠેકાણે હશે, તે પોતાનું કાર્ય ઠીક રીતે કરવું હશે ત્યારે જ ઈતિના વિકાર-આંદોલનનું તેના ઉપર પરિણામ થાય છે. અન્યથા શરીર ઉપરના આંદોલને મનોભૂમિકા ઉપર પહોંચી શકતા નથી અર્થાત કાર્ય કરી શકતા નથી.
એ વિવેચન ઉપરથી એ ફલિત થાય છે. શરીર એ સ્વતંત્ર વસ્તુ છે. વિકારે એ કેઈ બીજી જ વસ્તુ છે અને મન એક સ્વતંત્ર કાર્યક્ષમ ક્ષેત્ર છે. અને ત્રણે એકત્ર મળી કઈ કાર્ય કરે તે જ તે પરિણામકારક નિવડી શકે છે. શરીર અમુક કાર્ય કરતું હાય, વાસના બીજે માર્ગે દોતી હોય અને મન અન્યથા વિચાર કરતું હોય ત્યારે પરિણામ શું આવે? અર્થાત કાંઈ જ નહીં. ગાયક અમુક સ્વર આલાપ હય, સ્વર મંજૂષા બીજો સૂર આપતી હોય અને મૃદંગ ત્રીજે જ તાલ આપતે હેય એવા ગાયનમાં કે રસ જામવાનો ?
मनस्यन्यत्वचस्यन्यत्कार्यमन्यत् ।
એમ ૧૬૩)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
મ
ન ધર્મ પ્રકાર.
[ જેઠ
મનમાં એક જાતના વિચાર ચાલતા હોય, મોઢે બીજી ભાષા બોલાતી હોય અને કાર્ય ત્રીજું જ ચાલતું હોય તેની ફલનિપત્તિ શું થવાની ? અર્થાત કાંઈ નહીં. આપણી દરેક ધર્મક્રિયામાં એવો જ અનુભવ આપણને મળે છે, એ વસ્તુ આપણે ભૂલવી જોઈએ નહિ.
કેવળ કીતિના બે બાથ આડંબર અને ભપકે કરી ધર્મધુરંધરને ઈલકાબ ધારણ કરી અન્યચિતે લેકવિરુદ્ધ અનેક ધૃણાસ્પદ કાર્યો કરનારાઓ શું ફળ મેળવી શકતા હશે ? એ વિચારણીય વસ્તુ છે. ધર્મક્રિયાઓ અને ધર્મના અનુષ્ઠાન લેકેમાં વાહવાહ બેલાવવા પૂરતા જ હોય એવી અનુચિત કલ્પના પણ કાઈ કરી ન શકે. ધર્મ ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ મનના આંદોલનો સુધારવાને જ હોઈ શકે. મનની સુધારણા કરવાનું કાર્ય ક્રિયાથી સધાતું હોય તે જ ધર્મક્રિયાને હેતુ સફળ થયો ગણાય. અન્યથા ધર્મક્રિયા કેવળ દેહદંડરૂપ જ નિવડવાની, ધર્મક્રિયા એ વસ્તુ ખુદ ધર્મરૂપ નથી ૫ણ ધર્મને સાધનરૂપ એ વસ્તુ છે ! મનના આંદોલનો આત્મતિને સુસંવાદી થઈ એકેક પગલું આગળ વધવા માટે ઉપયોગી નિવડે તે જ આપણે યત્કિંચિત ધર્મ સાધના થઈ એમ ગણાય. એમ ન થતું હેય અને અનુષ્ઠાન પહેલાં આપણે જે ભૂમિકા ઉપર હતા ત્યાં જ અટકી જતા હોઈએ તે આપણું એ અનુષ્ઠાન કેવળ કષ્ટક્રિયા જ થવાની ! ઉલટાની દેશના સહભાગી આપણે થઈ ગયા હોઈએ એવો સંભવ ઉત્પન્ન થવાને.
આપણે શ્રાવક સૂત્રને મોઢ ઉચ્ચાર કરતા હોઈએ ત્યારે તેમાં દર્શાવેલ દરેક દોષ પર આપણે પિતાને કયાં સુધી સંબંધ આવે છે, આપણે પિતે એ દેશમાં કેટલા સંડોવાએલા છીએ એને વિચાર ઉત્પન્ન થવો જોઈએ અને મનમાં ધ્રુજારી છૂટવી જોઈએ. આપણું પશ્ચાત્તાપને વેગ વધવો જોઈએ. જે પ્રાર્થના સંબંધમાં આપણી ભૂલ થએલી હેય તેના પ્રત્યે અશ્રુભર્યા નયને નત મસ્તક થઈ ક્ષમાની યાચના મનમાં વધી જવી જોઈએ અને ફરી એવી ભૂલ ન થાય એ માટે સાવચેતી જાગવી જોઈએ. મતલબ કે મનના પ્રદેશ ઉપર ભારે આંદોલન થવા જોઈએ. દ્રથમનથી લગાડી ભાવમન સુધીના પ્રદેશ કરુણ ભાવથી રંગાઈ ગયે હવે જોઈએ. મનના ભાવ જ બદલાઈ ગએલા હોય એટલે એનું પરિણામ દરછા, વાસના કે સામાન્ય વિચારો ઉપર પડે અને સ્થૂલ શરીરમાં તેના પડઘા પડ્યા વગર રહે જ નહીં. માનવને સુધારવાને એટલું જ નહીં પણ માનવને માનવપણું આપવાને ધર્મશાસ્ત્રકારોએ એ સીધે જ માર્ગ શોધી કાઢે છે. એને આપણે ધર્મ જેવા પવિત્ર નામે ઓળખીએ. ધર્મ-સાધનાનો એવે માર્ગ આપણે અનુસરતા શીખીએ.
સારાંશ ધર્મક્રિયા સફળ થવાને મુખ્ય અર્થ આપણી મનોભૂમિકા ઉપર કેવું આદેલન થાય છે તે ઉપરથી જાણવાને હોય છે. મને ભૂમિકા ઉપર કોઈ પણ જાતનું આદોલન થયું જ ન હોય તે બધું છાર ઉપર લીપણું જ સમજી લેવાનું !
એવી રીતે મને ભૂમિકા ઉપર શુભ પરિણામે લાવવા માટે પહેલી શરત એ છે કેતે માટેના સૂત્ર અર્થ, સંહિતા શબ્દના આરોહ અવરોહ અને તેનું અંતરંગ અને હેત એ બધું સાધકે સમજી લેવાની જરૂર છે. એ સમજી લેવાથી દરેક શબ્દના ઉચ્ચાર સાથે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મ ] મનેભૂમિકાનાં આદેલને.
૧૬૫ મને ભૂમિકા સુધી તેના આદેશને પહોંચી મન સુધરી જાય અને મન સુધરવું એ જ મુખ્ય ઉદ્દેશ હોવાને લીધે મુખ્ય કાર્ય સધાઈ જાય. આપણે જ્યારે કોઈ આપણને ઇષ્ટ એવી વસ્તુ બીજાના મન ઉપર ઠસાવવા માંગતા હોઈએ ત્યારે જેમ આપણે અવનિ, આપણું શબ્દરચના અને આપણે આવેશ થગ્ય રીતિએ વાપરી સામા માણસને આપણા વિચારો માનતે કરી લઈએ છીએ તેવી જ ચિવટાઈ સૂત્રોચ્ચાર સાથે રાખવામાં આવે તે જ આપણે ધમ" અને તેનું ફળ પામીએ. અન્યથા ૫થે શારીરિક શ્રમ જ થવાને. એ વસ્તુ આપણું સ્મરણમાં રાખવાની જરૂર છે.
જેમ શ્રાવકસૂત્ર અર્થાત વંદિતાસૂત્ર બોલતી વખતની મનોભૂમિકાનું સ્વરૂપ આપણે જે ગયા તેમજ જ્યારે જ્યારે પ્રભુના સ્તવને ગાવાને પ્રસંગ હોય ત્યારે પણ આપણે તદાકાર ચીવટ રાખવાની જરૂર છે. અનેક સંત, યોગી મહાત્મા પુરુષોએ પિતાની પ્રતિભા સ્તવનાના રૂપમાં પ્રગટ કરી છે. પ્રભુ સાથે સમાનતા દાખવી અનેક ઠપકાઓ પ્રભુ ઉપર મૂકી પ્રભુ સાથે સ્નેહભાવે શબ્દોચ્ચાર કરતા કવિઓએ પિતાની મનોભૂમિકા ખૂબ સુંદર રીતે રંગેલી છે. તેમજ પ્રભુનું સર્વોપરીપણું વર્ણવી પિતાની પામરતાનું સુંદર હૃદયસ્પર્શી વર્ણન કરેલું છે ત્યારે તે સાધકનું મન વિનયની ભાવનામાં તરબોળ થઈ જાય છે. પ્રભુભક્તિનું દુલભપણું બતાવી પિતાને મળેલ પ્રભુભક્તિનો વેગ મળવાથી પિતાની ધન્યતા વર્ણવી છે ત્યારે આત્માના અનંત ગુણાને સમુચય વર્ણવી જાણે પિતે પ્રભુમય થઈ જવાને ભાવ વર્ણવ્યું છે તેવા સ્તવને ગાતા જેની મનોભૂમિકા ઉપર સાનુકૂલ આંદોલને જાગતા નહીં હોય તેને એ અમૂલ્ય અમૃતને સારવાદ હજી ચા જ નથી એમ કહેવામાં જરાએ હરકત નથી. એવા સારગર્ભિત ભાવવાહી ઉચ્ચકોટીના આત્મસાક્ષાત્કાર પામેલા સંતપુરુષોના સ્તવને માં ગાએલા ભાવો બેલતા જેના હૃદયમાં ગગદરવરે હર્ષ કુતે નહીં હૈય, જેને આત્માનુભવનું યતકિંચિત પણ ભાન નહીં થતું હોય, પ્રભુની મહત્તાની છાપ જેની મનેભૂમિકા ઉપર પડતી નહીં હોય તેનું તો દુર્ભાગ્ય જ આપણે સમજવાનું છે. જે ગી પુએ એવા સ્તવને રચી પોતે આત્માનંદમાં તલ્લીન થયા એવા સંતોને આપણા કટિશઃ પ્રણામ હે ! એમના જેવો ઉચ્ચ કોટીને આનંદ તે આપણું ભાગ્યમાં કયાંથી હોય ? પણ એવા સંતપુરુષના ઉચ્છિષ્ટમથી પણ આપણી હદયગ્રંથી, ભેદાઈ આપણું મને ભૂમિકા ઉપર કાંઇક આત્માભિમુખ અદાલને પ્રગટે એટલી અભ્યર્થના રાખવાને આપણને યોગ મળે એટલું પછી વિરમીએ છીએ.
