Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 242
________________ १४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ स एव प्रसङ्ग, समाधिरपि स एवेति चेत् ? न, सुमेर्वाद्यर्थानां तदभिधायकानां च शब्दानां वास्तवसंबन्धसिद्धिप्रसङ्गात्, कल्पान्तरवत्तिभिरपि सर्वहस्तेषामर्थानां सुमेर्वादिशब्दवाच्यतया प्ररूपणात् । अनादित्वात् संसारस्य कदाचित् कैश्चिदन्यथापि सा प्ररूपणा कृता भविष्यतीति चेत् ? न, अतीन्द्रियत्वेनात्र प्रमाणाभावात् । तैरपि तथैव सा प्ररूपणा कृतेत्यत्रापि प्रमाणाभावः समान एवेति चेत् ? तदयुक्तम्, शाक्यमुनिना हि तावदिदानीं सुमेर्वाद्यर्थः सुमेर्वादिशब्देन प्ररूपितः, न च सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगः संकेतद्वारेणाप्यतत्स्वभावत्वे तयोर्भवति, બૌદ્ધ - તેમનાથી પણ અન્યોએ એ પ્રમાણે પ્રરૂપણા કરી છે માટે. સમાધાન:- આ ઉત્તરમાં તો ફરીથી એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે, એ અન્યોએ પણ શા માટે આ પ્રમાણે જ પ્રરૂપણા કરી ? બૌદ્ધ:- અમારું ફરીથી આ જ સમાધાન છે કે, “તેઓથી પણ અન્યોએ આ પ્રમાણે પ્રરૂપણા કરી હોવાથી તે અન્યોએ પણ આ જ પ્રમાણે પ્રરૂપણા કરી. સમાધાન :- ના, એમ ન કહેશો. કેમકે તો તો, સુમેરુ વગેરે અર્થો અને તેના વાચકશબ્દો વચ્ચે વાસ્તવિક સંબંધની સિદ્ધિનો પ્રસંગ આવશે. કેમકે આ સર્વજ્ઞની પૂર્વના, તેઓની પૂર્વના એમ બધાએ એકસરખી પ્રરૂપણા કરી, તો પૂર્વ-પૂર્વકાળ તરફ આગળ વધતા ત્યાં આવીને અટકશે કે, “આ કલ્પ યુગની આદિના અન્યોએ આવી પ્રરૂપણા કેમ કરી?' તેના ઉત્તરમાં ‘આમ, અન્યકલ્પમાં રહેલા બધા જ સર્વજ્ઞોએ પણ સુમેરુવગેરે અર્થોની સુમેરુવગેરે શબ્દોથી પ્રરૂપણા કરી હોવાથી શબ્દ અને અર્થ વચ્ચે વાસ્તવિક સંબંધ સિદ્ધ થશે. બૌદ્ધ - સંસાર અનાદિનો છે. તેથી એમાં અનન્તા કલ્પો અને અનન્તા તીર્થંકરો થઈ ગયા. તેમાંથી કેટલાક તીર્થકરોએ અન્યથા પણ પ્રરૂપણા કરી હોય, તેમ સંભવે છે તેથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ અનાદિસિદ્ધ વાસ્તવિક સિદ્ધ થતો નથી. સમાધાન - “કેટલાક તીર્થકરોએ અન્યથા પ્રરૂપણા કરી હોય તેમ કહેવામાં કોઈ પ્રમાણ નથી. કેમકે આ કથન આપણા જેવા અલ્પજ્ઞો માટે અતીન્દ્રિય છે. બૌદ્ધઃ- “તે બધા સર્વજ્ઞોએ તે જ પ્રમાણે પ્રરૂપણા કરી છે તેમ કહેવામાં પણ કોઈ પ્રમાણ નથી. કેમકે આ કથન પણ અતીન્દ્રિયવિષયક છે. આમ, આ આપત્તિ તો ઉભયત્ર સમાન છે. સમાધાન :- એમ નથી. તમને માન્ય સર્વજ્ઞ શાક્યમુનિએ=બુદ્ધ, વર્તમાનમાં સુમેરુવગેરે અર્થો સુમેરુ'શબ્દથી પ્રરૂપ્યા છે, તે તો તમને માન્ય છે જ. હવે એમ તો બને જ નહીં કે સંકેત દ્વારા પણ સુમેરુઅર્થનો સુમેરુશદ્વાચ્યસ્વભાવ ન હોય, અર્થાત્ સુમેરુઅર્થ સુમેરુ શબ્દથી વાચ્ય ન હોય, અને સુમેરુશબ્દનો સુમેરુઅર્થ વાચકસ્વભાવ ન હોય, અર્થાત્ “સુમેરુશબ્દ સુમેરુઅર્થનો વાચક ન હોય, તો પણ સુમેરુઅર્થ માટે સુમેરુશબ્દનો પ્રયોગ થાય. (કેમકે શબ્દ અને અર્થના તેવા નિશ્ચિતસ્વભાવરૂપ નિયામક વિના નિશ્ચિત સંકેત પણ સંભવી શકે નહીં અને યથાકથંચિત્ સંકેત આદિ કરવામાં તો ઘણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258