Book Title: Athadamal Talo Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ ‘દાદા ભગવાન’ કોણ જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ ૫રનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ ! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.'' ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊલ્ટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂ. ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રી દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરુપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને ધન્યતા અનુભવે છે. - જય સચ્ચિદાનંદ. સંપાદકીય ‘અથડામણ ટાળો’ આટલું જ વાક્ય જો જીવનમાં સીધેસીધું ઊતરી ગયું, તેનો સંસાર તો રૂપાળો થશે જ પણ સીધો સડસડાટ મોક્ષ પણ સામે ચાલીને આવશે ! આ નિર્વિવાદ વાક્ય છે ! અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય દાદાશ્રીએ આપેલાં આ સૂત્રને અપનાવી કેટલાંય લોકો તરી ગયાં ! જીવન સુખ-શાંતિમય થયાં ને મોક્ષના રાહી બની ગયા ! આ માટે માત્ર દરેકે દ્રઢ નિશ્ચય કરવાનો છે કે ‘મારે કોઈની ય અથડામણમાં આવવું નથી. સામો ખૂબ અથડાવા ફરે તો ય મારે અથડાવું નથી જ, ગમે તે રીતે.’ બસ, આટલો જ નિશ્ચય જેનો થશે, એને કુદરતી રીતે અંદરથી જ સૂઝ પડવા માંડશે, અથડામણ ટાળવાની ! રાત્રે અંધારામાં રૂમમાંથી બહાર નીકળવું હોય ને સામી ભીંત આવે તો આપણે શું કરીએ ? ભીંતને લાત મારીને કહીએ કે ‘તું વચ્ચે ક્યાં આવી ? ખસી જા, આ મારું ઘર છે ?!’ ત્યાં તો કેવાં ડાહ્યા થઈને આંધળાની જેમ હાથથી બારણું ફંફોળતા શોધીને નીકળી જઈએ છીએ. કેમ ? તો ત્યાં સમજણ છે કે આડાઈ કરીશ તો ભીંતે માથું અથડાશે ને ફૂટશે ! સાંકડી શેરીમાંથી રાજા પસાર થતો હોય ને સામો આખલો મારફાડ કરતો આવે, ત્યાં રાજા આખલાને શું એમ કહે કે, ‘ખસી જા, મારું રાજ છે, મારી શેરી છે. મને રસ્તો આપ ?!' ત્યાં તો આખલો સામો શું કહે, ‘તું રાજા, તો હું મહારાજા ! આવી જા !' એટલે ત્યાં ભલભલા રાજાના ય રાજાને ધીમે રહીને ખસી જવું પડે ને ઓટલે ચઢી જવું પડે. કેમ ? અથડામણ ટાળવા. આ સાદી વાત પરથી એટલું જ સમજીને નક્કી કરવાનું કે જે કોઈ આપણને અથડાવા આવે, તે ભીંત ને આખલા જેવાં જ છે. માટે આપણે અથડામણ ટાળવી હોય તો ડાહ્યા થઈને ખસી જાવ ! જ્યાં ને ત્યાં અથડામણ સામે આવે તો તેને ટાળજો ! જીવન નિષ્લેશમય જશે ને મોક્ષ થશે. ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17