આમિક શાન્તિ તથા જીવનનું સાચું સાફલ્ય
પ્રાપ્ત કરવા માટે અવશ્ય વાંચે. જ્ઞાનસાર સ્વમૂલ્ય રૂા.બે.
લખેર–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ શું એ હાર ટોડલા ગળી ગયો ? |
સતી દમયંતીના સત્યની અગ્નિ પરીક્ષા લેખક-બી મગનલાલ મેતીચંદ શાહ, સાહિત્યપ્રેમી-સુરેન્દ્રનગર
(હપ્ત ૮ :: પૃ. ૭૦થી શરૂ) રાજમાતાની આજ્ઞા મુજબને આજનો દિવસ મહત્સવમાં પસાર થયા પછી દમયંતીએ માસીબાને કહ્યું કે-હવે મારા પિતાને ત્યાં જલદી મોકલી આપો. ઈદુમતી, સુનંદા વગેરે સાએ બહેનને હવે જલદી વિદાય આપવાની વિનંતિ કરી. રાજા સુબાહુએ તમામ પ્રકારની તૈયારી તેને માટે કરી રાખી છે, ગાડી ઘોડા રથ મેના પાલખી વસ્ત્ર ખોરાક અને બીજી તમામ પ્રકારની સગવડ કરવામાં આવી છે. મુસાફરી લાંબી હોવાથી દમયંતીને કઈ જાતની તકલીફ ન પડે એ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, દમયંતી પિતાના પિતાને ત્યાં જવાને ભારે ઉત્સુક છે, અને વિઝ સુદેવ પણ ઘણી જ ઉતાવળ કરે છે : આવતી કાલે પ્રભાતમાં દમયંતીને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી સને પ્રભાતમાં તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. નગરીમાં પણ તેને ખબર પડી જવાથી, આજે આખું ગામ મહાસતીનાં દર્શનાર્થે આવી રહ્યું છે. રાજમાતા, ઈદુમતી અને સુનંદા દમયંતીથી પળવાર પણ જૂ પડતાં નથી. આવતી કાલે જુદા પડવાનાં એ વિચારે તેમને સેને ઘેરી લીધા છે.
રાજમાતાનુ હદય મૂળથી જ અત્યંત સંસ્કારી છે, તેમને અનુભવ બળે છે, સુખ દુઃખના પડછાયા તેમણે જોયા છે, એટલે દમયંતીના સસંગ તેમને અતિપ્રિય લાગતો. તે સત્સંગ આવતી કાલથી બંધ થશે, એ વિચારમાં રાજમાતાનું મન કાંઈક ઉઠેગ અનુભવે છે, ઈદુમતી અને સુનંદા પણ અતિ ચિંતાતુર જણાય છે. રાજમાતાને જાણે કઇ પૂર્વભવને સંબંધ યાદ આવતો હોય એવા ભાવ પ્રગટી નીકળ્યા છે. દમયંતીની ચંચળતા, વાણીની મીઠાશ, સત્યથી એપી રહેલું શરીર, અસાધારણ ધૈર્ય તથા બુદ્ધિ આ બધું
જમાતાને વારંવાર યાદ આવે છે. વિશેષ હદયસ્પર્શી બનાવે છે એ છે કે- અસાધારણ યોગે તેનું અહીં આવી પહોંચવું. દાસી તરીકે રહેવું, ચેરીનું આળ ચડાવવું અને તેનું સતીત્વ પ્રગટ થવું-આ બધું કઈ ઈશ્વરી મહાન ઘટનાનું કારણ છે. માવજી વન કોઈથી ભૂલાય તેમ નથી. આમ વિચારમાં ને વિચારમાં રાજમાતાએ આખી રાત્રિ પસાર કરી. પ્રભાત થતાં સર્વ સામગ્રી તૈયાર થઈને આવી ગઈ. વિપ્ર સુદેવ પણ તૈયાર થઇ ગયો હતો. રાજ સુબાહ પણ પોતાની ભગિનીને વળાવવા માટે સજજ થઈ ગયેલ છે, વાજીંત્ર વાગી રહ્યા છે, પુરજન પણ સો છેલા દર્શનાર્થે આવી રહ્યા છે. રાજમાતા. ઈંદુમતી, સુનંદા અને રાજદરબારની રાણીઓ તથા દમયંતી સૌ પોતપોતાની બેઠક લેવાની તેયારી કરે છે, એવામાં મંત્રીશ્વર આવીને રાજમાતાને તથા રાજ સુબાહને ખબર આપે છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૮ મા ]
શું એ હાર ટોડલા ગળી ગયા ?
૧૬૭
કે આપણા માલતી નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી સપરિવાર પધાર્યાં છે. આ સમાચાર સાંભળતાં જ સૈા ધણા ખુશી થયા અને પ્રભુના દનાથે જઇ તેમની અપૂર્વ વાણીને લાભ લેવા સાએ નિશ્ચય કર્યો. મંત્રીશ્વરને રાજાએ આ વધામણીમાં સારી પહેરામણી કરી.
રાજમાતા—એટા, દમયંતી ! તારી શી ઇચ્છા છે?
દમયંતી——માસીબા ! પ્રભુનાં દર્શન કરી તેમની વાણી સાંભળીને પછી હું વિદાય થવાની ઋચ્છા રાખુ બ્રુ. મહદ્ પુણ્યે મળેલેા આવા લાભ જતા કરી શકાય નહિ. અનાયાસે પ્રાપ્ત થયેલું સંતપુરુષોની વાણીનું આલંબન કેમ જતુ' કરી શકાય?
તરફ
રાજમાતા—મેટા ! તેં બહુ જ સારા વિચાર કર્યાં. ધણા કાળે પ્રભુ આ પધાર્યા છે. આજે આપણા દેશ અને રાજ્ય પવિત્ર થયાં છે, આપણાં સદ્ભાગ્ય છે કે પ્રભુનાં દર્શનને આ યાગ આપણને અનાયાસે મળે છે.
ઈંદુમતી—માતાજી! પ્રભુનાં દર્શન કરવાની અમને ધણી હાંશ છે.
સુનંદા—માતાજી ! માતાજી ! જેનું આપણે હમેશાં ધ્યાન ધરીએ છીએ, તે પ્રભુ કેવા હશે? મારી જિંદગીમાં તે પરમાત્માને જોવાને આ પ્રથમ પ્રસગ છે.
રાજમાતા—મેટા ! ભગવાન આ વખતે ઘણા લાંબા કાળે આ તરફ પધારે છે. ૐ તારા જન્મ પછી તેઓ આ તરફ પધાર્યા નથી, જેથી તેમનું પવિત્ર ་ન તને
ક્યાંથી થયું. ડ્રાય ?
સુનંદા—માજી ! પ્રભુ આપણા દેશ તરફ આમ લાંએ કાળે કેમ
આવતા હશે ?
રાજમાતા—બેટા ! આપણા દેશની આજુબાજુ કેટલાક અનાય પ્રદેશ છે. એટલે જિતેશ્વરદેવ જ્યારે આપણી પાસેના આય પ્રદેશ તરફ વિચરતા ઢાય ત્યારે આ તરક્ આવી ચઢે છે, પરંતુ ખીજી તરફ વિચરતા ઢાય ત્યારે અનાય† પ્રદેશમાં થઈને આ તરફ પધારવું બહુ મુશ્કેલ છે, એટલે આપણા દેશને તેમને લાભ થેાડે મળે છે.
