________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મતિ-શ્રુત તે કેવળજ્ઞાનનો અંશ છે
કેમકે બંનેની એક જાત છે
વળી ભાડુંની! તમે ત્રણ દાંત લખ્યા અને તે દાંત વિષે પ્રશ્ન લખ્યા; પણ તે દષ્ટાંત સર્વાગે મળતા નથી; કેમકે દષ્ટાંત છે તે એક પ્રયોજનને દેખાડે છે. અહીં બીજનો વિધુ એટલે કે ચંદ્રમા, જલબિંદુ તથા અગ્નિકણિકા એ તો ત્રણે એકદેશ છે અને પૂર્ણમાસીનો ચંદ્ર, સમુદ્ર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. એ જ રીતે ચોથા ગુણસ્થાને આત્માને જ્ઞાનાદિ ગુણ એકદેશ પ્રગટ થયા છે તેની, અને તેરમા ગુણસ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો સર્વદેશ પ્રગટ થાય છે તેની એક જાતિ છે.
તેમાં તમે પ્રશ્ન લખ્યો કે “એક જાતિ છે એટલે જેમ કેવળી સર્વજ્ઞેયને પ્રત્યક્ષ જાણે છે તેમ ચોથા ગુણસ્થાનવાળા પણ આત્માને પ્રત્યક્ષ જાણતા હશે?”—પરંતુ માની! ત્યાં પ્રત્યક્ષપણાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યજ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે..”
જેમ પૂર્ણિમાનો અંશ તે બીજ, સમુદ્રનો અંશ એક જલબિંદુ અને મોટા અગ્નિકુંડનો અંશ એક અગ્નિકણ-એ દષ્ટાંતોમાં તો ક્ષેત્રઅપેક્ષાએ અંશ—અંશીપણું છે પરંતુ આત્મામાં શ્રુતજ્ઞાનને પૂર્ણજ્ઞાનનો અંશ કહ્યો તેમાં કાંઈ ક્ષેત્રઅપેક્ષાએ અંશ-એશીપણું નથી, પણ ભાવઅપેક્ષાએ અંશઅંશીપણું છે. ક્ષેત્ર તો બંનેનું સરખું છે. જેમ બીજ ઊગતાં ચંદ્રનું થોડુંક ક્ષેત્ર ખૂલ્યું ને બીજું ઢંકાયેલું છે તેમ આત્મામાં કાંઈ થોડા પ્રદેશો નિરાવરણ થયા ને બીજા આવરણવાળા રહ્યા એમ નથી. પણ જેમ પૂર્ણચંદ્ર પ્રકાશ આપે છે તેમ બીજ પણ પ્રકાશ આપે છે, પ્રકાશ આપવાનો સ્વભાવ બંનેમાં સરખો છે, એક પૂરો પ્રકાશ આપે છે ને બીજો થોડો પ્રકાશ આપે છે એટલો જ ફેર છે, તેમ અહીં આત્મામાં કેવળજ્ઞાન પૂર્ણ પ્રકાશ કરનાર છે ને મતિશ્રુતજ્ઞાન બીજની જેમ થોડો પ્રકાશ આપે છે, પ્રકાશ આપવાનો સ્વભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk