Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 452
________________ (૭.૩) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને ક્વળજ્ઞાનીની જ્ઞાતી ૩૫૬ ડિગ્રીએ, ભગવાન ૩૬૦ ડિગ્રીએ પ્રશ્નકર્તા: દાદા, આપની તથા તીર્થંકરની ડિગ્રીમાં કેટલો ફરક? દાદાશ્રી : પેલી ડિગ્રીઓ હોય ત્રણસો સાઈઠ, એ ત્રણસો સાઈઠ ડિગ્રી પૂરી થાય ત્યારે એ કેવળજ્ઞાન કહેવાય અને એ તીર્થંકર ભગવાન કહેવાય. અમારે (જ્ઞાનીને) ત્રણસો છપ્પન ડિગ્રી છે. દાદા ભગવાનની ત્રણસો સાઈઠ ડિગ્રી છે અને એ ચોવીસ તીર્થંકર કહો, જે કહો એ, તે સંપૂર્ણ દશામાં છે અંદર, એની હું ગેરેન્ટી આપું છું. એમને ચોવીસ તીર્થંકરના કોઈપણ તીર્થકર કહો તો એ છે મહીં, પ્રગટ થયેલા ! એને મેં જાતે જોયેલા છે. હું કહી દઉ કે આ દાદા ભગવાન, મેં જાતે જોયેલા છે તે ! પ્રશ્નકર્તા: આપ જ્ઞાની અને દ્રષ્ટા, તો આપની અને દાદા ભગવાન વચ્ચેનો સંબંધ શું ? દાદાશ્રી : દાદા ભગવાનની ત્રણસો સાઈઠ ડિગ્રી છે, હું ચાર ડિગ્રીમાં નાપાસ થયો છું કેવળજ્ઞાનમાં. એટલે મારે આ તમારી જોડે બેસવું પડે છે આ બધું. નાપાસ ના થયો હોત તો મોક્ષે જતો રહેત, પણ નાપાસ થયો ચોથા આરામાં, તે આ પાંચમા આરામાં આવવું પડ્યું મારે. ચાર જ ડિગ્રી ફેર છે આ. તેથી હું ભજું છું દાદા ભગવાનને આમ કરીને, અમારે ચાર ડિગ્રી પૂરી કરવાનીને ?

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522