________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો ઉપસંહાર આ સમજીને મોક્ષમાર્ગ સાથે તેને શાબાશી !
હવે અહીં એકદ્રવ્યાશ્રિત ઉપાદાન-નિમિત્તની ચૌભંગીનો ઉપસંહાર કરતાં કહે છે કેઃ “p માં ૩૮નીવારે! એટલે કે હે પ્રશ્નકાર ભાઈ ! તેં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહિ? જો તેં માની, તો કાંઈ અન્ય કહેવાનું કાર્ય નથી. જો તે ન માની, તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે, –અમે શું કરીએ? જો તે માની તો તને શાબાશી !”
વસ્તુની આવી ઊર્ધ્વતાની ધારા તને સમજાય તો તને શાબાશી ! આટલે સુધી ઊંચો આવ્યો હવે પરિણમનની સ્વતંત્રતા જાણીને વિશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ જા... તો તને શાબાશી ! જે તીવ્ર મિથ્યાષ્ટિ છે, જેને સ્વભાવના વિચારની શક્તિ નથી તેને તો શુભ વખતેય ખબર નથી કે મને આ વિશુદ્ધતામાં શુદ્ધતા પડી છે. પણ શુદ્ધસ્વભાવનું જેને લક્ષ છે, સ્વભાવના વિચારની શ્રેણી જેને ચાલે છે તે જાણે છે કે આ વિશુદ્ધતામાં રાગનો જરાક અભાવ થયો તો સ્વભાવમાં રાગનો પૂર્ણ અભાવ છે, જેનો અંશે અભાવ થયો તેનો પૂર્ણ અભાવ થઈ શકે છે; એટલે રાગાદિનો અંશે અભાવ થયો તેટલો શુદ્ધતાનો ગર્ભિતઅંશ છે-એમ શુદ્ધસ્વભાવના લક્ષે કહ્યું, એટલે જેને આવું લક્ષ છે તે તો ઊર્ધ્વપરિણામી થઈને મોક્ષમાર્ગ વ્યક્ત કરે છે. –માટે તેને શાબાશી આપી. પણ એકલા શુભરાગથી કે જ્ઞાનના ઉઘાડથી કાંઈ મોક્ષમાર્ગ થઈ જતો નથી. તે વિશુદ્ધિમાં શુદ્ધતા માનનારને લક્ષમાં છે કે આ વિશુદ્ધિ પોતે મોક્ષમાર્ગ નથી, જ્યારે ગ્રંથિભેદથી શુદ્ધતા થશે ત્યારે મોક્ષમાર્ગ થશે. –માટે કહ્યું કે તે આ પ્રકાર જાણ્યો તો તને શાબાશી! કેમકે આ જાણવામાં ભેગું શુદ્ધસ્વભાવનું લક્ષ કામ કરે છે. એકલા રાગમાં ઊભો રહીને, રાગને જ મોક્ષમાર્ગ સમજી લ્ય તેને શાબાશી નથી કહેતા; પણ તેમાંથી સ્વભાવનું લક્ષ જેણે કરી લીધું, જેણે એક અંશ રાગના અભાવ ઉપરથી સર્વ રાગ વગરનો શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk