Book Title: Atmanand Prakash Pustak 068 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir _ ૩૦. શ્રી સન ધર્મ પ્રકાર. [ માર્ગશીર્ષ અને અમુકમાં દોષ અને અમુકમાં પાપ એમ સંભળાવતા ઝાળી લઈને નીકળી પડવું, ભકતોના રોટલા પર તાગડધીન્ના કરવી અને બીજાની રોજી પર છીણ મૂકવી. મુરબ્બી ! હવે વાત સમજાણી. મિત્ર છે એ વાત સાચી, અને એની સાથે હું કુતુહળ દ્રષ્ટિ ઉદ્યાનમાં ગયેલે એ પણ સાચું. એથી તે આપણું ધંધાને લાભ થવાની બાતમી મળી છે. બહારથી સાદા દેખાતાં, છતાં ધર્મના નામે વરસી જતાં ધનિકોના નામ મેં મેળવ્યા છે. એ પછી એમાંનાં બે ત્રણના ઘર પણ ફાડ્યા છે ! મારા પથર જેવા હદય પર એ વાણીની જરા પણ અસર થવા દીધા સિવાય, મારી છુપી હિકમત મિત્રને કળાવા દીધા વગર ઉપરને સ્વીગ આબેબપણે ભજવ્યું છે. સમુદ્રકાંઠે જેવી ભક્તિ બગલાએ દાખવે છે એવી જ આ બગભક્તિ છે. શાબાશ. રોહણ, તારા વચનથી મને આશ્વાસન મળે છે. એવા વાણીવિલાસ કરનારા તે આ ધરતી પર ઘણું ફૂટી નિકળે છે! ધર્મના નામે ઘેલછા આદરનારા પણ આ ધરતી પર ઘણા નિકળે છે! ધર્મના નામે ઘેલછા આદરનારાને પણ ટાટે નથી જપણ આપણા જેવા વ્યવસાયીને કંઇ બૈરાં-છોકરી મહાજનમાં બેસાડવા ન પાલવે, કરતા હોઈએ તે કર્યા જવું અને ચાલાકીથી કામ લેવું કે જેથી કાળી ડગલીવાળા હાથ ઘસતા રહે કે તારા જવાબથી મને ખાત્રી થઈ છે કે તું મારા નામને ઝાંખપ નહીં આવવા દે છતાં મારી એક વાત પ્રતિજ્ઞાબહ બની નહીં સ્વીકારે ત્યાં લગી મારા જીવ ગાતે નહીં જાય. પિતાશ્રી, એ વાત જરૂર કહે; પણ આ દવા પ્રથમ પી જાવ કે જેથી નિરાંતે વાત કરી શકાય. ઓસડ એ તે સાધન છે. ભાઈ. એ દવાનું નામ જવા દે. તૂટેલા તારને સાંધવા પ્રયાસ કરે ત્યારે જ સફળ થાય કે એ વૃટ નજીવી હોય પણ જ્યાં કકઠા થઈ છૂટા પડેલા ધાગા જ હોય ત્યાં એક સાધતા તેર તૂટે જેવી દશા થાય! મારી કાયામાં જે ધમણ ચાલી રહી છે એ જોતાં રોગ દવાથી સાખ્ય નથી, જરા પવાલામાં પાછું આપ એટલે ગળે સેસ પડી રહ્યો છે તે છીપાવી જે કંઈ કહેવાનું છે તે કહી નાંખું. રહણે પાણી પાયું અને લોહખુર ગળું ખરું કરી બે-વત્સ ! જીવનમાં કોઈપણ વાર. પેલા મહાવીર જે ઠેરઠેર ભ્રમણ કરી કહી રહ્યા છે તે સાંભળવા જઈશ નહીં. તારા અને તેમના ઉપદેશનો એક પણ શબ્દ પ ન જોઈએ. મારી સામે તેમ કરવાની પ્રતિજ્ઞા યે એટલે મને નિરાંત થાય. ઉપર આખો ય વાર્તાલાપ એ પિતા-પુત્ર વચ્ચેને હાઈ એટલે સ્પષ્ટ છે કે એ અંગે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે પિતા એ લેહખુર નામા મગધને નામીચો ચોર હતું અને એણે ચેરીના ધંધામાં વિપુળ ધન એકઠું કર્યું હતું, વૈભારગિરિની ગુફામાં એવી રીતે સંતાડયું હતું અને જીવનના છેડા સુધી એવી ચાલાકીથી કામ લીધું હતું કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30