SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ શ્રી જૈન ધમ પ્રકાશ [જેઠ બદલે ખવાના, નાણાંના ખાતા પડાવવાને બદલે ખાતાં બંધ કરાવવાના, પૈસાના સરવાળા અને ગુણાકાર કરવાને બદલે બાદબાકી અને ભાંગાકાર કરવાના પ્રયાસ કરવા જોઈએ. આવી રીતે જીવનવ્યવહાર બદલવાથી તેના ભાર આછે. થઇ જશે અને એક ભારરહિત જીવન સુખ અને સંતેાષમાં ગાળી શકાશે. વૃદ્ધાવસ્થામાં માણસે કેવી દિનચર્યાં પાળવી ? શું ખાવુંપીવું ? કેવા ઉપચાર કરવા ? કેવુ' વાંચન-શિક્ષણુ રાખવુ વગેરે હકીકતા સ્વાનુભવથી સક્ષિપ્તમાં હું ટાંકું છે. પેાતાના સ ંજોગેા પ્રમાણે મા સૂચનાઓને અમલ કરવાથી હું માનું છું કે વૃદ્ધ માણુસ આનંદથી જીવન ગુજારી શકશે. માણસે ખની શકે તેટલે દરજ્જે શહેરના ઘાંઘાટવાળા ભાગથી શહેર બહારના પ્લાટ જેવા શાંત હવાવાળા ભાગમાં રહેવાના પ્રમ ધ કરવા, તેથી મગજને શાંતિ મળે અને સહેલાઇથી બહાર હરવા ફરવાને અવકાશ મળે. હંમેશાં વેલાસર સૂવાનેા નિયમ રાખવા. ઊંઘ ન આવે તે પણ આરામ માટે સુવુ. સવારના વેલાસર ઉઠવાના અભ્યાસ પાડવેા. ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું. સારા સ્તવને Ôાત્રા વિગેરે શાંતિથી ખેલવા, તેના અર્થનુ ં મનન કરવું. જ્ઞાનસાર, વૈરાગ્યશતક જેવા અધ્યાત્મના પુસ્તકામાંથી અમુક શ્લોકા પસંદ કરી તેનું મનન અને નિદિધ્યાસન કરવું. એક મુનિમહારાજે મારા મ`દવાડમાં મને સૂચના આપી હતી કે–તમે ઘણું વાંચ્યુ, લખ્યુ' છે, માટે હવે શરીર અસ્વસ્થ હાય તા બધું છેડી દ્યો અને વાંચેલા વિષયાનુ' ચિંત્વન કરા સવારે રાજ બહાર ફરવાના નિયમ રાખવા. જેટલું બની શકે અને શરીરને થાક ન લાગે તેટલું ખુલ્લી હવામાં ચાલવું. ટટ્ટાર રહીને ચાલવું. ઘરડાની જેમ વાંકા વળીને ન ચાલવું. ટટ્ટાર રહીને ચાલવાથી ફેફસાંને કામ મળે છે. ફેફસાંના જે ભાગ ખીજા સમય દરમ્યાન ઉપયોગ વિનાના રહ્યો હાય છે, તે સારી રીતે કામ કરતાં થાય છે. ખુલ્લી હવામાં ફરવા જતાં દરમ્યાન કોઇ સાથે ખેલવાનુ ખની શકે તેટલું ખંધ રાખવુ. ખેાલવાથી ફેફસાંને થાક લાગે છે, જેની અસર હૃદય ઉપર પણ થાય છે. અપેારે જમ્યા પછી, સૂવાના નિયમ રાખવા જેથી ખાધેલે ખારાક સહેલાઈથી પચી જાય. સાંજના ઇચ્છા થાય તા થૈડું ઘણું ફૅરવું. સમાન વય અને સ્વભાવવાળા મિત્રા સાથે બેસવું ઉડવુ, કલબમાં આનંદ આવે તેા તેમાં થાડાક સમય પસાર કરવા. સાંજના જમવાનુ આછું રાખવુ. જમ્યા પછી ઘરના નાના મેાટા માણસે સાથે એસી વાર્તાલાપ કરવા, અનુભવની વાતા કરવી, બની શકે તેા સારા રાગમાં નાના ભાઈઓ અને હેંના પાસે પદે, માંગલિક સ્નાત્રા વિગેરે ગાવા ગવરાવવા. સૂતા પહેલાં આવું શ્રવણ એક ટૅાનિક ( પુષ્ટિકારક દવા ) તરીકે કામ કરે છે, અને રાત્રિ શાંતિ અને આનદમાં પસાર થાય છે. For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy