Book Title: Anandghan Chovisi Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 6
________________ ઠીક ઠીક માટે બને છે. શ્રી મોતીચંદભાઈના “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજે નામે વિવેચન ગ્રંથની જેમ, આ ગ્રંથનું સંપાદન પણ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવ્યું હતું. એ કામ તેઓએ પૂરું કરી આપ્યું, તેને અમને આનંદ છે, અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે. શ્રી આનંદઘનજીનાં સ્તવને તેમ જ શ્રી મોતીચંદભાઈના વિવેચન વગેરે અંગે કે સમગ્ર રીતે આ ગ્રંથ અંગે જે કંઈ કહેવા જેવું છે તે વિશે તેઓએ એમના સંપાદકીય નિવેદનમાં લખ્યું છે, એટલે એ બાબતમાં અમારે કંઈ કહેવાનું રહેતું નથી. આ ગ્રંથનું સ્વચ્છ–સૂધડ મુદ્રણ અમદાવાદના સુપ્રસિદ્ધ મધુરમ ટાઈપ સેટિંગ્સ કરી આપ્યું છે. અને એનું બાઇડિંગ સાંભારે એન્ડ બ્રધર્સે કરી આપ્યું છે. એ બન્નેને અમે આભાર માનીએ છીએ. શ્રી આનંદઘનજીની ખૂબ જાણીતી છતાં અત્યાર લગી અલ્પવિચિત આ કાવ્યકૃતિઓ જેટલી દુર્ગમ અને અર્થગંભીર છે, એટલી જ, એને અર્થ ફુટ થતાં, નિજાનંદ ઉપજાવે એવી હૃદયસ્પર્શી છે. શ્રી મોતીચંદ ભાઈની જ્ઞાને પાસનાની પ્રસાદીરૂપ આ વિવેચનથી આ કૃતિઓ સુગમ અને વિશેષ આસ્વાદ્ય બનશે, એવી અમને ઉમેદ છે. ઓગસ્ટ ક્રાંતિ માર્ગ ચંદુલાલ વર્ધમાન શાહ મુંબઈ-૨૬ જયંતીલાલ રતનચંદ શાહ વિ. સં. ૨૦૨૬, જેઠ વદિ ૯ બાલચંદ જી. દોશી તા. ૨૭-૬-૧૯૭૦ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 536