Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav Author(s): Hemendrasagar Publisher: Hemendrasagarji View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) હે કવિકેવિદ! ગુરુ અજિતસૂરિ! છે અજિતસ્વરૂપી આપ મહા; છે માત, સહદર, હૃદયેશ્વર ને, મિત્ર પ્રબુદ્ધ પ્રશાંત સદા. ૬ વાણી. મુજ અંતરના શુભ ભાવભરી, આ અંજલિ અર્પ” ચરણ વિષે; હેમેન્દ્ર સદા તુજ, ને ગુરુ તું, હેમેન્દતણે પ્રિયતમ દિસે. ૭ વાણું. સમર્પણ ( હરિગીત) મહાવીરની શ્રદ્ધા હતી, રગરગ વિષે ગુરુ ! આપમાં, વહેતી પળે પ્રભુધ્યાનમાં, ઉપદેશમાં, વીર જાપમાં; વકતા, વિશારદ શાસ્ત્રમાં, ઉત્તમ લલિત કવિ દેવ છે, પ્રેમાંજલિ અર્પણ રૂડી, ઉરભાવની ગુરુદેવ છે. ૧. શુભ નહાર ગામે જન્મ પામ્યા, પુણ્યમય ઉત્તમ કુળે, બાલત્વથી શુચિ ધર્મધ્યાને, પ્રેમમય વૃત્તિ વળે; દીક્ષા ગ્રહી ખંભાતમાં, વળી રાજનગરે ભાવથી, આચાર્યપદવી પ્રાંતિજે, પામ્યા અતિ સન્માનથી. ૨. સ્વર્ગે ગયા સત્કર્મ સહ, ધમ વિજાપુર ગામમાં, ગુરુસંગમાં શેભી રહ્યા, ગુરુના સમાધિ ધામમાં; રે! બાર વર્ષે ગુજર્યા, યાદી સદા આવ્યા કરે, જ્ઞાનાત્મ હે! ગુરુ અજિતસાગર ! સ્થિર રહ્યા મુજઅંતરે. ૩ * ૧૯૫૬ માં સ્થાનકવાસીપણુની દીક્ષા; ૧૯૬૫ માં સંવેગી દીક્ષા થઈ અમદાવાદમાં. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20