સુનંદા માતાજી ! અનાય પ્રદેશમાંથી આપણુા પ્રદેશમાં ક્રમ ન આવી શકાય ? રાજમાતા—મેટા ! આવી શકાય ખરૂં પરંતુ અનાય પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષાને ધણું સંકટ વેઠવુ પડે છે. અનાય પ્રજા માંસાહારી હાવાથી આહાર-પાણીની મુશ્કેલી, નિર્દય મનુષ્યાનેા ય, ક્રૂર પ્રાણીઓના ભય, નાસ્તિક નૃપતિસ્મે। અને પ્રજાના ભય, આવા બીજા ધણા ઘણા ભયે આ પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષોને વેઠવા પડે.
સુનંદા—માજી ! પ્રભુને ભય કાના ઢાય ? ભય રાખે તે પ્રભુ પ્રેમ કહેવાય ?
રાજમાતા—મેટા ! પ્રભુને કાપતા ભય હાતા નથી, તે સદા અસય જ હેાય છે, તેમનું શરીર-સઠાણુ એવુ' હેાય છે કે તેમને ક્રાઇ ઉપદ્રવ કરી શકતું નથી. ચરમશરીરી અને તે જ ભવે મેક્ષાની હોવાથી સર્વ પ્રકારના ક્લેશ-ઉપદ્રવાને તેઓ તરી ગયા હોય છે, એટલે સર્વ સ્થાને સર્વકાળે જિનેશ્વરદે સદાય નિર્ભય જ હોય, પરંતુ તેમની સાથેના
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
૧૬૮
[ જેઠ બધા સાધુ સાધ્વીએ સ ́પૂર્ણ જ્ઞાન દર્શનને પામેલા નહીં હૈાવાથી એટલે કે છદ્મસ્થ અવસ્થાવાળા હોવાથી તેમનુ ધાર્મિ ક સ્વાસ્થ્ય જળવાય એ હેતુથી તેમજ તેમને અનાય દેશની સ્પનાને ઉદય નંહ હાવાથી પ્રભુ અનાય દેશમાં વિહાર કરતા નથી. તીથ'કર દેવ જે જે ક્ષેત્રની સ્પનાને ઉદય હ્રાય તે ક્ષેત્રમાં પધારે છે, ભગવંત રૂષભદેવજીને આય અનાય અને ક્ષેત્રની પનાના ઉદ્દય હતા તેથી તેએ અને પ્રદેશમાં વિચર્યાં હતા. પરંતુ કાઈ તીર્થંકરદેવને અના ક્ષેત્રની સ્પનાને ઉદ્દય ન ઢાય તે તેમને ત્યાં જવાનુ કારણ નથી. ભગવંત મુનિસુવ્રતસ્વામી અનાય ક્ષેત્રમાં વિચરતા નથી જેથી જણાય છે કે–ભગવ'તને અના ક્ષેત્રની સ્પનાના ઉદય નહીં હોય. જે તીર્થંકરદેવને અનાનાં ભયરૂપી કમ ભાગવવાનાં ડાય તેમને અવશ્ય અનાય ક્ષેત્રમાં જઈ તે કમ ભોગવી મુક્ત થવુ પડે, પરંતુ જેણે એ કર્માં ખપાવી નાખ્યા છે તેમને ત્યાં જવાની જરૂર રહેતી નથી.
દમયંતી—માસીબા ! આપનુ કહેવું યથાર્થ છે. પ્રભુને અનાય દેશમાં ભાગવવાનુ` ક્રાઇ કમ બાકી નથી એટલે તે તરફ વિચરવાની સ્વભાવથી જ જરૂર રહેતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા હેાવાથી તે દેશ તરને રાગ દ્વેષ તેમને ન જ હોય.
ઇંદુમતી—માતાજી ! ધન્ય ભાગ્ય
હોય તેને જ પ્રભુનાં દર્શન થાય.
સુનંદા—માજી ! આજે અમારું જીવન ધન્ય છે કે પ્રભુના દર્શનને યાગ અમારી જિંદગીમાં આ પહેલી જ વખત થાય છે. કેટલા મહાન લાભ?
રાજમાતા—મેટા ! પ્રભુનાં દર્શનનેા લાભ વણૅવી શકાય નહિ. એ દર્શીનથી ઘણા જીવા સમકિતને પ્રાપ્ત કરી, પરિત્તસ ંસારી બની, કમના ક્ષય કરી મેક્ષ મેળવે છે. આવે અપૂર્વ મહિમા પ્રભુના દર્શનના તથા વાણીનેા છે. તેથી જ કહ્યું છે કે—
दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं । दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं ॥
દમયંતી—માસીબા ! મને જવાને જરા વિલંબ તે થશે, પરંતુ પ્રભુના દર્શન અને વાણીનો લાભ લઈને જ જાઉં તે જ ઇષ્ટ છે.
રાજમાતા—મેટા ! હવે કાંઇ વાર નથી. ચાલીએ તેટલી જ વાર છે. પ્રભુનાં દર્શીન કરીને તમે સા સુખેથી સિધાવા.
વિપ્ર સુદેવજી તરફ જોઈને-મહારાજ ! તમે અમારા પ્રભુના દર્શન કરવા આવશે કે ? સુદેવ—માતાજી ! ધણી ખુશીથી હું પણ તમારી સાથે જ આવીશ. એ તમારા પ્રભુ છે એમ નથી, પશુ જગત્ આખાના પ્રભુ છે. એ જ સાચા બ્રાહ્મણુ એટલે બ્રહ્મને જાણુવાવાળા અને સાચા આચાય છે, એ જ સાચા અગ્નિહેાત્રી અને યજ્ઞા પાલક છે, આવા સત્પુરુષોના મે સમાગમ કર્યાં છે, તેમની વાણી સાંભળી છે, તેમ જ તેમના જ્ઞાન અને કર્માંચાગના પશુ મેં' અભ્યાસ કર્યાં છે. અમારા પૂર્વજો આવા સત્પુરુષને સમાગમ કરતા આવ્યા છે અને એ સમાગમને પરિણામે તેમના અનુયાયી પણ ઘડ્ડા બન્યા છે,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે ]
શું એ હાર ટોડલે ગળી ગયો ?
મારા પિતાશ્રી આવા સંતપુરુષને બહુ ચાહતા હતા. જેમનું જીવન અત્યંત વિશુદ્ધ અને સમદૃષ્ટિથી ભરેલું હોય છે ત્યાં પક્ષપાત નથી, વેરઝેર નથી. આ દર્શનની કિંમત હોય જ નહિં.
રાજમાતા–વિપ્ર સુદેવજી! તમે સદ્દભાવશાળી છે, સંસ્કારી સજજનોની વૃત્તિ ગુણગ્રાહી જ હોય છે.
દમયંતી–માસીબા ! ગુણના પક્ષપાતી આત્માઓ હમેશાં પૂજાય છે. વિપ્ર સુદેવજી ઉપર મારા માતાપિતા ઘણો સદ્દભાવ રાખે છે.
સુદેવ-રાજમાતા ! અમે બ્રાહ્મણ છીએ પણ બ્રાહ્મણ ધર્મને સમજીએ છીએ, બ્રાહ્મણ ધમ એ આમાનું અહિતકતી નથી પણ હિતકર્તા છે. જે બ્રાહ્મણ ધર્મને હિતકર્તા તરીકે જાણે છે તે બ્રાહ્મણ કર્મ કાંડના નિદોષ સાચા સ્વરૂપને જ અનુસરે છે. ધર્મ તે તે જ કહેવાય કે જે જન્મમરણથી છેડાવે અને સ્વર્યાદિનાં સુખને અપાવે શુદ્ધ ધર્મનાં મૂળ તત્તવોમાં ભેદ નથી.
દમયંતી–મહારાજ ! ખરી વાત. “અદ્રોહઃ સર્વભૂતેષુ, વર્મળ મનસા નિr” આ સનાતન સત્ય બધા ધર્મને લાગુ પડે છે. કોઈ પણ પંથ કે સંપ્રદાય ધર્મ હોવાને દાવો કરતો હોય તો તેણે ઉપલા સનાતન સત્યને અનુસરવું જ જોઈએ.
રાજમાતા–મહારાજ ! વેદધર્મમાં, બ્રાહ્મણ ધર્મમાં કે બીજા કોઈ પણ ધર્મમાં જેટલું અહિંસક ભાવ સચવાય તેટલો જ તે નિર્દોષ ગણાય. જિનેશ્વર સર્વ કાળે અને સર્વ પ્રદેશ અહિંસક ભાવના જ પ્રતિબંધક હોય છે, તે સર્વને સંપૂર્ણપણે આ ભાવને સ્પર્યા પછી જ તેઓ તે ભાવને પ્રકાશે છે. આત્માના કેઈપણ પ્રદેશમાં રજમાત્ર પણ મિથ્યાભાવ, જડભાવ કે અજ્ઞાનભાવ હેાય ત્યાં સુધી એક શબ્દ પણ બોધ તરીકે વાપરતા નથી.
સુદેવ-માતાજી! આપનું કહેવું યથાર્થ છે. સર્વજ્ઞ એ જ મહિમા છે. અ૫૪ જીવ મન વચન કાયાના ત્રણે યોગને ત્રણે કાળ સરખા રાખી શકતા નથી. જેથી તેમની વાણીમાં કેઇ દોષ આવવાનો સંભવ રહે છે, પરંતુ સર્વ ની વાણી તો ન્યાય, પ્રમાણ, તક અને અનુમાનથી સર્વથા સિદ્ધ થયેલી હોવાથી સવદા નિર્દોષ હોય છે. સાચા બ્રાહ્મણે આવી નિર્દોષ વાણીને સ્વીકારે છે, જેથી તે વાણીને લાહ્મણી, સરસ્વતી, સંપૂર્ણ માહેશ્વરી, ભારતી, ભગવતી, નિર્મળા, પ્રબોધિની, ગરવી, ગરી, ગંગા, બ્રાહ્મી, વૈષ્ણવી, અંબા વગેરે નામે આપવામાં આવ્યાં છે.
