Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 5
________________ આ ગ્રંથના પ્રારંભમાં મંગળ આશિષ ઉદારચિત્ત, શાસ્ત્રવેતા, સદા પ્રસન્ન પૂ. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસુરિજીના મળ્યા છે તથા અંત મંગળ આશિષ ભક્તિનિમગ્ન આચાર્યશ્રી યશોવિજયસૂરિજીના “અસ્તિત્વનું પરોઢ' ગ્રંથમાંથી ૧0૮માં કળશરૂ૫ વાક્યનું અવતરણ કરીને લીધા છે. તે માટે બંને પૂજ્યશ્રીઓને સદા સાદર વંદન કરું છું. સવિશેષ આ ગ્રંથ કોઈ માન્યતાને અનુસરીને નથી જેનદર્શનના સઘળા ફીરકા, તથા જૈનેતર દર્શનના મર્મગ્રાહી લેખનનું પણ અવતરણ કર્યું છે, કારણ કે આ ગ્રંથોની વિશેષ ઉપયોગિતા અમેરિકા જેવા દેશમાં વધુ થાય છે, તેથી ત્યાંના સંયોગોને તથા સવિશેષ ત્યાંની સ્વાધ્યાય સભાના વિવિધ સંસ્કાર યુક્ત શ્રોતાજનોને લક્ષ્યમાં લઈને આ ગ્રંથલેખનનો સંગ્રહ થયો છે. સૌ મિત્રો તમારા સંસ્કારને અનુકૂળ હોય તેને પ્રેમપૂર્વક વાંચજો વિચારજો. સૌને સસ્નેહ ભેટ આપવા ગ્રંથ પ્રકાશનના અર્થસહયોગ માટે ત્રિપુટી મિત્રોના સુકૃત્યની અનુમોદના કરી અભિવાદન કરું છું. સૌની બહેન સુનંદાબહેન આનંદ હો ! મંગલ હો ! આધારિત ગ્રંથસૂચિની સામાન્ય નોંધ. શ્રી શ્વેતાંબરીય ગ્રંથો : – શ્રી અધ્યાત્મસાર, શ્રી જ્ઞાનસાર, શ્રી પ્રશમરતિ, આત્મોત્થાનનો પાયો, રૈલોક્યદીપક મંત્રાધિરાજ વગેરે. પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણ સૂરિજીના ગ્રંથો. જ પાઠશાળા પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્ન સૂરિજી). જ પ્રવચનધારા. (આચાર્ય શ્રી નરવાહનસૂરિજી). શ્રી દિગંબરીય ગ્રંથો, શ્રી સમયસાર નાટક, શ્રી સમ્યકત્વ સુધા, સમયસાર દર્શન, સમ્યગૃજ્ઞાન દિપિકા, ઇષ્ટોપદેશ વગેરે. શ્રીમદ્રાજચંદ્ર વચનામૃત. જૈનેતર ગ્રંથો - અપરોક્ષાનુભૂતિ, વૈરાગ્યશતક વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 282