Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 750
________________ ક૨૯ અભિપ્રાયો. લેખક જન છે, છતાં સર્વ વર્ગને જાણવા જેગ હકીકત આમાં આપેલી છે. ચિત્રોથી પુસ્તક આકર્ષક અને માહીતી પૂર્ણ બન્યું છે, પુસ્તક ઉપયોગી છે. પ્રસ્થાન.” ૧૯૯૧ માગશર. ( અમદાવાદ) ( ૨૩ ) આબૂ ( ભાગ પહેલે.) લેખક અને સંપાદક શ્રી જયવિજયજી મહારાજ, પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, છોટા સરાફા, ઉજજૈન ( માળવા ). મૂલ્ય ૨-૮-૦ આ ઐતિહાસિક સ્થળની બીજી આવૃત્તિ પુસ્તકાકારે સુધારા વધારા સાથે પ્રગટ થાય, એ શુદ્ધ હૈયાનાં પ્રવાસીઓ માટે આનંદને વિષય કહેવાય. નવીન ભાવે અને “ ફૂટનોટોથી ' સુશોભિત થએલે આ નવલ ગ્રંથ કેને નહીં ગમે ? ગિરિરાજ આબૂના રસ્તા, વાહને, ત્યાંની મનોરમ્ય વસ્તુઓ, વસ્તુપાલ અને તેજપાળની સમૃદ્ધિના અવશેષ વગેરે વાંચકોને મોંમાં આંગળાં ઘલાવશે. દેલવાડા ને અચલગઢનાં વૈભવશાળી જૈનમંદિરની અણીશુદ્ધ નકશી વાંચકને હિંદુસ્તાનની ગત આબાદીનાં મૂલ આંકવા પ્રેરશે. જુનાં સ્મરણે આમ સ્મૃતિ પટ પર તાજાં બનશે. થોડા વખત પહેલાં અને હિંદીમાં તરજુમે થયો છે. એક ભાઈ આને અંગ્રેજીમાં ઉતારે છે, એ વાંચી અમને અનહદ હર્ષ થયો છે. આ બધા સબળ મુદ્દાઓ એની શ્રેષ્ઠતા અને જોકપ્રિયતામાં ઉમેરો કરવા બસ થશે. આના વિષે અમે ૧૯૨૯ ના “સાહિત્ય'ના ડિસેમ્બરના અંકમાં લખી ગયા હોવાથી હવે વધુ ઉંડાણમાં નહીં ઉતરીએ. આનો બીજો ભાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762