રાજમાતા-બ્રહ્મનિષ્ઠ સુદેવજી ! તમે શાસ્ત્રીય સારું જ્ઞાન ધરાવે છે. તેની સાથે તમારા વિચારો પણ પવિત્ર છે. વળી તમે અનુભવ પણ સારો મેળવ્યો છે. જે આજે તમારા સત્સંગથી પ્રત્યક્ષ થાય છે. તમને જવાની ઘણી ઉતાવળ છે છતાં તમે સંતવચન સાંભળવાની ઈચ્છા કરી જેથી અમને ઘણું જ હર્ષ થાય છે.
સદેવમાતાજી ! મહાપુરુષોના વચનની કિંમત કાંઇ અનેખી જ હોય છે. એ શ્રવણ તે કોઈ પ્રયોગે જ પ્રાપ્ત થાય છે. એ લાભ કેમ જવા દેવાય ? જ્ઞાનીઓ પિકારી પિકારીને કહે છે કે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
છો
ન ધર્મ પ્રકાશ
પણ મળેતા, શ્રયમાાં વિધાનતા
गीतं पापक्षयायोच्चैः, योगसिद्धर्महात्मभिः ॥१॥ ઉત્કૃષ્ટ પ્રકારના રોગસિદ્ધ મહાત્માઓના ફક્ત બે જ અક્ષરો સાભાવથી વિધિપૂર્વક સાંભળવામાં આવે અને સાંભળ્યા પછી ધારણ કરવામાં આવે તે પાપને ક્ષય કરે છે.
રાજમાતા–મહારાજ! ખરી વાત, એ વચનની કિંમત આંકી શકાય જ નહિ. કહેવાય છે કે –
એક વચન એ સદગુસકેરે, જો બેસે દિલમાંય રે પ્રાણી, નરકગતિમાં તે નહીં જાએ, એમ કહે જિનરાય રે પ્રાણુ.
સદૂગુરુ વંદન નિત્ય નિત્ય કરીએ. સુદેવ-માતાજી! મને તે જતા જતામાં આ લાભ મળી જાય છે એટલે મારે મન તે “ પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ” જેવું થાય છે.
રાજમાતા–વિવેકી વિપ્ર ! તમે સગુણ ને પુણ્યશાળી છે.
સુદેવ-માતાજી! સાચે બ્રાહ્મણ સતશાસ્ત્રનું શ્રવણ કરવામાં આનાકાની કે વિલંબ કરતા નથી. તેમજ તે રસામૃતનું પાન કરતાં જરા પણ કરતો નથી, માટે જ કહ્યું છે કે “મારું બ્રહ્મ વિજ્ઞાન વિમતિ યુતશ્ચર” સુન જીવો બ્રહ્માનંદ પ્રાપ્ત કરવામાં કોઈ રીતે ડરતા નથી. કેમકે આ-વાણીરૂપ આનંદમાં નિગૂઢ તાત્પર્ય સમાયેલું છે.
દમયંતી-માસીબા ! વિપ્ર સુદેવજી એક સંસ્કારી આતમા છે, આજે તેમણે સાચે ધર્મ જા છે.
સુદેવ–માતાજી ! અમે બ્રાહ્મણ ધર્મના શુદ્ધ અનુષાને સેવીએ છીએ. સર્વ જીવોને નિર્દોષ ન્યાયની અદાલતનો આશ્રય લેવાનો હોય છે. સાચે બ્રાહ્મણ પવિત્ર જીવન ગાળી એ નિર્દોષ અદાલતમાંથી જ ન્યાય મેળવી શકે સર્વને સુખ પિય છે, જેથી સુખ આપનારો જ સુખ મેળવી શકે. સર્વને જીવન પ્રિય છે. જેથી જીવનદાન આપનારો જ જીવનદાન મેળવી શકે. આવી નિર્મળભાવથી ભરેલી એ અદાલતમાં કોઈને પક્ષપાત નથી, એ નિર્પક્ષી છે.
( ચાલુ )
આપે ન વાંચ્યું હોય તે અવશ્ય વાંચશે શ્રી સીમંધર શોભાતરંગ પ્રાચીન રાસને સુંદર નમૂને, ભાવવાહી કાવ્યશૈલી અને કામગજેન્દ્રકુમારનું ચમત્કારિક ચરિત્ર પાકું બાઈડીંગ, ૩૨૦ પૃષ્ટ, મૂલ્ય રૂા. બે
લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યવહાર કૈાશલ્ય -૧ (૩૦૩)
<<
પાતાના હરીફની હારને પાતાની જીત ગણ્યા વગર તેની ચેાગ્ય ક્રિ’મત આંકે ત્યારે હૃદયની સર્વથી વધારે કસાટી થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસની પરીક્ષા કરવાના જુદા જુદા સમય છે. જ્યારે તમારા હરીની શીકત થઈ હોય તેને તમારી જીત ગણી લેા ત્યારે એ પરીક્ષામાં તમે નિષ્ફળ નીવડ્યા છે. એમ ગણાય. તમારે અનેક પ્રકારના હરીફા ડ્રાય છે, ક્રાઇ ધનની બાબતમાં તે કાઇ વખતની બાબતમાં, ઘેાડાની રેસમાં કાઇ હરીફ્ હેય. ઘેાડે બેસનાર તમારા હરીફ હાય અથવા જ્યાં ત્યાં ખરીદી કરેલે તમારા માણસ તમારા હરીફ થઇ બેઠેલે ડૅાય, એ કદાચ હારી જાય. તેની હાર વખતે તમને તમારી જીત ન લાગવી જોષ્ટએ, એટલે તમારા હરીફ પડ્યો તેમાં તમે જીતી ગયા હૈા, એમ ન સમજો, અને એને અનુસારે ન કરો, તમારા હરીફ માટે વાર્તા કરી તા તે વખતે તમારા હૃદયની ખરેખરી પરીક્ષા થાય છે. તમારે તમારા હરીફ પ્રત્યે તે સારી 'હરીફાઇ બતાવવી ઘટે, તેને બદલે તેની વાતમાં તમે રસ લેા, એટલે એ ક્રાઈ બાબતમાં ખીન્ન સાથે દ્વારી ગયા હોય તે વાતને તમે મેાટુ' રૂપક આપી, તેની વાત વધાર્યાં કરી, તે તમે જાતે જ નીચ છે! એમ લાગે. તમે તમારા હરીની હાર કે જીત બીજા સાથે થઈ કે નહિ તે વાતની બેદરકારી રાખે। તે તમે માટા દીલના આદમી છે. એમ લાગે અને તમે તે વાતને કાંઇ પણ રૂપક ન આપે તેા તમે ઉદાર સ્વભાવનો આદમી છે. એમ જાય. તમારી મહત્તા એ વાતને મેાટી કરવામાં કે 'તમારી છત તેના પર થઇ ગઇ છે એમ જણાવવામાં નથી. તમારે તે એ વાતને દાખી દેવી જોઇએ, કારણ કે ખીજા માણુસ સાથે હાર થઈ એમાં તમારી જીત નથી, પણ તમારે તે રમતીયાળ માણુસના આશય રાખવા ધરે અને ખેલદીલી બતાવવી જોઇએ, એને બદલે તમે જાણે મેાટા વિજય મેળવ્યેા હાય એવી વાત કરેા, તે તમારી એ ખેલદીલી સૂઇ જાય છે અને તમે સામાન્ય જનતાના માણુસ છે, અને તમારા હરીફને તાડી પાડવાની દરેક તકને લાસ લા છે એમ લાગે. આ વાતમાં તમારા હૃદયનો પરીક્ષા અને તમે ખેલદીલ કેવા છે તે જણાઇ આવે છે. એ રમતમાં તમે ભાગ લીધા નથી, એટલે તમને એની સાથે કાંઈ લાગતું વળગતુ નથી, છતાં તમે તેનું ક્રેડીટ( માન ) યે। અથવા લેતા દીક્ષ બતાવા એ તમારી હલકાઇ બતાવે છે. જો તમે ખરેખરા ખેલદીલ્લીવાળા ઢા, તા તમે એ વાતને જરા પણુ રૂપક ન આપે, અને એ વાત બની જ નથી એટલી ઉદારતા કે નિરપેક્ષતા રાખા, એને માટે તમારા હરીફને કાઇ બીજા માણસ સાથે લડતા અને પડતા જુએ તેમાં રસ લે અને એ વાતને રૂપક આપે। ત્યારે તમારી ખેલદિલી કથાં રહી? માટે સમેં માણુસે પેાતાની પરીક્ષા થવા દેવી ન હેાય તેા હરીફની હારમાં રસ ન લેવા અને ખાસ કરીને તે ખીજા સાથે લડતા હેાય તે તેમાં રસ ન લેવા, તેની હારની વાત વધારી નહિ અને ખેલદીલી દાખવવી તેમાં સરવાળે લાભ છે અને પરીક્ષામાં પસાર થવાપણું છે.
