Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 725
________________ અવલોકન (૬૪૦) સં. ૧૫૭ના ચૈત્ર વદિ ૫ ને દિવસે, આરણુંક નિવાસી, પિરવાડજ્ઞાતીય શેઠ વીકાની ભાય હાંસૂના પુત્ર; (પિતાની ભાર્યા લાડી તથા પુત્ર પર્વત વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ નેતાએ પિતાના પિતાના શ્રેય માટે, શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૧) સં. ૧૫૦૮ ના માઘ વદિ ૨ ને દિવસે, વીસલનગર નિવાસી પિરવાડજ્ઞાતીય, શેઠ વીસલની ભાર્યા વજૂના પુત્રે ૧ શેઠ આકા, ૨ મહિપા અને ૩ જેસિંગે, (એ ત્રણે ભાઈઓની અનુક્રમે ભાર્યા ૧ મરગદે, ૨ કમી, ૩ બાજૂ તથા પુત્ર ભજા વગેરે કુટુંબની સાથે) પિતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય પ્રભુની મૂર્તિ ભરાવી, તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. * “ આબુરોડ 'શ્રી “માઉંટ આબુ ”ની પાકી સડકે જતાં, “આબુરેડ થી ૧૩ માઈલની દૂરી પર આ “ આરણું' નામનું ગામ છે. અહીંથી “ આબુકંપ ' કા માઈલ થાય છે. “ આપણા માં પહેલાં શ્રાવકોની વસ્તી હતી. અત્યારે માત્ર એક જૈન ધર્મશાળા જ છે. બીજી વસ્તી નથી. ધર્મશાળામાં ઘરદેરાસર છે. સાધુ, સાધીઓ અને યાત્રાળુઓ રાત રહી શકે તેવી સગવડ છે. ગરમ પાણી અને ભાતાની પણ વ્યવસ્થા છે. છે “ મારવાડ માં “ એરપુરારેડ ' સ્ટેશનથી લગભગ ૨ માઈલ દૂર “ વિસલપુર ” નામનું ગામ છે. એ જ આ વિસનગર ” હશે, એમ લાગે છે. “ વીસલપુર માં જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા અને શ્રાવકોનાં ઘણાં ઘર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762