Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ શ્રી જૈનધર્મ પ્રકાશ. [ જેઠ (૩૦૪) દરેક વાતમાં માણસ પોતાની મહત્તા બતાવી પોતાના નસીબને કરવૈયે થાય છે એમ આપણે કહેવું ન જોઈએ પણ દરેક માણસ પોતાના ચારિત્રને ઘડનાર છે એમ કહેવાય. આપણામાં એક કહેવત છે કે દરેક માણસ પોતાના નસીબનો ઘડનાર છે. એ કહેવતનો આપણે એકથી વધારે વાર ઉપયોગ કરીએ છીએ અને તેને સત્ય માનીએ છીએ. લખપતિ થવું કે કરેડાધિપતિ થવું એ આપણું કબજની વાત છે, પણ આપણે તે વાતને હરચારવી ન જોઈએ, અથવા લખપતિ પોતાની કળાથી લખપતિ થયું છે એમ કહેવાય નહિ. ભરદરિયે વહાણ ચાલતું હોય અને પવન અનુકૂળ આવે તે વહાણ તરી જઇ કાંઠે આવે, તેનું માન વહાણના કપતાનને ન ઘટે, પવનને ઘટે, તે પ્રમાણે કેાઈ માણસ લખપતિ થાય કે કરોડાધિપતિ થાય તેમાં ઉપરની ઉપમા બરાબર લાગે છે. તેમણે પોતાની મહત્તા માને એ ભૂલભરેલું છે. એમાં અદક્ય, દે વે, ભવિતવ્યતાએ, કાળે કામ કર્યું છે અને બીજા સહકારી કારણે મળવાથી છપ્પનની ઉપર ભૂંગળ વાગે તેવો થાય, આ સર્વ વાત બનવાજોગ છે પણ તેણે યાદ રાખવું ઘટે કે તેને પિતાને ફાળો તે પુરુષાર્થ પૂરતું જ છે, અવાંતર કારણે બીજાં ઘણાં છે અને તે સર્વ વિદ્યમાન છે. એશ્વર્યનો મદ તે રાજ્ય મળે તે પણ ન કરો અને પિતાથી કાંઇ થયું છે એમ તે હરગીજ માનવું નહિ, અને મળેલ ધનને સારો વ્યય કરવો, સમાજહિતનાં કે જ્ઞાતિહિતના કામમાં પૈસાને ઉપયોગ કરવો અને પિતાના હૃદયમાં સમાજહિત વસ્યું છે તે બતાવી આપવું. આપણે તે બધો આધાર વર્તન-ચારિત્ર પર રાખવાનું છે. આપણું કબજાની એ વાત છે, ઉદાર થવું કે અક્રોધી, અમાની, અમાયી, અભી થવું એ આપણુ કબજાની વાત છે, એટલે આપણું નસીબના કે ઐશ્વર્યના ઘડવૈયા આપણે છીએ એમ કહેવું એના કરતાં પા૫ણું ચાલચલગતના ઘડનાર આપણે પોતે જ છીએ એમ કહેવું અથવા પુનરાવર્તન કરવું એ વાસ્તવિક વાત છે. એમ કહેવામાં કોઈ પણ પ્રકારને બાધ નથી આવતે અને આપણે કેવા થવું તેને સર્વે આધાર આપણું ઉપર છે એ વાતને સ્વીકાર એમાં થઈ જાય છે એ અતિ મહત્વની બાબત છે. આવી મહત્વની બાબતમાં એકાંત નિર્ણય પર ન આવતાં વાસ્તવિક રીતે તો શાસ્ત્રાવગાહન કરવું અને જીવને સચિદાનંદ સાથે જોડવે અને આપણા ચારિત્ર માટે આપણે જોખમદાર છીએ, અથવા આપણે થવા ધારીએ તેવા થઈ શકીએ છીએ એમ સમજવું. આ બાબતમાં જરાપણ વાંધા જેવું જણાય તો જણાવવું, એમાં અભિમાન કે ઐશ્વર્યાને સ્થાન ન આપતાં ચારિત્રને સ્થાન આપવું. કશળ માણસ પોતાના નસીબને કર નથી તેથી ગભરાય નહિ. કારણ કે તે જાણે છે કે પોતાના ચારિત્ર ઘડનાર પિતે જાતે છે, એમાં જરાપણું ગોટાળો ચાલે કે ચલાવી લેવા યોગ્ય હોય તેમ ગણાય નહિ. સમર્થ માણસો ચારિત્રને ઘડે છે અને સદા આનંદમાં રહે છે. સ્વ. મૌક્તિક Let me not say, every man is architect of his own future but let us say, every man is architect of his own character. J. B. Boardman. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28