The hardest trial of the heart is whether it can bear rival's failure without triumph. Ailein.
( ૧૧ ) =
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
શ્રી જૈનધર્મ પ્રકાશ.
[ જેઠ
(૩૦૪) દરેક વાતમાં માણસ પોતાની મહત્તા બતાવી પોતાના નસીબને કરવૈયે થાય છે એમ આપણે કહેવું ન જોઈએ પણ દરેક માણસ પોતાના ચારિત્રને
ઘડનાર છે એમ કહેવાય. આપણામાં એક કહેવત છે કે દરેક માણસ પોતાના નસીબનો ઘડનાર છે. એ કહેવતનો આપણે એકથી વધારે વાર ઉપયોગ કરીએ છીએ અને તેને સત્ય માનીએ છીએ. લખપતિ થવું કે કરેડાધિપતિ થવું એ આપણું કબજની વાત છે, પણ આપણે તે વાતને હરચારવી ન જોઈએ, અથવા લખપતિ પોતાની કળાથી લખપતિ થયું છે એમ કહેવાય નહિ. ભરદરિયે વહાણ ચાલતું હોય અને પવન અનુકૂળ આવે તે વહાણ તરી જઇ કાંઠે આવે, તેનું માન વહાણના કપતાનને ન ઘટે, પવનને ઘટે, તે પ્રમાણે કેાઈ માણસ લખપતિ થાય કે કરોડાધિપતિ થાય તેમાં ઉપરની ઉપમા બરાબર લાગે છે. તેમણે પોતાની મહત્તા માને એ ભૂલભરેલું છે. એમાં અદક્ય, દે વે, ભવિતવ્યતાએ, કાળે કામ કર્યું છે અને બીજા સહકારી કારણે મળવાથી છપ્પનની ઉપર ભૂંગળ વાગે તેવો થાય, આ સર્વ વાત બનવાજોગ છે પણ તેણે યાદ રાખવું ઘટે કે તેને પિતાને ફાળો તે પુરુષાર્થ પૂરતું જ છે, અવાંતર કારણે બીજાં ઘણાં છે અને તે સર્વ વિદ્યમાન છે. એશ્વર્યનો મદ તે રાજ્ય મળે તે પણ ન કરો અને પિતાથી કાંઇ થયું છે એમ તે હરગીજ માનવું નહિ, અને મળેલ ધનને સારો વ્યય કરવો, સમાજહિતનાં કે જ્ઞાતિહિતના કામમાં પૈસાને ઉપયોગ કરવો અને પિતાના હૃદયમાં સમાજહિત વસ્યું છે તે બતાવી આપવું.
આપણે તે બધો આધાર વર્તન-ચારિત્ર પર રાખવાનું છે. આપણું કબજાની એ વાત છે, ઉદાર થવું કે અક્રોધી, અમાની, અમાયી, અભી થવું એ આપણુ કબજાની વાત છે, એટલે આપણું નસીબના કે ઐશ્વર્યના ઘડવૈયા આપણે છીએ એમ કહેવું એના કરતાં પા૫ણું ચાલચલગતના ઘડનાર આપણે પોતે જ છીએ એમ કહેવું અથવા પુનરાવર્તન કરવું એ વાસ્તવિક વાત છે. એમ કહેવામાં કોઈ પણ પ્રકારને બાધ નથી આવતે અને આપણે કેવા થવું તેને સર્વે આધાર આપણું ઉપર છે એ વાતને સ્વીકાર એમાં થઈ જાય છે એ અતિ મહત્વની બાબત છે. આવી મહત્વની બાબતમાં એકાંત નિર્ણય પર ન આવતાં વાસ્તવિક રીતે તો શાસ્ત્રાવગાહન કરવું અને જીવને સચિદાનંદ સાથે જોડવે અને આપણા ચારિત્ર માટે આપણે જોખમદાર છીએ, અથવા આપણે થવા ધારીએ તેવા થઈ શકીએ છીએ એમ સમજવું. આ બાબતમાં જરાપણ વાંધા જેવું જણાય તો જણાવવું, એમાં અભિમાન કે ઐશ્વર્યાને સ્થાન ન આપતાં ચારિત્રને
સ્થાન આપવું. કશળ માણસ પોતાના નસીબને કર નથી તેથી ગભરાય નહિ. કારણ કે તે જાણે છે કે પોતાના ચારિત્ર ઘડનાર પિતે જાતે છે, એમાં જરાપણું ગોટાળો ચાલે કે ચલાવી લેવા યોગ્ય હોય તેમ ગણાય નહિ. સમર્થ માણસો ચારિત્રને ઘડે છે અને સદા આનંદમાં રહે છે.
સ્વ. મૌક્તિક Let me not say, every man is architect of his own future but let us say, every man is architect of his own character. J. B. Boardman.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે
છે ક (ગતાંક થઇ ૯૯ થી શરૂ) F& (લેખક–3. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા . 5. B. ઇ.)
આમ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પણ આવી વિકટ છે અને તેને પ્રાપ્ત કરવાની કારણુપરપરા પણ ખાવી મહાન અને દુર્ઘટ છે. તે પછી આ પ્રભુસેવાની ઉતરોતર ઉચય ઉચ ભૂમિકાઓ તે કેવી વિકટ અને દમમ હોવી જોઈએ ? એ અર્થા૫ત્તિન્યાયથી પ્રાપ્ત થતું સામાન્ય નિયમન કરતાં મહામુનીશ્વર શ્રી આનંદધનજી ઉપસંહાર કરે છે–
મુગધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; જે કદાચિત સેવક યાચના રે, આનંદધન રસરૂપ;
સંભવ દેવ તે ધરે સે સવે રે. અથર–જે મુગ્ધજને છે તે આ ભગવાનનું સેવન સુગમ જાણીને આદરે છે, પણ તે સેવન તે અગમ અને અનુપમ છે. હે આનંદઘન રસરૂપ ભગવાન ! આ સેવક આપની તથાપ આનંદવન–રસરૂપ સેવાની યાચના કરે છે, તે કદાચિત આ૫ દેજે !
વિવેચન“શિવગતિ જિનવર રવ, સેવ આ દેહુલી છે લાલ, પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહલી હે લાલ.”
તવરંગી મહામુનિ દેવચંદ્રજી. ઉપરમાં વિવરીને બતાવ્યું તેમ અભય-અષ-અખેદ એ પ્રભુસેવાની પ્રાથમિક
ભૂમિકા છે. આ પ્રાથમિક ભૂમિકારૂપ ગુણ થોગની પ્રથમ દષ્ટિ-મિત્રા પશ્ચાદભૂમિકાન દષ્ટિ ખૂલે છવના અંગમાં આવે છે. અને સર્વ જગત પ્રત્યે જયાં દિગદર્શન, નિર્મસર અષભાવયુક્ત મૈત્રીભાવ વતે છે, એવી આ યથાર્થનામાં
• મિત્રા' નામક યોગદષ્ટિની પ્રાપ્તિ પણ ચરમાવર્તામાં ચરમ કરણને શા હાય છે, જેની પ્રાપ્તિ વળી અંતર્ગત ભાવમલ ની અહપતાથી તથાભવને પરિપાક થયે જીવની આધ્યાત્મિક યોગ્યતાને આધીન છે. જીવની આ આધ્યામિક યોગ્યતા પ્રગટાવવા અને વિકસાવવા માટે સાચા સાધુગુણસંપન્ન (માત્ર વેષધારી નહિં ) એવા મોક્ષમાર્ગ સાધક મહામુમુક્ષુ સાધુપુરુષોને સત્સંગ, તેમજ અધ્યાત્મ ગ્રંથના શ્રવણમનનાદિ સત-નિમિત કારણુના અવલંબને આમાના સત્ પુરુષાર્થની ફુરણુવડે ઉપાદાનકારણની જાગૃતિ, એ અદિ કારણ પરંપરાનું સેવન અનિવાર્ય આવશ્યક છે આ સમસ્તનું ઉપરમાં સવિસ્તર વિચિત થઈ ચૂક્યું છે, એટલે તેનું પિષ્ટપેષણ નહિં કરતાં માત્ર સંક્ષેપમાં વિવેકી વાંચકની સ્મૃતિને સતેજ કરી, આ સર્વ પ્રતિપાદનને ફલિતાર્થ અત્ર વિચારશું. અને તેમાં પ્રથમ આનંદઘનજીના આ ઉગારની પશ્ચાદભૂમિકાનું (Background) કિંચિત દિગ્ગદર્શન કરશું.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
- -
૧૭૪
શ્રી જન ધમ પ્રકાશ. જિનદેવ એ લેકોત્તર દેવ છે અને આ જિનદેવને ભજવાને ભક્તિમાર્ગ પણ લોકેનર
* માર્ગ છે. એટલે આ જિનદેવનું અને એના ભક્તિમાર્ગનું યથાર્થ દર્શન લેકેસર દેવ પણ લોકોત્તર દષ્ટિથી જ થઈ શકે; કારણ કે દષ્ટિ વિના જેમ બહિરંગ લોકોત્તર માર્ગ માર્ગનું દર્શન થઈ શકે નહિ, તેમ આધ્યાત્મિક દષ્ટિ વિના અંતરંગ
ભાવમાર્ગનું દર્શન થાય નહિં. અને જિનમાર્ગ તે મુખ્યપણે અધ્યાભપ્રધાન ભાવમાર્ગ છે, એટલે તેનું નિરૂપણ કરવાને અલૌકિક એવી આધ્યાત્મિક યોગદષ્ટિ જ જોઈએ, બાળ લોકિક દૃષ્ટિ-ઘદ્રષ્ટિ તેમાં કામ આવે નહિં. અર્થાત આ દિવ્ય જિનમાર્ગનું દર્શન ગણિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે, ગાડરીઆ પ્રવાહ જેવી બહિરંગ એવદષ્ટિથી ન જ થઈ શકે. અત્રે આ ઓઘદષ્ટિ અને યોગદષ્ટિને સ્પષ્ટ તફાવત સમજી લેવાની ખાસ જરૂર છે.
