Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ મૂલ-૨૦૫ થી ૨૧૦ ૮૪ ઉત્પન્ન થાય, પછી ભિન્ન દાઢાવાળો તે દયારહિત થઈને સચેતનને પણ મુકતો નથી. • [૧૦] - આધાકર્મ ઘણું અને સ્નિગ્ધ ખાવાથી રોગ થાય, સૂર્યમાં હાનિ થાય, ચિકિત્સાથી કાયવધ થાય. પ્રતિચારકને પણ હાનિ થાય. કલેશ પામતો તે બીજાને પણ લેશ પમાડે છે. • વિવેચન-૨૦૫ થી ૨૧૦ : ગાથાર્થ કહ્યા. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - આજ્ઞાભંગાદિ ચારે દોષને અનુક્રમે કહે છે - (૧) આઘાકમદિને લેતો સાધુ બધાં જિનેશ્વરોની આજ્ઞા ઉલ્લંઘે છે. કેમકે બધાં તીર્થકરો તેનો નિષેધ કરે છે. આજ્ઞાનું ઉલ્લંધ્યા પછી તેને કોના આદેશથી લોય, ભૂમિશયન, મલિન વસ્ત્ર ધારણ, પડિલેહણ આદિ અનુષ્ઠાન કરે? કોઈના નહીં કેમકે સર્વજ્ઞની આજ્ઞાના ભંજકને સર્વે અનુષ્ઠાનો નિષ્ફળ છે. ધે અનવસ્થા દોષ કહે છે – પ્રાયઃ બધાં પ્રાણી કર્મની ગુરુતાથી પ્રત્યક્ષ સુખાભિલાષી છે, પણ દીધસુખ દટા નથી. કોઈ એક સાધુપણ આધાકર્મ પરિભોગાદિ અકાર્યને સેવે છે, તેના પરના વિશ્વાસને લીધે બીજા પણ તેનું આલંબન લઈને સેવે છે. તેની પરંપરા ચાલે છે, કેમકે શાતાની ઈચ્છાવાળા બહુ પ્રાણીઓ વડે આ રીતે સંયમ અને તપનો વિચ્છેદ થાય છે. તેથી તીર્ય વિચ્છેદ થાય. તેમ કરનાર મોટી આશાતનાનો ભાગી થાય છે. માટે અનવસ્થા દોષના ભયથી આધાકર્મ ન સેવવું. -૦- હવે મિથ્યાત્વ નામે ત્રીજો દોષ - દેશ, કાળ, સંહનન અનુસારી યથાશક્તિ બરાબર અનુષ્ઠાનક્રિયા કરવી છે. સમ્યકત્વ. તેથી દેશ-કાલાદિ અનુસાર શક્તિ ગોપવ્યા વિના આગમમાં કહ્યા મુજબ ન કરતો હોય તેનાથી બીજો મિથ્યાદૃષ્ટિ કયો હોય ? પણ તે મિથ્યાર્દષ્ટિમાં અગ્રેસર છે. કેમકે તેનું મહામિથ્યાષ્ટિપણું છે. કેમકે તે બીજાને શંકિત કરે છે – જો સિદ્ધાંતમાં કહ્યું તે જ તત્વ હોય તો આ સાધુ તત્વને જાણવા છતાં તે પ્રમાણે કેમ કરતો નથી ? તેથી પ્રવચનમાં કહેલું અસત્ય છે. એ રીતે પરંપરાએ મિથ્યાત્વ વધારે છે. તેનાથી પ્રવચનનો વિચ્છેદ થાય છે. બીજા મિથ્યાર્દષ્ટિ તો તેમ કરી શકતા નથી. માટે તેની અપેક્ષાએ સાધુ મહામિથ્યાદેષ્ટિ છે. - વળી - આઘાકર્મગ્રાહી, તે ગ્રહણ કરવાના પ્રસંગની વૃદ્ધિ પમાડે છે. તેમાં રહેલાં મનોજ્ઞ રસાસ્વાદના લંપટવથી ફરીથી પણ તેને ગ્રહણ કરવા પ્રવર્તે છે. એ રીતે એક વાર પણ આધાકર્મગ્રાહી સાધુ પોતાના તે પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. કેટલેક કાળે તેને આસક્તિ ઉભી થતાં વિશેષ અને વિશેષતા એવા મનોજ્ઞ સારવાર માટે તે લેપાયેલો જ રહે છે. પછી દયા રહિત થઈને બીજા સયેતન-કેરી આદિ ફળો પણ મૂકતો નથી. એ રીતે આગળ વધતો તે સર્વથા જિનવચન પરિણામ રહિત થઈ મિથ્યાત્વને પણ પામે છે. હવે વિરાધના નામે ચોથો દોષ - પ્રાયઃ આધાકર્મ અતિથિના ગૌરવથી જ કરાય છે, જેથી તે સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય છે તે આધાકર્મ ઘણું સ્નિગ્ધ ખાવાથી જવર, વિશુચિકાદિ રોગ થતાં પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ આત્મવિરાધના થાય. રોગથી પીડિત એવા તેને સુત્ર અને અર્થની હાનિ થાય, જો ચિકિત્સા ન કરાવે તો લાંબો કાળ સંયમના યથાયોગ્ય પાલનનો નાશ થાય, ચિકિત્સા કરાવે તો તેજસ્કાયાદિનો વિનાશ થાય. તેમ થતાં સંયમની વિરાધના થાય. યથાયોગ્ય પાલન કરનારા સાધુને પણ તેની વૈયાવચ્ચમાં જોડાયેલા હોવાથી સૂત્રાર્થના હાનિ થાય. છકાયના ઉપમર્દનાદિથી સંયમની પણ હાનિ થાય, વળી પીડા સહેવાને અસમર્થ હોવાથી તેનું કહ્યું ન કરનાર ઉપર કોપે છે કોપથી તેના મનમાં કલેશ થાય. લાંબો કાળ કલેશ અનુભવતો તે પ્રતિચાસ્કોને પણ જાગરણ કરાવવા વડે રોગ ઉપાર્જે છે. તેથી તેમને પણ ચિકિત્સાથી છ કાય વિરાધના થાય. -o– હવે અકલયની વિધિ - • મૂલ-૨૧૧,૧૨ : (૧) જે પ્રકારે આધાકર્મ અકલય છે, (૨) અથવા તેનાથી પતિ , (3) અથવા તેવા પાત્રમાં રહેલ, (૪) તેનો ત્યાગ, (૫) જે પ્રકારે ગ્રહણ કરેલું દોષરહિત થાય તે કહે છે. તેમાં ભોજ્ય, ગમનાદિ દોષદ્રવ્ય-કુળ-દેશભાવને વિશે પ્રથન કરવો એમ યતના કરતાં પણ છલના થાય તો આ બે ષ્ટાંત કહે છે – • વિવેચન-૨૧૧,૨૧૨ : ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે – આધાકર્મ જે ભાજનમાં હોય, તેમાંથી આધાકર્મનો ત્યાગ કર્યા પછી ત્રણ વાર ધોયા વિના જે શુદ્ધ અશનાદિ નાંખેલ હોય તે પણ જે પ્રકારે અકલય થાય. જે પ્રકારે તે આધાકર્મનો ત્યાગ વિધિ અને અવિધિરૂપ થાય ઈત્યાદિ વડે આગમમાં કહ્યા મુજબ હું પિંડ વિશુદ્ધિ કહું છું – જે પ્રકારે આધાકર્મ, આધાકર્મ સ્પેશિત, ત્રણવાર ધોયા વિનાના પાત્રમાં રહેલ ભોજ્ય થાય તેમ કહેવું. અવિધિના ત્યાગમાં કાયકલેશાદિ દોષો કહેવા. વિધિનો ત્યાગ છે કર્તવ્ય બની જતું હોય ત્યારે જે પ્રકારે દ્રવ્ય, કુળ, દેશ, ભાવને વિશે પૃચ્છા કરવી કે જે પ્રકારે પૃચ્છા ન કQી. આટલી યતના છતાં કદાચ અશુદ્ધ ગ્રહણરૂપ છલના થઈ જાય તો તેને દષ્ટાંતો કહેવા લાયક છે - x - • મૂલ-૧૩ થી ૨૧૬ - [૧૩] છે કે રાશન સુસંસ્કારિત હતું તો પણ વમન કરેલું જેમ ભોય છે, તેમ અસંયમનું વમન કર્યા છતાં અનેકણીય ભોજન અભોજ્ય છે. આધાકના ભોજ્યપણાને બીજા બે દષ્ટાંતથી દઢ કરતા [૧૪, ૧૫] બે ગાથા કહી છે જે દેટાંત વિવેચનમાં કહેલ છે. [૧૬] વળી ઘેટી અને ઉંટડીનું દુધ, લસણ, પલાંડ, મદિરા, ગોમાંસને વેદ તથા બીજ શાસ્ત્રોમાં અભોજ્ય અને અપેય કહ્યા છે, તેમ અહીં પણ તે પ્રમાણે માનેલા છે. • વિવેચન-૨૧૩ થી ૨૧૬ :[૧૩] વમન કર્યા પૂર્વે ઓદનાદિ સુસંસ્કૃત હતા, તો પણ વમન થઈ ગયા

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100