Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 106
________________ સૂત્ર-૨૯ ૧૯૩ વિવેચન-ર૯૯૩ : આ સૂટમાં બદ્ધ ઔદાકિ શરીર અને મુક્ત ઔદારિક શરીરની સંખ્યાનું પરિણામ બતાવ્યું છે. અર્થાત્ વર્તમાન દારિક શરીર અને ભૂતકાલિક મુક્ત શરીર સંખ્યાની વિચારણા છે. જે શરીર જીવે ધારણ કર્યું હોય તે બદ્ધલક કહેવાય છે. તે ભવસ્થિતિ પ્રમાણે બદ્ધેલક રૂપે રહે છે. જીવ તે શરીરને છોડી દે ત્યારે તે મુશ્કેલગ કહેવાય છે. અસંખ્યાત કાળ સુધી તે પુદ્ગલ તે શરીર રૂપે (અનંત ખંડ થઈને) રહે છે અથતિ મુક્કલગ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે. તેટલા કાલ સુધી તે મુક્ત પુદ્ગલ બીજા કોઈ પ્રયોગ પરિણત કે વિસસાપરિણત થયા વિના મને કોઈ શરીરના બàલક થયા વિના રહી શકે છે. તે પુદ્ગલો દ્રવ્ય નિક્ષેપથી ઔદારિક શરીર કહેવાય છે. તેને અહીં મુશ્કેલગ ઔદારિક શરીર કહ્યા છે. દારિક શરીર પરિમાણ :- આ બઢેલગ દારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. અસંખ્યાત અને અનંતની આ રાશિને સૂત્રકારે કાલથી, ક્ષેત્રથી અને દ્રવ્યથી સમજાવી છે. કાલથી બદ્ધ ઔદારિક શરીર પરિણામ :- બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા જાણવા. ચથતુિ પ્રત્યેક સમયે એક-એક બઢેલક શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થાય ત્યારે જ બધા બદ્ધલક્ક દારિક શરીર દૂર થાય. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલા બદ્ધ દારિક શરીર છે. ક્ષેત્રથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. અર્થાત્ એક-એક ઔદારિક શરીરને લોકમાં રહેલ એક-એક આકાશ પ્રદેશ પર સ્થાપિત કરવામાં આવે તો આખા લોકના સર્વ આકાશપદેશ તો બદ્ધ દારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના સર્વ આકાશપ્રદેશ તો બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના આકાશપદેશ પણ બદ્ધ દારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય. અથતુિ અસંખ્યાત લોકના જેટલા આકાશપદેશ છે, તેટલા બàલક દારિક શરીર છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે વનસ્પતિમાં અનંત જીવ છે, તો તેના બદ્ધ દાકિ શરીર અસંખ્યાત કેમ કહ્યા છે. તેનું સમાધાન એ છે કે વનસ્પતિમાં નિગોદમાં એક-એક શરીરમાં અનંત-અનંત જીવો રહે છે. માટે જીવો અનંત છે પણ તેના ઔદારિક શરીર અસંખ્યાતા જ છે. મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- મુક્ત ઔદારિક શરીર અનંત છે. જીવે દારિક શરીર ધારણ કર્યા પછી છોડી દીધું હોય અને પછી તે એક ઔદારિક શરીરના (અનંત સ્કંધ રૂપે પરિણત પુદ્ગલો) દારિકપણાનો ત્યાગ ન કરે, ત્યાં 4113) ૧૯૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સુધી ઔદાકિ શરીરના મુક્કલગ કહેવાય છે. કાળથી મુકત ઔદારિક શરીર પરિમાણ :- કાળની અપેક્ષાએ મુક્ત દારિક શરીર અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા જાણવા. પ્રત્યેક સમયે એક ચોક મુક્ત ઔદારિક શરીરનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થઈ જાય. ક્ષેત્રથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ દારિક મુકત શરીર અનંત લોક પ્રમાણ છે. એક લોકના અસંખ્યાત આકાશપદેશ છે. તેવા અનંત લોકના આકાશપ્રદેશ પ્રમાણ મુશ્કેલગ ઔદારિક શરીર જાણવા. દ્રવ્યથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ:- દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અભવ્યજીવો કરતાં અનંતગુણ અધિક હોય છે અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ હોય છે. • સૂત્ર-૨૯૯/૪ : પ્રશ્ન : હે ભગવન ! ઐક્રિય શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર : હે ગૌતમ વૈક્રિય શરીરના બે પ્રકાર છે. (૧) બઢેલક બહ૮ (૨) મુક્કલગ-મુd. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી દ્વારા અપદ્ધ થાય છે. ક્ષેત્રથી તે અસંખ્યાત શ્રેણીપમાણ છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમાં ભાગે છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી દ્વારા ચાહત થાય છે. શેષ કથન ઔદારિક શરીર પ્રમાણે જાણવું. • વિવેચન-ર૯/૪ : દેવો અને નારકીને ભવ પર્યત વૈક્રિય શરીર બદ્ધ રહે છે. મનુષ્ય અને તિર્યંચમાં વૈક્રિયલબ્ધિઘારી મનુષ્ય કે તિર્યંચ જેટલો સમય વૈકિય શરીર બનાવે તેટલો સમય બદ્ધ હોય છે અને તે શરીર છૂટી જાય પછી તે મુક્ત કહેવાય. વૈક્રિય શરીર પરિમાણ - બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. મુક્ત વૈક્રિયા શરીર અનંત છે. કાળથી બદ્ધ વૈક્રિય શરીર:- કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ વૈક્રિય શરીર છે. સમયે સમયે એક બદ્ધ વૈકિય શરીરને દૂર કસ્વામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી વ્યતીત થઈ જાય છે. ફોગથી બદ્ધ વૈક્રિય શરીર :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણીપમાણ બદ્ધ વૈકિય શરીર છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. અતિ ધનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણીઓ હોય અને તે શ્રેણીઓમાં જેટલા આકાશપદેશ હોય તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. મુક્ત વૈક્રિય શરીર પરિમાણ :- મુક્ત વૈક્રિય શરીર અનંત છે. દારિક મત શરીરની જેમ જ અહીં કાળ અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146