Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 485
________________ ૩૯૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : ના, ના, વિચાર તો નામેય નહીં. કોઈ જાતના વિચાર વગર જ બધી વાત. પ્રશ્નકર્તા: સીધી વિચાર વગર વાત ? દાદાશ્રી : એ ભઈ દેખાય. મંદિરના પથરાનું શું થયું, તે પથરા દેખાય. ફલાણું શું થયું, તરત જ એની વાત. પ્રશ્નકર્તા તો દેખાવું એટલે ચિત્ત કામ કરતું હશે તે ઘડીએ ? દાદાશ્રી : ના, ના, એ ચિત્ત એ જ શુદ્ધ થઈને પ્રજ્ઞા થઈ ગયેલી, એટલે દેખાય, અને દેખાય એટલે વાત કરીએ એને. પ્રશ્નકર્તા દેખાય એટલે વાત કરો ? દાદાશ્રી : હં, યાદગીરી અમને ના હોય. મન તો હોય જ નહીંને ! પ્રશ્નકર્તા : જ્યારે આપ યાદ પણ ન કરો કોઈ વસ્તુને.... આપને યાદ પણ ન હોય તો એ વસ્તુ આપના દર્શનમાં કઈ રીતે આવે ? દા.ત. એ પથ્થર આપને દેખાણો ! દાદાશ્રી : એ મને એમને એમ જ દેખાય. એ આવે એટલે પથરા દેખાય, પેલી ખાણ હઉ દેખાય, ત્યાં કામ કરતા દેખાય, બધું દેખાય. એ ભેગા થયા એટલે, નહીં તો નહીં. અહીંથી ઊઠીને જાય એટલે કશુંય નહીં. પ્રશ્નકર્તા: પાછું ચિત્તનું કામ નથી ? દાદાશ્રી : ના, ના, ચિત્ત તો શુદ્ધ જ થઈ ગયેલું છે. ચિત્ત તો અમે બોલીએ ને, તેની પર એ મોરલીની પેઠ ડોલ્યા જ કરે. પ્રશ્નકર્તા: એટલે હવે ચિત્ત શુદ્ધ થઈ ગયું છે. ચિત્ત બહાર જતું નથી. હવે મન બંધ છે, યાદ છે નહીં કોઈ વસ્તુની. આ ભાઈ આવે છે એટલે આખું બધું અહીં ઊભું થઈ જાય છે. દાદાશ્રી : હા, બધું જ દેખાય. પ્રશ્નકર્તા: એ ચિત્ત ત્યાં નથી જતું પણ વસ્તુ અહીં આવી જાય !

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522