________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
UGURUG EFFEBRUF BURERSFEREE
કે વૃદ્ધત્વમીમાંસા
SHRETURNSFEBRUFFEBRUBE
શ્રીયુત જીવરાજભાઈ ઓધવજી દેશી પાંચેક વર્ષ ઉપર શ્રી જૈનધર્મ પ્રકાશમાં મેં વૃદ્ધત્વમીમાંસા ઉપર ત્રણેક લેખે લખ્યા હતા. હવે તે જ વિષય ઉપર કાંઈ વિશેષ અજવાળું પાડવા માટે આ લેખ લખવામાં આવે છે. પાંચેક વર્ષ ઉપર મેં લેખ લખ્યા ત્યારે મારી ઉંમર આશરે સીતેર વર્ષની હતી. હવે પંચોતેર વર્ષ પૂરાં કર્યા છે. પહેલાના લે સીત્તેર વર્ષ પછી અને હવે લેખ પંચોતેર વર્ષ પછી વૃદ્ધ માણસોએ કેમ રહેવું? જીવનદષ્ટિ કેવી રાખવી? જીવનને એક ભારરૂપ કરવા કરતાં કેવી રીતે ઉપયોગી સુખી-સંતોષી જીવન બનાવવું, તે હકીકત કેટલાક સ્વાનુભવ ઉપરથી અને કેટલાક વાંચન પછી દર્શાવવાનો આ મારો પ્રયાસ છે.
માણસ ઉમર લાયક થાય છે, વૃદ્ધ થાય છે, જીવનના પંચોતેર જેટલા વર્ષો પસાર કરે છે, ત્યારે શરીર ક્ષીણ થાય છે, ઈદ્રિય કામ કરતી નથી, આંખે ઓછું ભળાય છે, કાને ઓછું સંભળાય છે, ચાલતાં પગ લથડાય છે, હાથ પૂરા કામ આપતા નથી, આવી રીતે શરીર ક્ષીણ થયા પછી, ઘણું વૃદ્ધ માણસો ઇચ્છે છે કે-આ શરીર છૂટી જાય તે દુઃખને પાર આવે. આવી ઈચ્છા વ્યાજબી નથી, રાખવા જેવી નથી. આપણે તો કર્મના અચલ નિયમમાં માનનાર છીએ, - આપણને જે સુખ દુઃખ મળે તે આપણું પૂર્વકનું ફળ છે, જે કર્મ જોગવ્યા વિના છૂટકે નથી. વળી આપણે તે આયુષ્ય કર્મને પણ માનનાર છીએ. માણસનું આયુષ્ય નક્કી થયેલ છે, તેમાં જરા પણ વધારો થતો નથી અને સામાન્ય રીતે ઘટાડે પણ થઈ શકતો નથી. બીજું આ દેહ છોડ્યા પછી આથી સારો દેહ મળશે એની આપણને ખાત્રી નથી. બીજા દેહ વખતે બંગલા, મેટર વિગેરે બધી અનુકૂળ સામગ્રીઓ મળવાની કોઈને ખાત્રી નથી. ટૂંકામાં દેહ ક્ષીણ થાય અને પૂરું કામ ન આપી શકે તે વખતે દેહને છોડવાની અને અન્ય દેહ મેળવી સુખી થવાની અભિલાષા રાખવી અસ્થાને છે. * આવી વિષમતા શરીર અને મન વચ્ચે થવાનું કારણ એ છે કે શરીરને જે પરિપાક ઉમરને લીધે થાય છે તે પરિપાક મનને થતો નથી. જીવન દરમ્યાન આપણે ઇંદ્રિયોના વિષયોને વશ રહ્યા હોઈએ છીએ. ઇન્દ્રિયોને વશ ' કરવાને બદલે આપણે ઇંદ્રિયોના દાસ બન્યા હોઈએ છીએ. એટલે શરીર જ્યારે
આરામ માગે છે ત્યારે મન તો પરિપકવ ન થયેલ હોવાથી, વિશેષ સુખના નવા નવા તરગે અને મનેર કરતું હોય છે, આવી રીતે શરીર અને મનના પરિપાકમાં વિષમતા હોવાથી જીવનના બંને ચક્રો સરખા ચાલતા નથી,
For Private And Personal Use Only