ઓધદષ્ટિ એટલે સામાન્ય, પ્રાકૃત, ગતાનુગતિક ભવાભિનંદી જનની દષ્ટિ. ધદષ્ટિ અને ગદષ્ટિ એટલે તત્ત્વમાર્ગને અનુસરનારા સમ્યગદષ્ટિ મુમુક્ષુ યોગી યોગદષ્ટિ પુરુષની દષ્ટિ. ઓઘદષ્ટિ કિક, લેક વ્યાવહારિક, પ્રવાહપતિત, ગાડરીઆ
પ્રવાહ જેવી છે, એમદષ્ટિ અલોકિક, પારમાર્થિક, યોગમાર્ગનુસારિણી, તત્ત્વમાહિણી છે. ઓઘદષ્ટિમાં અંધશ્રદ્ધા છે, યોગદષ્ટિમાં સત્ય શ્રદ્ધા છે. “સરકાસાત વધો દષ્ટિમિષા ” ઓઘદૃષ્ટિવાળા અંધશ્રદ્ધાળુજને દર્શનભેદ બાબત પરસ્પર વાદ વદે છે, ધર્મને નામે મિસ્યા ઝગડા કરે છે, કદાગ્રહ-ગચ્છ-વાડા-સંપ્રદાય આદિમાં રાચે છે. ગદષ્ટિવાળા જન પરર૫ર દર્શનભેદ બાબત વિવાદ કરતા નથી, પરંતુ સવ દર્શનને એક શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગભૂત માની તેને આત્મબંધુતપણે માને છે. આમ યોગદષ્ટિ અને આધદષ્ટિનો સપષ્ટ તફાવત છે. એટલા માટે લેકની આ ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી અંધકારરૂપ લાકિક
એ દષ્ટિ દુર કરાવી તેમને દિવ્ય જિનભાગના યથાર્થ દર્શનાથે સત દિવ્ય દૃષ્ટા શ્રદ્ધારૂપે આધ્યાત્મિક યોગદષ્ટિ અર્પવા માટે જ શ્રી હરિભદ્રજી, શ્રી આનંદયોગીશ્વરો ઘન. યશોવિજયજી આદિ જાગતી જ્યોત જેવા દિવ્ય દૃષ્ટા, જોગીરાજેએ
નિષ્કારણ કણાથી અંધશ્રદ્ધાની આંધી ટાળનારી ગદષ્ટિને દિવ્ય પ્રકાશ રેલા છે; અને મતદર્શનના આગ્રહરૂપ કૂપમંડૂક દશા છેડાવવા સર્વ દર્શનસમન્વયકારિણી સાગરવરગંભીરા વિશાલ અનેકાનત તદષ્ટિ સમર્પવાનું ભગીરથ પ્રયત્ન કરી જનસમાજ પર અનન્ય ઉપકાર કર્યો છે. કારણ કે તેવી દષ્ટિના અભાવે અલૈકિક આધ્યાત્મિક જિનમાર્ગને પણ ગતાનુગતિક લકે કિક દષ્ટિએ-વદષ્ટિએ અલકે છે મહાતમા આનંદઘનજી પોકારી ગયા છે કે
ચરમ નયણુ કરી મારગ જેવતો રે, ભૂ સયલ સંસાર;
જિણે નયણે કરી મારગ જઈએ રે, નયન તે દિવ્ય વિચાર. શ્રી યશોવિજયજી જેવા પણ પિોકારી ગયા છે કે ધામધૂમે ધમાધમ ચલી, મેક્ષ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૮ મેા]
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
૧૭૫
અધ્યાત્મપ્રધાન છે ને તે માટે યોગદૃષ્ટિરૂપ દિવ્ય
મારો દૂર રે. ' પશુ જિન રત્નત્રચીરૂપ મૂળ મા તેા આધ્યાત્મિક એવી યેાગદૃષ્ટિથી જ દેખી શકાય, તે મા` દેખવા નયન જ જોઇએ. ‘“ જણે નયણે કરી મારગ જોઇએ રે, નયણ તે દિવ્ય વિચાર ” આ માના સમ્યગ્દર્શનને અર્થે સમ્યગ્દષ્ટિની હું બહુ જરૂર છે, કારણ કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ તે દર્શન તેવુ સર્જન. દૃષ્ટિ સમ્યગ્ ઢાય તા દર્શીન સમ્યગ્ દૃષ્ટિ તેવી સૃષ્ટિ હાય તે સર્જન પણ સમ્યગ્ ડૅાય, દષ્ટિ મિથ્યા હાય, તે દન મિથ્યા દૃનતેવુ સર્જન હોય ને સજ્જન પણ મિથ્યા હાય. ભગવાન મહાવીરદેવે શ્રીગાતમવામીને સમ્યગ્ નેત્ર આપ્યા તેા વેદના અર્થ પણ સભ્યપણે સમાયા, ઢસિમ્યક્ હાય તા મિથ્યાદષ્ટિના શાસ્ત્ર પણ સભ્યપણે પરિણમે તે દૃષ્ટિ મિથ્યા હાય તે સમ્યગ્દૃષ્ટિના શાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે; માટે સમ્યગ્રષ્ટિની-ચેંગદષ્ટિની ઉપચે ગિતા જીવનમાં ઘણી ઘણી છે.
કારણ કે આ આત્મદશામાપક થર્મંમીટર જેવી યાગદષ્ટિને સ્વાધ્યાય જે કરશે, તે વિચારશે કે હું તે કઈ દૃષ્ટિમાં વત્તું છું ? મારામાં તે તે દૃષ્ટિનાં આત્મનિરીક્ષણ કલ્યાં છે તે યથક્ત ગુણુલક્ષણ છે કે કેમ? ન હેાય તેા તે પ્રાપ્ત કરવા Introspection મારે ક્રમ પ્રવત્તવું ? ઇત્યાદિ પ્રકારે અંતમુ ખનિરીક્ષણુ ( Introspe ction ) કરતાં સુન્ન વિચક્ષણને તત્ક્ષણુ પાતાના આત્મદશા કેવી છે ને પેાતે કર્યાં ઊભા છે તેનું ભાન થશે; તેમજ વિશેષ* અવલેાકન કરતાં જણાશે કે અભય, અદ્વેષ, ખેદ એ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ ગુણુ યાગની પ્રથમ દૃષ્ટિ-મિત્રા દષ્ટિના અંગભૂત છે; અને શાસ્ત્રમાં જે ‘ મિથ્યાદષ્ટિ' નામનું પ્રથમ ‘ મુત્યુસ્થાન ' કહ્યું છે, તે અહીં મિત્રા દૃષ્ટિમાં મુખ્યપણે ધરે છે; અર્થાત્ આ મિત્રા દૃષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ ગુરુસ્થાન ’–ગુણના સ્થાનરૂપ ગુરુસ્થાન તે શબ્દના ખરેખરા અર્થમાં નિરુપચરિતપણે ધરે છે. આવા તથારૂપ ગુણેાની પ્રાપ્તિનું મંડાણુ-પ્રારંભ પ્રથમ દૃષ્ટિમાં થાય છે, ચૈાગમાર્ગોમાં પ્રવેશનુ શુભ મુહૂર્ત્ત આ પ્રથમ દૃષ્ટિ છે, સન્મા` પ્રાપ્તિની યોગ્યતાનું આ માંગલાચરણુ છે, મેાક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન યેાગ–પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે. અત્રે મિત્રાદષ્ટિમાં જો કે હજી મિથ્યાત્વ ટળ્યું નથી તે સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, આ ગુણો ઉપર પુખ્ત વિચાર કરી, પેાતાના આત્મામાં તેવા તેવા ગુણેા પ્રગટ્યા છે કે નહિં, તેનું જો આત્મનિરીક્ષણ કરવામાં આવે તે પેાતાનામાં તેત્રા ગુણુ નહિં પ્રગટ્યા છતાં, પોતાનુ સમકિતીપણું કે છઠ્ઠા ગુઠાણાપણું માની બેસનારા લેાકેાના કેટલાક ભૂલભરેલા મિથ્યા ભ્રાંત ખ્યાલે દુર થવાને સંભવ છે. સમ્યગદષ્ટિની મંજલ તા હજી ઘણી લાંબી છે, પણુ પ્રવાસની શરૂઆત પશુ હજી થઈ છે કે નહિ', ‘ પાશેરામાં પણ પહેલી પૂણી ' કેતાણં છે કે નહિ', 'પહેલા
* આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિસ્તર વિવેચન કરેલ શ્રી યાગષ્ટિસમુચ્ચય વિવેચન ગ્રંથનું અવલાકન કરવું,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
મા ન ધર્મ પ્રકાશ ગુણઠાણાનું પણ ઠેકાણું છે કે નહિં, તે આ મિત્રા દષ્ટિ અને તેના અંગભૂત આ અભયઅષ-અખેદ આદિ ગુણ પરથી ગૃહસ્થ કે સાધુ કોઈ પણ આત્માર્થીએ આત્મસાક્ષીએ નિરભિમાનપણે વિચારવાનું છે. જેમકે કોઈની પણ સુકૃતિ દેખી જેને ગુરુપ્રમોદ ઉ૫જવાને બલે ગણદેષ-મત્સર ઉપજતે હોય છે. તે ભલે ગૃહસ્થ હોય કે સાધુષધારી હોય, તો પણ તે આ પરથી “ આત્મનિરીક્ષણ કરતાં શીધ્ર સમજી શકે છે કે હું તે મિત્રા દષ્ટિનું અદેષ લક્ષણ પણ પામ્યો નથી, એટલે યોગની આ પ્રથમ ભૂમિકામાં પણ મારો પ્રવેશ નથી, માટે મારું મિથ્યાભિમાન ખોટું છે. આમ જે સરલ આત્માર્થી વિચારે છે તે સ્વદોષ દૂર કરી ગુણને પામે છે. આથી ઉલટુંગ ગ્રંથના ભાવનું જેને ભાન નથી ને જાણે તે જે પ્રકાશતા નથી, અને તથા૫ ગુણપ્રાપ્તિ વિના જે પોતાની કેકટ મેટાઈને ફાંકા મનમાં રાખે છે, તેવાઓ અંગે શ્રી યશોવિજયજીના વેધક વચન છે કે
નિજ ગણુ સંચે મન નવિ ખં, ગ્રંથ ભણી જન વંચે; લુચે કેશ ન મુચે માયા, તે ન રહે વ્રત પંચે. યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફેકટ મેટાઇ મન રાખે, તસ ગુણ દૂરે નાશે. પરપરિણતિ પોતાની જાણે, વરતે આરતધ્યાને; બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહેલે ગુણઠાણે”
–સાડા ત્રણ ગાથાનું સ્તવન. તેમજ અત્રે એ પણ સમજવા યોગ્ય છે કે આ અભય-અષ-અખેદરૂપ પ્રભુસેવાની
પ્રથમ ભૂમિકા જેને પ્રાપ્ત થાય છે, તે ચરભાવમાં વતે જીવ અવશ્ય અપુનબંધકથી અપુનબંધક જ હેય. અને આ અપુન ધકને જલલિતવિરત, યોગબિન્દુ, માંડી માર્ગને પંચાશકાદિ શાસ્ત્રમાં સર્વત્ર શ્રી હરિભદ્રસૂરિએ ડિડિમનાદથી ઉષીને અધિકારી, જિનમામને પ્રાથમિક અધિકારી કહ્યો છે, તે વસ્તુ ૫ણું આ ઉપરોક્ત
| સર્વ વિધાનને પુષ્ટ કરે છે. શ્રી લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજીની હરિગર્જના છે કે –
" व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्ध देशनाऽ. नईत्वात् । शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः।" | ( અર્થાત) અને આશ્રમાર્ગમહાપુરુષ, ક્ષીણપ્રાય કર્મવાળા, વિશુદ્ધ આયી, ભવઅબહુમાની એવા અપુનબંધકાદિને વ્યવસ્થિત છે; અને પુનઃ અહીં અનધિકાર જ છે, શુદ્ધ દેશનાના અનહપણને (અથગ્યપણાને) લીધે. શુદ્ધ દેશને ખરેખર! શુદ્ધ સત્વવાળા મૃગયુથને સંત્રાસન સિંહનાદ છે. તે જ મહર્ષિ પચાશકમાં પ્રકાશે છે કે – " एते अहिगारिणो इह ण उ सेसा दव्वओ वि जं एसा । इयरीप जोग्गयाए सेसाण उ अप्पहाण चि.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્ક ૮ મે ]
www.kobatirth.org
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
णय अपुणबंधगाओ परेण इह जोग्गया वित्तति । ण य ण परेण वि एसा जमभव्वाणं वि णिहिठ्ठा ॥
15
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારગ જોવા ૨, લાય. ' ઇત્યાદિ.
( અર્થાત્ ) આ-અપુનમ ધાદિ અહીં આધકારીઓ છે, પણ શેષ તે દ્રવ્યથી પણ અધિકારી નથી; કારણકે આ દ્રશ્ય વંદના જંતરની-ભાવ વંદનાની યાગ્યતા સતે ડ્રાય છે, અને તે દ્રવ્ય વંદના શેષને અર્થાત્ અપુનઃધક સિવાયનાને અપ્રધાન હોય છે. અને અપુન ધકથી પરને અર્થાત સમૃદ્ભધકાદિને અહીં ચગ્યતા પણ યુક્ત નથી, અને એથી પરને– સમૃદ્ધધકાદિને પણ આ અપ્રધાન વ્યવદના નથી એમ નથી અર્થાત્ હાય છે જ, કારણ કે તે અભવ્યેને પણ કહી છે. તાત્પર્યં કે—સાચા મુમુક્ષુ આત્માર્થી એવા અપુન ધથી માંડીને જ જિનમાર્ગનું અધિકારીપણ કહ્યું છે—
१७७
7)
“ અપુનમ બેંકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાગે જાણુ, —શ્રી યાવિજયજી કૃત સાડા ત્ર. ગા. ત. આટલી પ્રાસંગિક પશ્ચાદ્ભૂમિકા પરથી ‘ મુગંધ સુગમ કરી આદરે ’ ત્યાદિ ગાથાના વક્તવ્યનું યથાર્થ પશુ સમજવુ સુગમ થઇ પડશે. જેણે ક્રિન્ય સુગધ સુગમ યોગદૃષ્ટિથી જિનમાર્ગનું સમ્યગ્દર્શન કર્યું છે, એવા આષ દ્રષ્ટા મહર્ષિ કરીસેવન આન ધનજીએ લેકામાં દિવ્ય નયનરૂપ ચેંગદષ્ટિને પ્રાયઃ અભાવ દેખી, આદરે - પથડા નિહાળું ? ખીજા જિનતણા ૨' એ બીજા સ્તવનમાં તીવ્ર આત્મસવેદનમય ખેદના ચીકાર વ્યક્ત કર્યાં હતા કે “ ચર્મ નયણુ કરી ભૂક્ષ્ા સયલ સસાર, પુરુષપરંપર અનુભવ જોવતાં હૈ, અધા અધ
For Private And Personal Use Only
લેાકાની અધશ્રદ્ધાપ્રધાન દશા નિહાળી સાચી શાસનદાઝથી ખિન્ન થયેલા તેને અત્રે પશુ ચીત્કાર નીકળી પડયા છે કે ‘ મુગધ સુગમ કરી સેવન આદરે ' અર્થાત્ અલૌકિક જિનમાતુ જેને ભાન નથી ને તે દિવ્યમાત્રને યચા પણે દેખવાની અલાકિક સમ્યગ્ યાગ દષ્ટિ જેને લાધી નથી, તે મુગ્ધ જને, મૂઢ અજ્ઞાની ખાલ ભેાળા જીવા ભગવાનનું સેવન જાણે સુગમ હ્રાય એમ જાણી આદરે છે. પણ ઉપરમાં વિવરો બતાવ્યુ છે તેમ અભય-અદ્વેષ-અખેદરૂપ આધ્યાત્મિક ગુણુ ચેાગ્યતાની પ્રાપ્તિ એ જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે; અને તે પણ જો આવી વિકટ ને દુ†મ છે, તે પછી આગળ આગળની ભૂમિકા તે અતિ અતિ દુર્ગીમ હાય એમાં પૂછવુ જ શું ? ( અપૂણુ' )
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઇના આપણું તીર્થો
અને મંદિરના લગતા મનનીય વિચારે. રા. . શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈ દુષ્કાળ રાહતના કામ માટે તા. ૩ અને ૪ મે ના રોજ કંડલે આવ્યા હતા. કુંડલાના મહાજને તેઓશ્રીનું ભાવભીનું સન્માન કર્યું હતું. તા. ૬ ના સવારે વેલાસર તેઓશ્રી કંડલાના જૈન સંઘના આમંત્રણને માન આપી સંધના મકાને પધાર્યા હતા. સાથે રાહત કમીટીના સભ્યો તથા માનનીય પ્રધાન શ્રી જાદવજીભાઈ મોદી હતા. શ્રી સંધ તરફથી શેઠશ્રીએ જૈન સંઘની જે ઉત્તમ સેવા કરી છે. સંધના ધણા કામોમાં માર્ગદર્શન કરાયું છે, અને તીર્થોના અનેક જૂના ઝધડાએ કુશળતાથી પતાગ્યા છે તે માટે અભિનંદન આપવામાં આવ્યું હતું. હું પણ હાલમાં હવાફેર કંડલે રહેતા હોવાથી તે મેળાવડામાં હાજર હતા. શેઠશ્રીએ આપણું સંઘોને ઉદેશી કેટલાક હિતવચને કહ્યા હતા, તે જૈન સમાજે હૈયે રાખવા જેવા હોવાથી તેને સંક્ષિપ્ત સારાંશ અહીં આપવામાં આવે છે.
