________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
કરતા. મહાત્મા સર્વ પ્રાણી હિતાર્થે પ્રવૃત્તિ કરતા હોય છે. દેશમાં પ્રસરેલી અનેક કુરૂઢિઓ, વહેમો ચાલતા તેનું ઉમૂલન કરવા પ્રયત્ન કરેલા હતા. આત્મવિકાસમાં તે અત્તરાયભૂત થાય છે. આત્મવિકાસ જેમ બને તેમ પ્રભુ સન્મુખ લઈ જાય છે, પ્રભુમય જીવન બનાવે છે. કુરૂઢિઓ ને વહેમે તેથી સદા વિમુખ રાખે છે. તપ, જપ, સંયમ, પાપકારપરાયણતા એ પ્રભુમય બનવાના સુસાધન છે. સાધનથી આત્મા મહાદય કરી શકે છે.
સૌરાષ્ટ્રના તીર્થધામોની યાત્રા કરી દરેક ગામડા શહેરમાં પરિભ્રમણ કરી સર્વને વિશ્વધર્મને ઉપદેશ આપે. સ્વતંત્રતા પ્રાપ્તિના માર્ગોનું સૂચન કર્યું. માનવ માનવ પ્રત્યે ઉચ્ચ-નીચના ભેદભાવ વિસરી આત્મભાવે વર્તે તે સ્વતંત્રતા મળી શકે છે. અભિમાન મિત્રતાનો સજનતાનો નાશ કરે છે. સ્વદેશી ભાવનાને વેગવંતી બનાવી ખાદી વાપરીને ખાદીથી સાદાઈ મળે છે વગેરે ઉપદેશ આપ્યો ને કવિતાઓ પણ લખી. અન્યજ જેવાઓને ઉપદેશ આપી દારૂ માંસ છોડાવી પ્રભુ સ્મરણ કરવાના નિયમે આપી પવિત્રતા અપ. રાજા મહારાજા સુધી વિશ્વબંધુત્વને ઇશ્વરી સંદેશ પહોંચાડી શક્યા. આમ આચાર્યશ્રીની સત્ય પ્રવૃત્તિ સર્વત્ર સુપ્રસિદ્ધ થઈ. છાપાઓમાં ગુણગાન થવા લાગ્યા, તેથી સુપ્રસન્ન થઈ ગુરુદેવ યોગનિક શાસ્ત્ર વિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ ૧૯૮૦ માઘ સુ. ૧૦ ના દિવસે અનેક સંઘના આગ્રહ હોવા છતાં પ્રાંતિજના સંધને માન આપી અજિતસાગરજીને આચાર્ય પદવી આપી, પોતાની તમામ જવાબદારીઓ સમાપ, શાવિશારદ પદ અર્પણ કર્યું. અનેક ગામ શહેરના જૈન જેનેતોના સમુદાય વચ્ચે આચાર્યપદ મહત્સવ ઉજવાયો હતો.
ત્યારપછી ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૧૯૮૧ માં સ્વર્ગવાસ પામ્યા. ગુવિરહને આઘાત લાગ્યો. ગુરુ પ્રત્યેની ભક્તિના
For Private And Personal Use Only