Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 753
________________ કર “ આબુ ” ભાગ પહેલાના - (૨૫) * આબુ ભાગ ૧ -કતાં, મુનિ શ્રી જયંતવિજયજી; પ્રકાશક શ્રીયુત દીપચંદ બાંઠીઆ ઉજજૈન; ૧૯૩૩; કદ ક્રાઉન ૧૬ પેજી, પાન ૫૬+૮૬; સચિત્ર, કિંમત રૂ. ૨-૮-૦. શ્રી વિજયધર્મસૂરિ જન ગ્રંથમાળાના ૧૦ મા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થતા આ પુસ્તકમાં મુનિશ્રી જયંતવિજયજીએ અબુદાચળ ઉપર દેલવાડાનાં પ્રસિદ્ધ જેન દેવાલયોની સવિસ્તર હકીક્ત વર્ણવી છે. દ્વિતીય આવૃત્તિ હોવાથી સુધારા વધારા સાથે સચિત્ર આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. યાત્રાળુઓ માટે સદર પુસ્તક ઘણું ઉપયોગી છે. દરેક જોવા લાયક ધાર્મિક સ્થળના ચિત્ર સહિત ત્યાં શું શું ખાસ જોવા લાયક છે. તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, તેનું મહામ્ય કેવું છે વગેરે બાબતે આમાં બહુ જ સાદી અને સરળ ભાષામાં આપવામાં આવી છે. મુનિશ્રીએ જાતે જોયા પછી જ આ પુસ્તક જાત્યનુભવ ઉપરથી લખ્યું છે. ચિત્રો પણ સ્પષ્ટ અને સુંદર હોઇ સારા પ્રમાણમાં છે. પુસ્તક વાંચવાથી જે તે સ્થળને પ્રત્યક્ષ દેખાવ આપણે નજર સામે ખડે થાય છે. આ પુસ્તક દરેક જન તેમજ જૈનેતર પ્રવાસી પાસે હોવું જોઈએ કે જેથી આબુતી સહેલગાહે જનારને ત્યાં ખાસ શું શું જોવાનું છે તેને ખ્યાલ મળે. બે, પાંચ કે સાત દિવસને કાર્યક્રમ કેવી રીતે રાખો તે પણ આમાં ખાસ જણાવવામાં આવ્યું છે. યાત્રાળુઓની સગવડ ખાતર દરેક સ્થળે જવાનાં સાધને, તેના દર વગેરેની માહિતી પણ ખાસ ઝીણવટથી આપવામાં આવી છે. મુનિશ્રી વિદ્યાવિજયજીએ સુંદર ઉદ્દઘાત લખી પુસ્તકની ઉપયોગીતામાં વધારો કર્યો છે. પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલા શ્રીયુત ગૌ. હી. ઓઝા જેવા વિદ્વાનોના અભિપ્રાયો જ પુસ્તકની ઉત્તમતા અને ઉપયોગીપણું દેખાડી આપે છે. દરેક ધાર્મિક સ્થળોનાં આવાં વર્ણનની ખાસ આવશ્યકતા છે. યાત્રાળુઓ અજ્ઞાત હેવાથી યાત્રાના સ્થળે ગોરે, પંડયાઓ વગેરેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 751 752 753 754 755 756 757 758 759 760 761 762