શેઠશ્રીએ કહ્યું હતું કે-હિંદુસ્તાનના અનેક ધર્માનુયાયીઓના મંદિરો મેં જોયા છે, પણ જે સ્વચ્છતા, વિશાલતા અને સ્થાપત્ય-કલારસિકતા જૈન મંદિરમાં જોવામાં આવે છે તે બીજા મંદિરોમાં ભાગ્યે જ જોવામાં આવે છે. આપણા વડીલેએ મુસલમાન રાજ્ય જેવા વિષમકાળમાં પણ વ્યવહારકુશળતાથી આપણા તીર્થો અને મંદિરોને સાચવ્યા છે. અને આપણને અપૂર્વ વારસે આપે છે, જે સાચવી રાખવાનું અને તેમાં વૃદ્ધિ કરવાનું આપણું કર્તવ્ય છે.
શેઠશ્રીએ આગળ ચાલતાં કહ્યું હતું કે-મને કહેતા દુઃખ થાય છે કે હાલમાં આપણું ભાઈઓમાં એક એવી ઘેલછા થયેલ જોવામાં આવે છે કે મંદિરના સમારકામ વિગેરેમાં થોડા ઘણુ પૈસા ખર્ચે ત્યારે પણ પોતાના નામ અમર કરાવવા તખતીએ ચડાવવાની ઉગ્ર ભાવના રહે છે, જેને આપણા સંધના અગ્રેસર પણ ઉત્તેજન આપે છે. જે પૂણ્યશાલી જીએ હજારો લાખો રૂપિયા ખર્ચા મંદિર બંધાવ્યા છેઉદ્ધાર કરાવ્યો છે તેઓએ પિતાના નામ અમર કરવા આવી તખ્તીએ ચડાવ્યાનું જોવામાં આવતું નથી. આવી તખ્તીઓ એડવાની, ચડાવવાની અજ્ઞાન પ્રથા બંધ કરવી જોઈએ. પૂણય કરવાના આશયથી કરેલ કામ સ્વલ્પ કિંમતે વેચી નાંખવાનું ન જોઈએ.
બીજી હકીકત શેઠશ્રીએ એ કરી હતી કે-આપણે ત્યાં પટો ચીતરાવી કાર્તિકી પુનમ જેવા દિવસે દીવાલે દર્શન માટે મૂકવાને જૂનો રિવાજ છે. શ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, પાવાપુરી આદિ ભગ્ય તીર્થોના પટો ચીતરવામાં આવે છે. હાલ એક એવી પ્રથા કેટલેક સ્થળે જોવામાં આવે છે કે મંદિરની દીવાલ ઉપર પટે ચીતરાવવામાં આવે છે, આ પટોમાં કાંઈ કળા કે તીર્થોની કાંઈ સામ્યતા હોતી નથી. અણઘડ માણસોએ પ્ટો ચીતર્યા જોવામાં આવે છે. જે જોતાં આપણું ભવ્ય તીર્થોને માટે માન થવાને બદલે ઘણું થાય છે. મંદિરની દીવાલ ઉપર આવા પો ચીતરાવવાની પ્રથા એકદમ
- ૧૭૮ ) =
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ કરવી જોઈએ, અને નવાં મંદિરની દીવાલો ઉપર આવા પટો ચીતરાયા હોય તે કાઢી નાખવા જોઇએ.
શેઠશ્રીએ ત્રીજી હકીકત એ કહી હતી કે-આપણા નવા મંદિર સ્થાપત્ય કળાના ભવ્ય નમૂનાઓ છે. તેમાં શિપકામ અને ચિત્રામણુ કામ પણ ખરેખર કળાકાર કારીગરોના હાથે થયેલું છે. હાલમાં આવા નવા મંદિરમાં સમારકામ કરાવતા જૂના સ્થાપત્ય કળા અને શિઃ૫ અને ચિત્રામણને લક્ષ્યમાં લેવાતું નથી. ઘણેખરે ઠેકાણે તે તેવા કામને નાશ કરી હાલના રંગ અને તખતી ઓથી શોભાવવા પ્રયત્ન થાય છે. આવા સમારકામમાં આપણુ તથા કળા પ્રત્યેનું અજ્ઞાન પ્રદર્શિત થાય છે, માટે સમાર કામ કરતા આપણુ મંદિરોની જૂની કળાનો ૫શુ દવંસ ન થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. તેઓશ્રી એ કહ્યું હતું કે-જૂતા મંદિરોમાં સમારકામ કેવું થવું જોઇ એ તે સંબંધમાં આબુ જી ઉપરના અને રાણકપુરના મંદિરમાં જે સમારકામ થયેલ છે તેના દર્શન કરવા જોઈએ.
તેઓશ્રીએ એક બીજી હકીકત એ જણાવી હતી કે-આપણા મંદિરમાં હાલમાં સીમેંટની લાદીએ રંગબેરંગી ચડવાનો સવાલ આવ્યું છે. મંદિરોમાં ભોંયતળીયે પણ રંગબેરંગી આરસે નાંખવામાં આવે છે. પરિણામ એ આવે છે કે-મંદિરમાં પ્રવેશ કરતાં પ્રભુભક્તિની અપૂર્વ ભાવના થવી જોઇએ, ચિત્તની એકાગ્રતા થવી જોઈએ, પ્રભુના ગુણો સાંભરવા જોઈએ, તેને સ્થાને મંદિરમાં દાખલ થતા મનમાં એકાગ્રતા થવાને બદલે ક્ષોભ થાય છે, અને જે ઉદ્દેશથી મંદિરમાં દર્શન કરવા જવાનું હોય છે તે ઉદ્દેશ પાર પડતો નથી.
છેવટે શેઠશ્રીએ કુંડલાના સંધે તેમને બોલાવી જે સરકાર કર્યો તે માટે ખુશી યુક્ત કરી હતી. અ૯પાહાર લઈ મેળાવડે વિખરાયો હતો.
જીવરાજ અાધવજી.
તાજેતરમાં જ બહાર પડયું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
કર્તા. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B, B. s. . મુમુક્ષુ એને માટે આ પુસ્તક સારું' માગદશક છે. એક સે શિક્ષાપાઠ આણ તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રશ્નોત્તરો આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શલીએ નિરૂપણ કરવામાં આવ્યુ છે. વાંચવા ગ્ય છે. ક્રાઉન સોળ પેજ ૪૦ ૦ પૃષ્ઠ, પાકું હાલ કર્લોથ બાઈડીંગ, મૂલ્ય રૂપિયા અઢી, પટેજ જુદું.
' લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 અવશ્ય વાંચવા લાયક સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા પાંચ ટેકો 1 ધર્મામૃત (સુધર્મ ) 0-10.0 3 જ્ઞાનોપાસના ( જ્ઞાન ) 0-10-0 2 શ્રદ્ધા અને શક્તિ (દર્શન) *10.0 4 ચારિત્રવિચાર (ચારિત્ર) 0-100 5 દેતાં શિખે (દાન ) 0-1000 લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, શ્રી આનંદઘનજી–ાવીશી [ અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત ] જેની ઘણા જ સમયથી માંગ હતી તે શ્રી આનંદધનજી ચાવીશી અર્થ તથા વિસ્તાસાથે સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદધ તજીના રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્િમક વિકાસ સાધવા માટે આ ચાવીશી મમક્ષ જનાને અત્યંત ઉપયોગી છે. પા કે કપડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂા. 1-12-0 પેરટેજ અલગ. સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. સ્વાધ્યાય રત્નાવલિ શ્રી ભરફેસરની સજઝાયમાં આવતાં મહાન પુરુષોના જીવનને સંક્ષિપ્ત રીતે છતાં રોચક ભાષામાં વણી લેતી અને સાથોસાથ તે દરેક મહાપુરુષના જીવનને વણ વતી સજઝાય યુક્ત આ ગ્રંથ અનોખી જ ભાત પાડે છે. અભ્યાસ તેમજ સામાયિકમાં વાંચન બંને માટે આ ગ્રંથ ઉપયોગી છે. છતાં મૂલ્ય માત્ર રૂા 1-4-0 પેસ્ટેજ અલગ, લખાશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, દેવવંદનમાળા (વિધિ સહિત) આ પુસ્તકમાં દીવાળા, જ્ઞાનપંચમી, માન એકાદશી, ચૈત્રી પુનમ, ચોમાસી, અગિયાર ગણધર વિગેરેના જુદાં જુદાં કર્તાના દેવવદના આપવામાં આવ્યા છે. સ્તુતિએ, ચૈત્યવંદન, સ્તવનો વિધિ સહિત આપવામાં આવેલ હોવાથી આ પુસ્તક અત્યંત ઉપાગી થઈ પડેલ છે. પાકુ બાઈડીંગ અને અઢીસો લગભગ પૃષ્ઠ હોવા છતાં મૂય રૂા. 2-4 - 0 લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલુભાઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ - ભાવનગર. For Private And Personal Use Only