Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 222
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ : અધ્યાત્મ-સંદેશ અરે, સિદ્ધભગવંતો તો પરમ સ્વાધીન છે, સ્વાધીનપણે જ લોકાગ્રે તેઓ સ્થિર થયા છે. એમની સ્વતંત્રતાની તો શી વાત! અહીં તો કહે છે કે નિગોદનો જીવ પણ સ્વાધીન છે, સ્વતંત્રપણે પોતાના ચારિત્રપરિણામની વિશુદ્ધતાના બળથી તે ત્યાંથી નીકળીને સીધો મનુષ્ય થાય છે. અનાદિકાળના અનંતાનંત ભવથી સદાય નિગોદમાં જ હતો, જેણે નિગોદ સિવાય બીજી કોઈ ગતિ કદી જોઈ ન હતી, તે જીવ ચારિત્રપરિણામમાં કંઈક શુભભાવ કરીને, તેના બળથી એક ક્ષણમાં નિગોદમાંથી નીકળીને સીધો મનુષ્ય થયો-મનુષ્ય પણ એવો કે રોજના લાખો રૂપિયાની જેને પેદાશ હોય. ઉપાદાનના પરિણામની સ્વતંત્રતા છે. ઉપાદાન નિજશક્તિ હૈ જીવકો મૂલસ્વભાવ.” ભાઈ, ઉપાદાનની આવી સ્વતંત્રતા જાણીને સ્વાશ્રયભાવે તારા સ્વકાર્યને સાધ, મોક્ષમાર્ગને સાધ. તારો મોક્ષમાર્ગ સાધવામાં તારે જગતમાં કોઈની ઓશીઆળી કરવી પડે તેવું નથી, તારા આત્માના આશ્રયે જ તારો મોક્ષમાર્ગ છે; તું એકલોએકલો તારામાં ને તારામાં તારો મોક્ષમાર્ગ સાધી શકે છે. વાહ, કેવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ! જીવના પરિણામમાં કષાયાદિની મંદતા થાય ત્યાં કર્મની પણ મંદતા થઈ જ જાય-એવો સહજ મેળ છે. જીવના પરિણામમાં મિથ્યાત્વાદિ દોષ છૂટી જાય ને સામે ઉદયમાં મિથ્યાત્વાદિ કર્મ ઊભું રહે–એમ બને નહિ. આ રીતે જીવે પોતાના પરિણામ સંભાળવાના છે. તેને બદલે અજ્ઞાનીઓ એમ ઊધુ લે છે કે “શું કરીએ! કર્મનું તીવ્ર જોર છે, કર્મનું જોર મંદ પડે તો અમારા પરિણામ સુધરે.' પણ ભાઈ ! તું તારા પરિણામ સુધારને, ત્યાં સામે કર્મનું જોર તૂટી જ જશે. જીવના પરિણામને અનુસાર જ જગતમાં સહુજ પરિણમન હોય છે. આત્માને સાધવા જે જાગ્યો તેને માટે આખું જગત અનુકૂળ જ છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246