Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 490
________________ (૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી ૩૯૫ જ્ઞાનવિધિ રૂપી ઐશ્વર્ય, પમાડે (અંશ) કેવળજ્ઞાત પ્રશ્નકર્તા : આ જ્ઞાનવિધિ છે એ આપે બનાવેલી છે ? દાદાશ્રી : એ ઉદયમાં આવેલી છે. આ અમારું ઐશ્વર્યા છે, એ પ્રગટ થયેલું છે. પ્રશ્નકર્તા એની અંદર ગજબની શક્તિ છે ! દાદાશ્રી : એક્કેક્ટ કેવળજ્ઞાન ! આખી જ્ઞાનવિધિ કેવળજ્ઞાન છે ! આ મારી શક્તિ નથી, ઐશ્વર્ય પ્રગટ થયું છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય! દાદાની જ્ઞાનવિધિ થાય તેનો મોક્ષ થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય. નહીં તો લાખ અવતારેય ઠેકાણું ના પડે. આ જ્ઞાન ભેદવિજ્ઞાન છે. એ તો મતિજ્ઞાનની ટૉપ ઉપરનું જ્ઞાન છે અને સો ટકા મતિજ્ઞાન એ કેવળજ્ઞાન કહેવાય. એટલે આ લગભગ છનું ઉપર સતાણું ટકા હોય છે એટલે એ ભેદવિજ્ઞાન કહેવાય અને સો ટકા એ કેવળજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા: તો પછી ભેદજ્ઞાન એ સર્વસ્વ જ્ઞાન એમ કહેવાય ? દાદાશ્રી : ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન અને એ જ કેવળજ્ઞાનનું મોંબારું છે ! એટલે બિલકુલ શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે, બીજું કશું નહીં. દેહધારીરૂપે આવું શરીર પરમાત્માને હોતું નથી, એ નિર્દેહી છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપે છે. એ બીજા સ્વરૂપમાં છે જ નહીં. ભગવાને તેથી કહેલું કે આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન'માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું એ “કારણ કેવળજ્ઞાન” છે ને પેલું કાર્ય કેવળજ્ઞાન’ છે ! થયું અંશ કેવળજ્ઞાત, આજ્ઞા પાળે થાય સંપૂર્ણ આપણને અહીં જ્ઞાન મળેને, આત્મજ્ઞાન, તે પછી અંશ કેવળજ્ઞાન થાય પહેલું. પછી એ અંશ ધીમે ધીમે વધતા વધતા સર્વાશ થાય.

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522