________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે.]
ઉપાધ્યાય ધર્મસાગરગણિની જીવનરેખા.
૩૯
૩૨ દાંત બે એઠવડે શોભે એમ કહી બીજી બે ગાથા અપાઈ છે અને અંતમાં ઉપસંહારરૂપે બે ગાથા છે, આમ એકંદર ૩૬ ગાથાઓ છે, એમ એક સ્થળે ઉલ્લેખ છે.
ઉદિયમયઉસુતકર્તાએ પિતે આ નામ પહેલી ગાથામાં આપ્યું છે. જઈશુમરહદીમાં ૧૮ ગાથામાં આ નાનકડી કૃતિ રચાઈ છે. ૧૮મી ગાથામાં “ચામુંડિઅયઉસ્સા” (સં. ચામુહિકમતત્સત્ર) એવું આનું નામાંતર અપાયું છે. ચાર પ્રકારના ઉત્સવની અહીં વાત છે. ન્યૂન-ક્રિયા, અધિક-ક્રિયા, અયથાસ્થાન-ક્રિયા અને અયથાર્થકથન. આ કૃતિ સંસ્કૃત અવચૂરિ સહિત આગમોદય સમિતિ તરફથી ગ્રંથાંક ૪૯ તરીકે ઇ. સ. ૧૯૨૭ માં પ્રસિદ્ધ કરાઈ છે, એ બાબત આપણે ઉપર નોંધી ગયા છીએ. આથી હું અહીં એ ઉમેરું છું કે આ પાઈય કૃતિને નીચે મુજબના નામે પણ ઓળખાવાય છે
ઉસૂત્રખંડન, ઉસત્ર પદધાટન કુલક, ઔષ્ટ્રિકમસૂત્રોધાટનકુલક.
પ્ર. ૫. મ.(પૃ. ૧૧)માં તેમજ જિનરત્નકેશમાં આ કૃતિ વિ. સં. ૧૬૧૭ માં રચાયાને ઉલેખ છે, પરંતુ મૂળ કૃતિમાં તે રચનાવર્ષને નિર્દેશ નથી.
ઉપર્યુક્ત જયસોમના શિષ્ય ગુણવિનયે આ ઉસૂત્ર–ખંડનના પ્રત્યુતરરૂપે ઉત્સદૂધાટનકુલક નવાનગરમાં વિ. સં. ૧૬૬૫માં રચ્યું છે એમ જે. સા. સં. ઈ. (પૃ. પ૯૦ ) માં ઉલેખ છે, પરંતુ આની પ્રશસ્તિ વિચારતાં ગુણવિનયે ધર્મસાગર ઉપાધ્યાયે રચેલા ઉત્સુઘટ્ટનકુલકના ખંડનરૂપે ઉત્સદૂધન-કુલખંડન નવ્યનગરમાં વિ સં. ૧૬૬૫ માં રચ્યું છે, એમ જાણી શકાય છે.
ઐષ્ટિકમતત્સત્રદીપિકા-શું આ કૃતિ તે ઉમિયઉસુર ( સં. બ્દિકમતત્સત્ર)થી ભિન્ન છે? આ નામ વિચારતાં તે એ કોઈ વ્યક્તિ હોય એમ લાગે છે. આ
કિમતોત્સત્રદીપિકાને અંગે જે. સા. સં. ઈ.(પૃ. ૫૮૨)માં એવો ઉલેખ છે કે “ખરતર' ગછના ખંડનરૂપે આ કૃતિ વિ. સં. ૧૬૧૭માં રચાઈ છે અને એના કર્તા ધર્મસાગરે પિતાને હીરવિજયસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. જૈન ગ્રંથાવલી(પૃ. ૧૫૮) પ્રમાણે ઓષ્ટિકમતોત્વસૂદીપિકા વિ. સં. ૧૬૧૭માં રચાયેલી છે અને એ ૭૧૬ શ્લેક જેવડી છે, જ્યારે ઓષ્ટ્રિકમસૂત્રેદ્દઘાટનકુલક ૨૨ ગાથાનું છે (નહી કે ૧૮).
કહપરિણાવલી–આ પજજોસવણાકલ્પ ઉપરની ગદ્યમાં સંસ્કૃતમાં વિ. સં. ૧૬૨૮ માં ( રાધનપુરમાં રચાયેલી વૃત્તિ છે, અને એ જેન આત્માનંદ સભા તરફથી મુનિ રામ( હવે સૂરિ )વિજયજીની પ્રસ્તાવનાપૂર્વક ઈ. સ. ૧૯૨૨ માં છપાવાઈ છે.
આ વૃત્તિમાંની કેટલીક બાબતો વાસ્તવિક નથી એમ વિનયવિજયગણિએ વિ. સં. ૧૯૯૬ માં રચેલી સુબાલિકામાં કહ્યું છે. આ સુબાધિકાના સંપાદક આગમ દ્વારકે આને અંગે સંસ્કૃતમાં ટિપ્પણે આપ્યાં છે અને કેટલેક સ્થળે ધર્મસાગરગણિના વક્તવ્યનું સમર્થન કર્યું છે તે કઈ કઈ સ્થળે એમની વાત સમુચિત નથી એમ પણ કહ્યું છે.
૧ આ ઉપરથી એમ લાગે છે કે ઉત્સુત્રોધનકુલક એ ઉદિયમયઉસુતનું નામાંતર છે.
For Private And Personal Use Only